Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan

View full book text
Previous | Next

Page 47
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રૂપક અને ઉપમા વચ્ચે સ્વરૂપસંવેદન એટલે કે શાબ્દબોધની બાબતમાં કઈ ફરક ન હોવા છતાં, રૂપકમાં તાદ્રયસંવેદન રૂપી જે ફળ છે, તેની દષ્ટિએ તે અલંકાર ઉપમાથી જુદો પડે છે. તાપ્ય સંવેદન એટલે મુખ વગેરે વિષયમાં વિયિતાવછેદક ચંદ્રવની સમ્યક પ્રતીતિ થવી. ભાવાર્થ એ છે કે ઉપમામાં કેવળ સદસ્યને બોધ થાય છે, જ્યારે રૂપકમાં સદશ્યની ઉપસ્થિતિ લાક્ષણિક ચંદ્ર વગેરે : પરથી થાય છે. વળી લક્ષણનું પ્રયોજન જ ચંદ્ર અને મુખમાં અભેદને બોધ કરાવવાનું છે. હવે પ્રશ્ન એ છે કે લક્ષણથી પ્રજાતા “તત્સદશ એ બેધમાંથી તાક્ય એટલે કે અભેદપ્રતીતિ થવામાં બે મુશ્કેલી નડે છે. પ્રથમ મુશ્કેલી એ છે કે કેઈપણ અર્થને બંધ કરાવવા માટે શક્તિ અથવા લક્ષણ જેવો ઉપાય કારણ હોય છે. અહી અભેદને બંધ કરાવવા કોઈ પદની શક્તિ નથી કે લક્ષણે પણ કામ લાગે તેમ નથી. બીજી મુશ્કેલી એ છે કે ભેદતાન અહીં પ્રતિબંધક બને છે. આમ ઉપાયના અભાવમાં. અને પ્રતિબંધક હોવા છતાં અહી: અભેદધ થાય છે, એમ જે માનીશ તે ઉપમાને નિરૂપતા “વન્દ્રયદા મુમ’ વાક્યમાં પણ અભેદબોધ થવાને પ્રસંગ આવશે. ૨. ઉપયુક્ત મતવાદી આ શંકાનું નિરસન કરતાં કહે છે કે જેમ શલેષમાં અનેકાર્થક એવા એક પના પ્રયોગમાંથી ઉપસ્થિત થયેલી વ્યંજના તે પદના ઉપસ્થિત થયેલા બંને અર્થોની અભેદપ્રતીતિ કરાવે છે. તેમ અહી પણ વન્દ્ર અને “સદા” એ અર્થોનું અભેદતાન વ્યંજના કરાવે છે. વળી વ્યંજનાથી થતા બોધમાં બાધનિશ્ચય પ્રતિબંધક બનતા નથી. હજી કોઈ શંકા કરે કે, મુખત્વવિશિષ્ટ મુખમાં ચંદ્ર તાદ્રયને પ્રત્યય કેવી રીતે થાય ? તે તેનો જવાબ આપે છે કે, “વ રમસિ રિતે વિના તાંશુમતે વાકયમાં, વિષયમાં વિષય તાક્રૂણને પ્રત્યય થાય છે, એ અનુભવની બાબત છે. પિતાની દલીલના સમર્થનમાં તે કહે છે : “વતા વયમેવૃદ્મયા સ્વતા સુધિતથા તમિત્ર તા ”િ આને અર્થ એ થાય છે કે વ એટલે કે ચંદ્ર, તેનાં તાકૂથી યુક્ત જે “વત્રતા પદાર્થ છે. તેની સાથે મુખને અભેદ છે, માટે ચંદ્રનું પણું મુખ સાથે તાદ્ય સિદ્ધ થાય છે. રસગંગાધર” પરની સંસ્કૃત ટીકા “ચંદ્રિકા'ના લેખક પં. બદરીનાથ ઝા આ બાબતને સંસ્કૃતમાં આમ સમજાવે છે. ચંદ્રતાકવાન ય: સંદરાદ્ધમેદ્રશ્ય મુવેTધે તાદ્રસ્થાપિ તત્ર સુધરવાત તમિનામિન તમન્નવનિયમાતા તેઓ વધારામાં નોંધે છે કે જગન્નાથે આ મત માટે અરચિ દર્શાવી છે, કારણ કે સ્વરૂપસંવેદનથી થતા વૈલક્ષણ્યમાં તફાવત દર્શાવી શકાતે હેય તે પછી ફલથી થતા શૈલક્ષણ્ય સુધી જવાની શી જરૂર છે? “પ્રત્યે તુ' કહીને જગન્નાથે દર્શાવેલ બીજા મતને સારી આમ છે : ચંદ્ર વગેરે પદમાંથી લક્ષણુ વડે ચન્દ્ર દશરૂપે મુખ વગેરે ઉપસ્થિત થાય છે, છતાં રૂપકસ્થલમાં, મુખ વગેરે પદોથી, મુખત્વ વિશિષ્ટ રૂપમાં ઉપસ્થિત થતા મુખ વગેરે અર્થોની સાથે, ચન્દ્ર પદાર્થને અભેદાન્વય તે ચંદ્રરૂપથી જ થાય છે. આમ ભલે અર્થની ઉપસ્થિતિ “નાદ” એ ૩૫માં થાય છે, પણ અન્વયબોધ તે “વત્રામિ મુમ્' એ રીતે ચન્દ્રવરૂપે જ થાય છે. તે કહે છે કે નદ્રારિ' પર આધારિત લક્ષણવૃત્તિનું જે જ્ઞાન છે તેને તે પદનો અવરછેદક ધર્મ એટલે કે ચદ્ધત્વ જેમાં પ્રકાર છે, તેવી જાતિના લક્ષ્યાર્થીને એટલે કે ચન્દ્રદશનો બાધ થવામાં કારણ માનીએ છીએ. ટકમાં ભાવાર્થ એ છે કે આ મત પ્રમાણે લક્ષ્યાથને શાબ્દબોધમાં મુખ્યાર્થીને અવે છેદકામ ચોક્કસપણે હોય છે. ૧૩૨ ] [સામીપ્ય : કબર, '૯૩-માર્ચ, ૧૯૯૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108