Book Title: Sardar Shreenu Jivan Karya Author(s): Mukul Kalarthi Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 9
________________ માતાપિતાના સંસ્કાર, ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ રળિયામણો અને અનેક વિવિધતાથી ભરેલો છે. એના આણંદ તાલુકામાં કરમસદ, ગામ આવેલું છે. કરમસદ એ સરદારશ્રીનું વતન. ખેતીબંધા પાટીદાર કુટુંબમાં એમનો જન્મ. ચરોતર પ્રદેશના પાટીદારો સ્વતંત્ર સ્વભાવના, નિખાલસ અને તેજદાર ગણાય છે. આવાં તેજસ્વી માતાપિતાને ત્યાં આપણા દેશના બે મહાન સપૂતો અવતર્યા. વીર વિઠ્ઠલભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ. સરદારશ્રીની જન્મતારીખ ૩૧મી ઑક્ટોબર, ૧૮૭૫ ગણવામાં આવે છે. ઘરમાં કોઈ ભણેલું નહીં. એટલે કોઈએ એમની જન્મતિથિની બરોબર નોધ લીધી ન હતી. મૅટ્રિકના સર્ટિફિકેટ પ્રમાણે આ તારીખ ગણાય છે. નડિયાદ એ સરદારશ્રીનું મોસાળ. તેમનો જન્મ નડિયાદમાં થયો હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66