SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ખેડૂતના પુરુષાર્થી પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ કોણે સાંભળ્યું નહીં હોય? ૧૫મી ઑગસ્ટ, ૧૯૪૭ને યાદગાર દિવસે આપણો દેશ આઝાદ થયો. સરદારશ્રી ભારતના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડા પ્રધાન બન્યા હતા. સામાન્ય ગરીબ કુટુંબમાં સરદારશ્રીનો જન્મ થયો હતો. પિતા ખેડૂત હતા. ઘરમાં કોઈ ભણેલું પણ નહીં. એવા ગામડાગામના એક ખેડૂતના પુત્ર આખા દેશમાં સરદાર તરીકે જાણીતા થયા અને સ્વતંત્ર ભારત દેશના ગૃહપ્રધાન તથા નાયબ વડા પ્રધાન બન્યા હતા, એ આખી ગૌરવગાથા આપણને પ્રેરણા આપે એવી છે. ઘરમાં ગરીબાઈ કેવી હતી એનું વર્ણન સરદારશ્રીના મુખે જ સાંભળીએ : “હું નડિયાદમાં જ્યારે મોસાળમાં રહેતો, ત્યારે કોઈ વાર કરમસદ જાઉં, ત્યારે મારાં દાદીમા મને રેલવે ક્રોસિંગ સુધી મૂકવા આવતાં. નડિયાદથી આણંદ રેલવે હતી. પણ કરમસદ જવામાં અમે કદી રેલગાડીનો ઉપયોગ ન કરતા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005658
Book TitleSardar Shreenu Jivan Karya
Original Sutra AuthorN/A
AuthorMukul Kalarthi
PublisherNavjivan Prakashan Mandir
Publication Year1999
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy