Book Title: Samipya 1993 Vol 10 Ank 03 04
Author(s): Pravinchandra C Parikh, Bhartiben Shelat
Publisher: Bholabhai Jeshingbhai Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંડિતરાજ જગન્નાથના મતે ઉપમા અને રૂપકને શાબ્દબોધ
નીલાંજના સાહ+
સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં ઉ૫માં અને રૂપક એ બંને અલંકારનું સ્વતંત્ર અસ્તિત્વ બધા જ અલંકારશાસ્ત્રીઓ સ્વીકારે છે તેમ છતાં, એ બંને વચ્ચે ઘણું સામ્ય હોવાને લીધે, તે બંને વચ્ચે રહેલા તફાવતને પિતપોતાની જ રીતે સ્પષ્ટ કરવા મથે છે. જગન્નાથ એ બંને વચ્ચે તફાવત
ન્યાયની પરિભાષામાં, શાબ્દબોધના વલક્ષી દ્વારા દર્શાવે છે, તે તેમનું આગવું પ્રદાન છે. તેમણે આ વિષયની ચર્ચા, તેમના ગ્રંથ “રસગંગાધરમાં, લક્ષણના નિરૂપણના સંદર્ભમાં કરી છે. તેથી એ વિશેની ટકી ભૂમિકા આપવી આવશ્યક છે. જગન્નાથ અભિધા, લક્ષણ અને વ્યંજના એ ત્રણ વૃત્તિઓને સ્વીકારે છે અને અભિધા અને લક્ષણોનું વિસ્તારથી નિરૂપણ કરે છે. લક્ષણાનું લક્ષણ તે નૈયાયિકાને અનુસરીને “રંગા રક્ષા' એવું આપે છે. તે અન્વયાપપત્તિને નહીં, પણ તાર્યાનુપપત્તિને લક્ષણાનું બીજ માને છે. તાત્પયનુપપત્તિ એટલે વક્તાના તાત્પયને બોધ ન થવાથી વાકષાર્થની વિશ્રાતિ થતી નથી, માટે લક્ષણની જરૂર પડે છે.
તેમણે લક્ષણના મુખ્ય બે ભેદ ર્શાવી પ્રયોજન વતી લક્ષણાના ગણી અને શુહા એમ બે પ્રકારે દર્શાવ્યા છે. તેમાં ગૌણ લક્ષણાના બે પેટા પ્રકારો સાપ લક્ષણ અને સાધ્યવત્સાના લક્ષણ દર્શાવ્યા છે. સારોપા લક્ષણોને સમજાવતાં કહ્યું છે કે, વિષાવિચિ: પ્રથયુનિટિ આપતા તત્ર ગાન (મોરેન સરિતા સારા! તેમણે ગોણી સારોપા લક્ષણના ઉદાહરણ તરીકે “મુર્ધન્ના એ રૂપકને આપ્યું છે. તેનો શાબ્દબોધ તેમણે “રદ્રદામિનં મુવમ' એવો આવ્યો છે, હવે પ્રશ્ન એ થાય છે કે, “ખવું :” એ રૂપકને લાથ “રદ્રત મુહમ્’ અને ‘ ઇ મુલમ' એ ઉપમામાં ફરક શું છે ?
આ બંનેનો શાખધ-પણ “રજદામિન’ એવા સમાન આકારને જણાય છે. અન્નાદ મુવન' એ ઉપમામાં રજ અને સંદશ પદ વચ્ચેના વિશેષણ-
વિષ્ય સંબધનું જ્ઞાન સંસગ એટલે કે સંબંધના બળથી થાય છે, જ્યારે “મુર્જ ' રૂપકમાં એક જ ર પ વડે બે અથવા અને “રદ્રત' બતાવાયા હોવાથી રૂદ્ર પદને સદા સાથે વિશેષણને સંબંધ પ્રતીત થતો નથી. આ દલીલ વડે દર્શાવાતો ફરક સંતોષકારક નથી. તેની સામે એવી દલીલ પણ કરી શકાય કે બોધ વિલક્ષણ્યના આવા નજીવા ફરકથી, જે અલકારોનું જુદાપણ સ્વીકારીશું તો “ન્દ્ર રુવ ગુણ' અને વરદા મુવમ્' એમ ઉપમાના આ બંને મેદાને પણ જુદા અલંકારો માનવાની આપત્તિ આવશે.
- આ બંને અલંકારો વચ્ચે શું કરક છે, તે પોતપોતાની રીતે દર્શાવતા ત્રણ જા મત જગન્નાથે આપ્યા છે. તે અત્ર નિત એમ કહીને જે પ્રથમ મત આપે છે, તેના મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે: * ગુજરાત યુનિવર્સિટી તરફથી ૧૯૯૧ ના ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં જાયેલ પંડિતરાજ
જગન્નાથ” પરના પરિસંવાદમાં વાંચેલ લેખ. + નિવૃત અધ્યાપક, સંસ્કૃત વિભાગ, ગુજરાત કોલેજ, અમદાવાદ
પર પંડિતરાજ જગનાથના મતે ઉપમા અને રૂ૫કને શાબ્દબોધ 1
: ૧૩૧
For Private and Personal Use Only