________________
વિદ્યાકાળ
સરદારે સાતમી ચોપડી સુધીનો અભ્યાસ કરમસદમાં જ કરેલો.
સરદાર પ્રાથમિક નિશાળમાં ભણતા હતા ત્યારે ભાણવાની ચોપડીઓ કરતાં આસપાસનાં ખેતરો અને ગામડાંઓનું તેમને વધારે જ્ઞાન થયું હશે.
ઝવેરબાપા ખાસ ભણેલા નહીં, છતાં સરદાર કહે છે એમ, મારા પિતાને મને ભણાવવાનો શોખ બહુ રોજ સવારના પહોરમાં ખેતરે લઈ જાય. ખેતરમાં કામ કરતા નહીં, પણ આવતાં-જતાં રસ્તે પાડા બોલાવવા અને પલાખાં ગોખાવવા.”
સરદાર સત્તર-અઢાર વર્ષના થયા, ત્યાં સુધી કરમસદમાં જ રહેલા. એટલે તેમને ખેતરમાં કામ કરવાનું તો આવેલું જ.
આ અંગે સરદાર કહેતા : ‘અમે બધા ભાઈઓએ ખેતરમાં કામ કરેલું. એકલા વિઠ્ઠલભાઈએ કદાચ નહીં કર્યું હોય. કારણ કે પહેલી અંગ્રેજીથી જ તેઓ અંગ્રેજી ભણવા નડિયાદ મોસાળમાં રહેલા.” કરમસદમાં અંગ્રેજી નિશાળ નહોતી. એટલે આગળ
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org