SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ તો નવરાશ મળે કે તરત રેંટિયો લઈને લાડબા બેસતાં. સરદારને ચાર ભાઈઓ અને એક બહેન: સોમાભાઈ, નરસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, કાશીભાઈ અને ડાહીબા. સરદારને નાની બહેન પર સવિશેષ પ્રેમ હતો. માતાપિતાના ધર્મપરાયણ અને સંયમમય જીવનનો વારસો સરદારને પૂરતા પ્રમાણમાં મળ્યો હતો. સરદાર બ્રહ્મર્ષિ નહીં પણ રાજર્ષિ હતા. સરદારની ધાર્મિકતા, એમનો સંયમ, એમનો ત્યાગ, એમની તિતિક્ષા સાધુસંતોનાં નહીં પણ ક્ષત્રિય વીરનાં હતાં. આગ્રહ, દઢતા, હસતે મોંએ શારીરિક દુ:ખો સહન કરવાની શક્તિ, સંપૂર્ણ નિર્ભયતા–એ બધા મહાયોદ્ધાના ગુણો સરદારમાં જોવા મળે છે તે પિતાના સંયમમય અને આગ્રહી જીવનનો જ વારસો છે. સરદારને સ્વચ્છતા અને સુઘડતાની ટેવ પણ માતાપિતા તરફથી જ વારસામાં મળેલી. ૧૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy