Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
. જે. વિદ્યાભવનમાં સંગૃહીત ‘ખાખીવિલાસ’ની અપ્રગટ
હસ્તપ્રતના પરિચય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામભાઈ ઠા. સાવલિયા
ભો. જે. વિદ્યાભવનમાં આવેલ પુરાવશેષ સગ્રહમાં સિક્કાઓ, શિલ્પકૃતિઓ, મૃત્યાત્રા સાથે હજરા હસ્તપ્રતોના સ ંગ્રહ સુરક્ષિત છે. જેમાં સસ્કૃત, પ્રાકૃત, અરબી, ફારસી, ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી હસ્તપ્રતાનાં વિગતવાર કૈંટલેગ પણ પ્રકટ થયાં છે. આ હસ્તપ્રત સ ંગ્રહમાં ખાખીવિલાસ' નામની ત્રણુ હસ્તપ્રતા છે. જેમાં એ મૂળપ્રત છે અને એક નકલ કરેલ છે. જેમાં પ્રથમ પ્રત પરિગ્રહણ ક્રમાંક ૬૬૧૮/૮૪૧ થી નાંધાયેલ છે. આ પ્રત ૨૬ સે.મી. લાંખી અને ૧૪ સે.મી. પહેાળી છે. જેમાં ૨૨૪૯ સે'.મી.માં લખાણ છે. ખીજી હસ્તપ્રત પરિગ્રહણ ક્રમાંક ૨૪૩૩ થી નોંધાયેલ છે. આ પ્રત ૨૭ સે.મી. લાંખી અને ૧૭ સે.મી. પહેાળી છે. જેમાં ૨૧×૧૨ સે.મી.માં લખાણ છે. જ્યારે ત્રીજી હસ્તપ્રત પરિગ્રહણુ નં. ૯૫૪ થી નાંધાયેલ છે જે મૂળ પ્રતામાંથી અમુક વિગતાની નકલ કરેલ છે. જે ૧૮ X ૧૪ સે. મી. લાંખી પહેાળી છે. આ હસ્તપ્રતાના લખાણુમાં ભાષા જૂની ગુજરાતી અને લિપિ હિંદી છે.
ખાખીવિલાસ'ના મૂળ કર્તા કેવલરામ છે. આ લેખક અમદાવાદના રાજપુર તુલસીની પાળમાં રહેતા હતા અને વડનગરના નાગર ગૃહસ્થ કેશવના પુત્ર હતા. દસ્તાવેજોમાંથી આ લેખકના વશની માહિતી મળે છે. તે મુજબ કૃષ્ણજીના પુત્ર કેવલરામ. કેવલરામના ચાર દીકરા સાભારામ, સેવકરામ, આતિરામ અને સદારામ. ઉત્તમરામ અને તેના પુત્ર નરસિંહરામ.
વિસ્તારમાં આવેલ કેટલાક હસ્તલિખિત કેશવજી તેના પુત્ર સેાભારામના પુત્ર
For Private and Personal Use Only
કેવલરામે ‘બાબીવિલાસ’ના લેખનકાર્યના આરંભ સ. ૧૮૭૫, શ્રાવણુ વદી ૨, ગુરુવારે (ઈ. સ. ૧૮૧૯, ૯ જુલાઈ-કાર્ત્તિકાદિ પૂર્ણિમાન્ત પ્રમાણે) કર્યાના નિર્દેશ છે. જ્યારે ઉત્તમરામે (કેવલરામને પૌત્ર) સં. ૧૯૨૬ (ઈ. સ. ૧૮૭૦) પેાષ વદ ૪ તે બુધવારના રાજ કેવલરામની હાજરીમાં રાધનપુરના નવાબ બિસમિલ્લાખાનની હાજરીમાં બાબીવિલાસ' ગ્રંથ પ્રગટ કરેલ અને ઉત્તમરામનું મૃત્યુ વિ. સં. ૧૯૩ (ઈ. સ. ૧૮૮૧)માં થતાં તેના પુત્ર નરસિહરામે આ કાય છે. ઈ. સ. ૧૮૯૨ સુધી ચાલુ રાખ્યું હાવાનુ જણુાય છે. આ નરસિંહરામે બાબીવિલાસની નકલ પણ કરી હોવાનું જણાય છે. ઉત્તમરામ પણ રાજપુરમાં રહેતા હતા, પરંતુ તે વિસ્તાર ઉજ્જડ થતાં સ ૧૯૦૭ (ઈ. સ. ૧૮૪૧) પોષ કૃષ્ણપક્ષ ૧૩ ના રાજ ખાડિયા વિસ્તારના હિંગળાક જોષીની પોળમાં રહેવા આવ્યા હતા.
ધ્રુવલરામને ખાખી નવાબ સેરખાન ઉર્ફે બહાદુરખાને બાખી તાબાના ગામ દીઠ ૧ કારી પેઢી ર પેઢી મહેનતાણું કરી આપેલ. તે પછી ઉત્તમરામ કવિને જોરાવરખાન જ્યારે વીસનગરની હકૂમત ઉપર હતા ત્યારે જીવાઈ માટે ગામ લખી આપેલ. પરંતુ પછીથી આ વિસ્તાર ગાયકવાડ સરકારના તાબામાં જવાથી આવકનુ કાઈ સાધન ન રહેતા નરસિંહરામે નવાબના સાલીયાણામાંથી પ્રાફા બાંધી આપવાની માંગણી કરતા પત્ર છેલ્લા નવાબ કમાલુનિખાનને લખેલ. તેની મૂળ હસ્તલિખિત પત્ર પણ સુરક્ષિત છે. * અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
. જે. વિદ્યાભવનમાં સંગૃહિત ‘ખાખીવિલાસ'ની અપ્રગટ હસ્તપ્રતનેા પરિચય]
[ ૧૯૧