Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 850
________________ સર્વ વિશુદ્ધ જ્ઞાન પ્રરૂપક નવમો અંકઃ સમયસાર કળશ ૨૪૫ અર્થાત્ - ‘એક’ – અદ્વિતીય – અદ્વૈત ‘અક્ષય’ – કદી પણ ક્ષય નહિ પામતું એવું આ જગત્ ચક્ષુ’· વિશ્વનું દર્શન કરાવવા સમર્થ એવું વિશ્વનેત્ર ‘સમય પ્રાભૂત’ - સમયસાર શાસ્ત્ર ‘પૂર્ણતા’ - પૂર્ણપણું અથવા સમાપ્તિ પામે છે અને આ જગચક્ષુ આનંદમય એવા ‘વિજ્ઞાન ઘનને' - ‘અધ્યક્ષતા’ - પ્રત્યક્ષતા પમાડતું એવું છે. આ સમયસાર ખરેખર ! જગચક્ષુ જ છે. આ ‘સમયસાર' ‘જગ ચક્ષુ' વિના તો જગમાં સર્વત્ર અંધારૂં જ છે, જગમાં કાંઈ વસ્તુ દેખાય નહિ એટલે જગત્ બિચારૂં અંધારામાં ગોથાં જ ખાય છે, આ સમયસાર ‘જગ ચક્ષુ’ વિના જગત્ અંધમાર્ગમાં ચાલે છે, ઉત્પથે - ઉન્માર્ગે કુપથે – કુત્સિત માર્ગે અંધની જેમ ઠેબાં ખાતું તે કાંઈ દેખતું નથી. આ સમયસાર ‘જગ ચક્ષુ' તો સકલ જગત્ દેખાડે છે, ને જગત્માં જ્ઞાન પ્રકાશ રેલાવી સર્વ વસ્તુને પ્રકાશ પમાડે છે - પ્રકાશે છે. આ સમયસાર ‘જગ ચક્ષુ' જગમાં સાચો માર્ગ બતાવે છે, ને જગત્ને સાક્ષાત્ ‘દુષ્ટા' - દેખનારૂં કરતું સન્માર્ગે જ ચલાવે છે. આવું આ અનુપમ સમયસાર ‘જગ ચક્ષુ' રૂપ દિવ્ય ચક્ષુ તે દિવ્ય દૃષ્ટા કુંદકુંદાચાર્યજીએ જગને અર્પીને આત્મસર્વસ્વ સમર્યું છે, જે કુંદકુંદાચાર્યજીએ આ જગ ચક્ષુના સર્જનમાં આત્મવિભવ સર્વ અને ‘એકત્વ વિભક્ત આત્મા દર્શાવું' - યત્તવિહાં વાણં અપ્પો સ વિહવે' - એવી મહાપ્રતિજ્ઞા ‘તર્પી' છે - પરિપૂર્ણ પાર ઉતારી નિર્વહી છે, જે મહા જ્ઞાનદ્દાનેશ્વરી કુંદકુંદાચાર્યજીએ આ ‘સમય પ્રાભૂત’ જગચક્ષુનું જગતને ‘પ્રાતૃત’ - ભેટ અર્પી, ઋષિૠણનું તર્પણ કર્યું છે - કૈવલિ ભણિત’ સમય પ્રાભૂતનું જગને અર્પણ કરી શ્રુતકેવલિઓના ‘અન્વયને’ જ્ઞાનવંશ સંતતિને ‘ચિરંજીવ' અમૃત કરી છે. આવા આ જગચક્ષુ સમયપ્રાભૂતમાં વળી ‘આત્મખ્યાતિનું’ ‘મહાપ્રાભૂત’ ઉમેરીને તેવા જ મહાજ્ઞાનદાનેશ્વરી અમૃતચંદ્રાચાર્યજીએ આ જગચક્ષુની કાંતિમાં ઓર વૃદ્ધિ કરી છે, પરમર્ષિ કુંદકુંદાચાર્યજીનો સત્યકાર કરાવે એવા આ પરમર્ષિ અમૃતચંદ્રાચાર્યજીએ પણ કુંદકુંદાચાર્યજીની જેમ આત્મવૈભવ સર્વસ્વ સમર્પી આ જગચક્ષુની દિવ્ય પ્રભાને ઉમંગથી ઓર વધારી છે, દિવ્યદ્રષ્ટા આ મુનીંદ્ર અમૃતચંદ્રે અહીં દિવ્ય દૃષ્ટિ અર્પીને, જગચક્ષુ આ સમયસારની ખ્યાતિ આ અનુપમ આત્મખ્યાતિ'માં પ્રતિપદે - પદે પદે તર્પી છે. આવા આ દિવ્યદૃષ્ટા જગદ્ગુરુ યુગલે - કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્ય એ બે પરમ જગદ્ગુરુની જોડીએ આ ‘સમયસાર’ ‘આત્મખ્યાતિ'થી જગન્ને ઉદ્યોતિત કર્યું છે. ‘એક' અદ્વૈત આ શુદ્ધ આત્માનું ખ્યાપન કરતું દિવ્ય ચક્ષુ એવું આ જગદ્ગુરુનું જગચક્ષુ સકલ જગમાં ‘એક’ અદ્વૈત - અદ્વિતીય છે. ‘કેવળ' જ્ઞાનમય શુદ્ધ આત્માનું સાક્ષાત્ દર્શન કરતું આ ‘કેવળ જ્ઞાનમય' જગચક્ષુ સર્વ જગને સાક્ષાત્ દેખે છે. પરનું પરમાણુ પણ ન પ્રવેશે એવા સર્વ પ્રદેશે જ્ઞાનમય ‘વિજ્ઞાનઘન' ચિદાત્મા આત્માને પ્રત્યક્ષ કરતું આ દિવ્ય જગચક્ષુ સાક્ષાત્ ‘વિજ્ઞાનઘન’ એવા કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યે જગને અર્ધું છે. કદી પણ ક્ષય ન જ પામે એવું ‘અક્ષય' આ જગચક્ષુ - જગત્ સર્વ પ્રત્યક્ષ દેખે છે એવું આ મુમુક્ષુઓ સદા દેખો ! આ ‘અક્ષય નિધિ' તો અનંતકાળે પણ કદી ખૂટ્યો ખૂટે એમ નથી ભલે અનંત અનંત મુમુક્ષુઓ લૂંટાય તેટલો લૂંટે ! આ ‘અક્ષયનિધિ’ જ્ઞાનરત્નથી ભરેલો અમૃતનો દરીયો છે, અક્ષય જ્ઞાનનિધિ ભગવાન્ કુંદકુંદ ને ભગવાન્ અમૃતચંદ્રે જગત્ની પાસે ખૂલ્લે ખૂલ્લો ધર્યો છે. એવું અક્ષય નિધિ જગચક્ષુ આ ‘સમયસાર’ શાસ્ત્ર પૂર્ણ ‘આત્મખ્યાતિ’નું પાત્ર એવું જ્ઞાનપૂર્ણ આ ‘પૂર્ણ’ થયું - સમાપ્ત થયું. ‘પૂર્ણ' પ્રકાશતું આ ‘પૂર્ણ' થયું તોય આ ‘પૂર્ણ’ રહ્યું છે ! પૂર્ણમાંથી પૂર્ણ આ નીકળ્યું તોય પૂર્ણશેષ આ પૂર્ણ છે ! ભગવાન કુંદકુંદ ને ભગવાન અમૃતચંદ્રે સિંધુ સમાન શાસ્ત્રસિંધુ મંથીને આ શાસ્ત્રરૂપ પૂર્ણ કળશ પાત્રને જ્ઞાનામૃતથી પૂર્ણ ભર્યું છે. પૂર્ણ આનંદથી પૂર્ણ આનંદમય વિજ્ઞાનઘન' આ આત્માને પ્રત્યક્ષ કરતું આ દિવ્ય જગચક્ષુ આ દિવ્ય મહાત્માઓએ જગને અર્ધું છે. વિજ્ઞાનના ‘ઘન' - મેઘ વર્ષતો આ આત્મા ‘ઘન વિજ્ઞાન' છે ‘વિજ્ઞાન ઘન' છે - તેનો સાક્ષાત્ ‘વિજ્ઞાનઘન’ ભગવાન્ અમૃતચંદ્રે અત્ર - ‘અમૃત કળશ’માં ગાયો છે અપૂર્વ આત્મભાવનાથી ભાવિતાત્મપણે સંગીત કર્યો છે - - ૭૯૫

Loading...

Page Navigation
1 ... 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890 891 892 893 894 895 896 897 898 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952