Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ઉત્તર ગુજરાતનું પ્રદાન
ભૂપેન્દ્ર અંબાલાલ પટેલ×
ઉત્તર ભારતમાં થયેલ ઈ. સ. ૧૮૫૭ના બળવાના પ્રત્યાધાતાથી ગુજરાત અળગું રહ્યું ન હતું. આ વિપ્લવ વાસ્તવમાં લશ્કરી વ્યૂહરચનાનેા ન હતેા, પરંતુ મુસલમાન, મરાઠા, આરબ અને રજ પૂર્તાના ઉત્તર ભારતમાંથી ગુજરાતમાં થયેલા આગમને અહીના ભીલ, કોળી વગેરેને બડ કરવા પ્રેર્યાં, ગુજરાતમાં ઉત્તર ગુજરાત (મહેસાણા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લા સહિત) સ્વાત`શ્ય સૌંગ્રામમાં અલિપ્ત રહ્યું નથી. આ ઉપદ્રવ શરૂ થયા ત્યારે ગુજરાતને વેપારી સમાજ ભેાંયરામાં જરજવાહર છુપાવતા હતા, તેની રખેવાળી માટે ચેકીદ્વારા રાખતા હતા. તેા તે જ વેળાએ ઉત્તર ગુજરાતના પાણીદાર ઠાકરડા, પંચમહાલના મરણિયા ભીલ, ચાતરના ખમીરવંતા પાટીદાર અને પહાડી જગલના ખેડૂતે ખેતરા ને પાદરા, કરાડા ને કાતરા, જગલા ને ગાડીએ, નાના કાટ-કિલ્લા ને ખાણેામાં, પેાતાની ગેરીલા' યુદ્ધ-પદ્ધતિના પ્રયાગે કરતા હતા. હવે ઉત્તર ગુજરાતના આ ત્રણે જિલ્લાઓની પ્રજાએ સ્વાતંત્ર્ય સગ્રામમાં આપેલ પ્રદાન વિશે એક પછી એક જોઈએ. સ્વાતંત્ર્ય સ`ગ્રામમાં મહેસાણા જિલ્લાનું પ્રદાન :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ જિલ્લાની સ્વાતંત્ર્ય ચળવળ અંગેની વિગતામાં-૧૮૫૭ માં થયેલી અ ંધાધૂંધી, તાર ગા ટેકરીમાં કાળીના બળવા, ગાયકવાડ પ્રદેશમાં નિ:શસ્ત્રીકરણ, અંગભંગના પ્રત્યાધાત વડેદરા રાજ્ય પ્રામ'ડળની સ્થાપના, ૧૯૧૬, રૉલેટ બૅંકટ અને સત્યાગ્રહ, ૧૯૧૯, ૧૯૩૦ ના સત્યાગ્રહ અને ૧૯૪૨ની હિંદુ છેોડો ચળવળ અને તેના પરિણામેાના-સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે.
X
૧૮૫૭ની અધાધૂંધી : ૧૮૫૭ના બળવાની સીધી અસર મહેસાણા જિલ્લા પર થઈ હતી. વિજાપુર, વડનગર અને ખેરાલુમાં કાળીએના બળવાનેા માત્ર એક બનાવ બન્યા હતા, જેનુ મુખ્ય કારણુ–અંગ્રેજ અને ગાયકવાડના સૈન્યએ ચાંડપ ગામને વિનાશ કરેલ તે હતું. ગાયકવાડે થાણા પર મૂકેલ ૧૦ ધોડેસ્વારેાને લીધે વિજાપુર, વડનગર અને ખેરાલુના કાળીએ ક્રોધિત થયા. ૨૦ મી ઑકટાબર, ૧૮૫૭ના રાજ વડોદરા રેસિડેન્ટ શૅક્સપિયરે ભારત સરકારના સેક્રેટરી એડમ્સનને જણાવ્યું કે ગાયકવાડ શાસન હેઠળના ઉપરના ત્રણ ગામાએ કાળીએા સશસ્ત્ર ભેગા થયા છે. મહીકાંઠાના પોલિટિકલ એજન્ટ મેજર વ્હાઈટલોકે પશુ ૨૧ ઑકટાભર, ૧૮૫૭ ના રાજ મુબઈ સરકારના સેક્રેટરી એન્ડરસનને જણાવ્યું કે, વિજાપુર જિલ્લાના કાળી અને ભીલાએ ગાયકવાડ અને વરસાવા ઠાકારના લેાદરા ગામે હુમલા કરેલ જેમાં એકનુ મૃત્યુ થયેલું અને છ જણા ઘવાયેલા.૨ છતાં બીજે દિવસે તેમણે ૨,૦૦૦ પાયદળ અને ૫૦ અશ્વદળ સહિત પુન: લેાદરા પર હુમલે કર્યાં. વરસાવાના ઠાકોરે તાત્કાલિક ૪૦૦ સશસ્ત્ર સૈનિકને મેજર એન્ડ્રુઝની આગેવાની હેઠળ સરકારી લશ્કરની મદ્દે લેાદરા મોકલ્યા. એથી વિશેષ તે ગુજરાત આકસ્મિક ળમાંથી ૮૦ સૈનિકોને રિસાલદાર માર મહ'મદઅલીની રાહબરી હેઠળ લેારા મેાકલ્યા, પરિણામે મજબૂત લાકરી બળ સામે બળવે ટકયો નહિ * ગુજરાત ઇતિહાસ પરિષદના ૧૭ માં અધિવેશન, અમદાવાદ મુકામે મહાગુજરાત' સાપ્તાહિક રૌપ્યચંદ્રક વિજેતા નિમ્ ધ
૨૦૫, ગાકુલ સેાસાયટી, વટવા રે।ડ, અમદાવાદ
૧૬૬ ]
[સામીપ્ય : કટોબર, '૯૩-માર્ચ', ૧૯૯૪
For Private and Personal Use Only