Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 24
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org જેમકે એક સુકા ઝાડને લીધે બળી જતા ફૂલ્યા ફાલ્યા વૃક્ષવાળા વનને જોઈ પહેલે બ્રાહ્મણ એક ચરિત્રહીન પુરવ = દુર્યોધનને લીધે બળી જતા આખાય કૌરવ અને તદિતર અભ્યાગત કુળોને દષ્ટિમાંથી પસાર કરી લે છે.' બરાબર આ જ વખતે બીજે બ્રાહ્મણ યજ્ઞના અનિથી સળગી ઊઠેલા અને પવનથી હલાવાયેલા ઊચા-નીચા થતા વાંસડાઓ તરફ નજર કરે છે.૧૩ એની આ નજરને સુક્ષ્મતાથી જોઈએ તે મહાભારત યુદ્ધની આ પ્રથમ તબક્કાની પરિસ્થિતિનું ઇગિત જોઈ શકાય. યુદ્ધ આરંભ થયાના આ દિવસોમાં કયારેક કૌરવપક્ષ તો કયારેક પાંડવ પક્ષ પેલા વાંસડાઓની માફક ઊચા કે નીચે = હારતે કે જીતતો દેખાય છે. અને વળી, ત્રીજે બ્રાહ્મણ દુરાચારી કુળમાં આવી પડેલે સજજને સ્ત્રી-દોષથી બળે એમ, એવું ઉપમાન આપીને ફરી પાછો ઝાડ પર ચેટલી સૂકી વેલીથી વીંટળાયેલા વૃક્ષને વર્ણવે છે. ૪ આ વર્ણનમાં મહાભારત યુદ્ધ દરમ્યાન મરણને શરણ થયેલા નિર્દોષ મહાનુભાવો મહારથીઓને નિર્દેશ સહેજે કપી શકીએ એમ છીએ. હવે, આગના વર્ણનને અતિમ તબક્કો આવે છે. જેમાં પહેલે બ્રાહ્મણ પેલા બીજા બે સાથી ને બીજુ દશ્ય બતાવતાં કહે છે-“વૃક્ષ, છેડ અને ઝાંખરાવાળા આ જાણે કે ધરાઈને આહાર કરી, આ અગ્નિ દર્ભને માગે નદીમાં જાણે કે આચમન કરવા માટે ઊતરી રહ્યો છે.”૧૫ આ વહુનમાં અગાઉ ઉપમાન પ્રયોજયાં હતાં તેવાં કોઈ ઉપમાનો પ્રયોજ્યાં નથી. સીધું વણન જ છે. મહાભારતકથાના સંદર્ભમાં આને જોઈએ તો યુદ્ધમાં વૃક્ષ, છોડ અને ઝાંખરા જેવા નાના-મોટા અનેક રથી–મહારથી લેકેનો ખાતમો કર્યા પછી હવે યુદ્ધને અગ્નિ દભને = ભીષ્મને બાળી એટલે કે હણીને શાંત પડવા માટે નદીમાં ઊતરી રહ્યો છે. અર્થાત ભીષ્મવધ સુધીની મહાભારત કથાને નિર્દેશ અહી જોઈ શકાય છે. આમ મહાભારત યુદ્ધનો મધ્યભાગ વર્ણવી હવે એના અંતિમ તબક્કાનું નિદર્શન કરતું વર્ણન આ પછીના શ્લોકમાં આવે છે. અહીં ‘નિરં મૂઝે : પરશુરિ દ્રા પતિ !” અર્થાત લાંબા સમયથી મૂળમાં બળી રહેલા તાડના વૃક્ષ (ૌરવકુળ)ને રુદ્રના કુહાડાની જેમ પટકાઈ જતું વર્ણવી લાંબા સમયથી એટલે કે અઢાર-અઢાર દિવસથી ચાલતા મહાભારત યુદ્ધનો અન્ત સૂચવી દીધો છે. અને છેલ્લે આ આગના વર્ણનનો ઉપસંહાર કરતાં એક બાજુ યજ્ઞશાળામાં લાગેલી આગની તો બીજી બાજુ મહાભારતના યુદ્ધના અન્ત પછીની સ્થિતિનુમામિક વર્ણન આપ્યું છે. શાન્ત પડતા અગ્નિને અહી' પેલે ત્રીજે બ્રાહ્મણ સજજનના ક્રોધની સાથે સરખાવે છે અને જણાવે છે કે વૈભવ ધસાઈ જતાં જેમ સજજનની દાન કરવાની શક્તિ નાશ પામે, તેમ ઈંધણ ખલાસ થઈ જવાથી અગ્નિનું બળ નાશ પામ્યું છે. અહીં યજ્ઞશાળામાં જેમ અગ્નિ શાન થવાનું કારણ બીજુ કાંઈ નથી, પણ બાળવા યોગ્ય પદાર્થોને (- ઈધણુનો) અભાવ અગ્નિને શાંત પાડવામાં કારણ બની રહ્યો છે, તે પેલા મહાભારત યુદ્ધમાં પણ એના શાન્ત થવાનું કારણ શત્રુરૂપી ઈધણને અભાવે જ કારણ છે. ભીષ્મ, દ્રોણ, શલ્ય, કણું વગેરેને હણ્યા પછી બાકી રહેલો દુર્યોધન પણ હવે તે હણુઈ ચૂક્યો એટલે મહાભારત યુદ્ધ શાન્ત પડયું છે, એવું ક૯૫ને સહેજે થઈ શકે છે. તો વળી, પહેલે બ્રાહ્મણ–“સ્વભાવથી મજબૂર વ્યસની વ્યક્તિ છેવટે ધરવખરી પણ વેચી મારે, એમ આ અગ્નિ પણુ યજ્ઞના સુવા, અરણી, દર્ભો પંચરાત્રના વિઠંભકમાં પ્રતીકોજના [૧૯ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108