Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમુચ્ચય અલંકારના એક ઉદાહરણની સમીક્ષા
પારુલ માંકડ शशी दिवसधूसरी गलितयौवना कामिनी सरो विगतवारिज मुखमनक्षर स्वाकृतेः । प्रभुधनपरायणः सततदुर्गतः सज्जना नृपाङ्गणगतः ल्याला मनसि सप्त शखानि मे ॥
નીતિશતક, ૪૫ ભહરિનું ઉપયુક્ત ઉદા. આલંકારિકોએ સમુચ્ચયના સદસઘોગ નામક ભેદ માટે આપ્યું છે. કે સમુચ્ચયના આ ભેદનું લક્ષણ બાંધતા કહ્યું છે : सदसतः शोभनाशोभनस्य तादशेन सदसता समुच्चीयमानेन योगो...
(અલંકારસર્વસ્વ, સૂત્ર-૬૭ ઉપરની વૃત્તિ) સત અસત અર્થાત (અનુક્રમે) શોભન અને અશોભન પદાર્થોને તેના જેવા જ શોભન અને અશોભન પદાર્થો સાથેનો યોગ.
- રયુકે આપેલું ઉપર્યુક્ત ઉદા. મમ્મટે પણ આપ્યું છે, એકનું સમુચ્ચયનિરૂપણું પણ મમ્મટને સામે રાખીને કરવામાં આવ્યું છે. આ ઉદા.ની પ્રથમ મમ્મટે કરેલી સમીક્ષા જોઈએ.
મમ્મટ નેધે છેअत्र शशिनि धूसरे शल्ये शल्यान्तराणीति शोभनाशोभनयोगः ।
(ક. પ્ર., સૂત્ર-૧૭૭ પરની વૃત્તિ) અહી' નિસ્તેજ ચન્દ્ર પી શલ્ય હાજર હોવા છતાં બીજા શકે છે પણ ગણાવ્યાં છે. આમ સારી માઠી વસ્તુઓ ભેગી થતાં સમુચ્ચય અલંકાર થયો છે.
ઝળકીકરે ઉદ્યોત પ્રમાણે નેધતાં જણાવ્યું છે કે અહીં શામના-મનને દ્વન્દ સમાસ ન માનતાં “મૂળે સારી પણ પરિસ્થિતિ વિશેષને કારણે ખરાબ-અશોભન થઈ ગયેલી” એમ કમધારય સમામ સમજ જ યોગ્ય છે.'
હવે ૨યક એમના અલંકાર સવવમાં આ ઉદા.ની સમીક્ષા કરતાં નોંધે છે કે અહી' ચન્દ્ર સ્વતઃ શોભન છે, છતાં પણ તેમાં દિવસને કારણે ધુસરતા આવી હોવાથી અશોભતા આવી જાય છે. આથી તે સત પણ છે અને અસત પણ છે તેને તેવા જ પ્રકારના કામિની વગેરે પદાર્થો સાથે સમૂરચય છે.
તે પછી રુક આગળ નોંધે છેनत्वत्र कश्चित्समुच्चीयमानः शोभन अन्यस्त्वशोभन इति सदसद्योगो व्याख्येयः।
અલંકારસર્વસ્વ, પૃ. ૬૦૯) સદસઘોગ શબ્દની વ્યાખ્યા એવી ન કરવી કે જે, પદાર્થોનો સમુચ્ચય કરવામાં આવે છે તેમાંથી એકને શોભન અને તેનાથી ભિને બીજાને અશોભન માનીને તેમને વેગ ક૬૫. સહાયક સાધક, લા. દ. વિદ્યામંદિર, અમદાવાદ
સમુચય અલંકારને એક ઉદાહરણની સમીક્ષા ]
[ ૧૫૧
For Private and Personal Use Only