Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 923
________________ સમયસાર : આત્મખ્યાતિ स्याद्वादकौशलसुनिश्चलसंयमाम्यां, यो भावयत्यहरहः स्वमिहोपयुक्तः । ज्ञानक्रियानयपरस्परतीव्रमैत्री . पात्रीकृतः श्रयति भूमिमिमां स एकः ॥२६७॥ સ્યાદ્વાદ કૌશલ સુનિશ્ચલ સંયમે જ, ભાવે સ્વને પ્રતિદિને ઉપયુક્ત જે જ; આશ્રે જ એહ ભૂમિ તેહ જ એક માત્ર, જ્ઞાન - ક્રિયાનય પરસ્પર મૈત્રી પાત્ર. ૨૬૭ અમૃત પદ - ૨૬૭ (‘ચંદ્ર પ્રભુ મુખચંદ' એ રાગ ચાલુ) સ્યાદ્વાદ કૌશલ યુક્ત... ચેતન ચિતવ રે. સુનિશ્ચલ સંયમ યોગ... ચેતન ચિંતવ રે. સ્વને નિત્ય ઉપયુક્ત... ચેતન. ભાવે જે સઉપયોગ... ચેતન. ૧ આ જ્ઞાન ભૂ આશ્રય કરે... ચેતન. અહિં તે એક જ માત્ર... ચેતન. જ્ઞાન-ક્રિયાના પરસ્પરે... ચેતન. તીવ્ર મૈત્રીના પાત્ર... ચેતન. ૨ સ્યાદ્વાદ ને સંયમ તણી... ચેતન. ભગવાન અમૃતચંદ્ર. ચેતન. અમૃત કળશે અતિ ભણી... ચેતન. સંભૂતિ સંયમ અનભવ કરે... ચેતન. ૩ અર્થ - સ્યાદ્વાદ કૌશલ અને સુનિશ્ચલ સંયમ એ બે વડે કરીને જે અહીં ઉપયુક્ત (ઉપોયગ યુક્ત) એવો સ્વને દિને દિને ભાવે છે, તે જ્ઞાન - ક્રિયાની પરસ્પર તીવ્ર મૈત્રીનો પાત્ર રૂપ કરાયેલો એક આ . ભૂમિને (જ્ઞાન ભૂમિકાને) આક્ષે છે. ૨૬૭ અમૃત જ્યોતિ’ મહાભાષ્ય “આત્મ ભાવના ભાવમાં જીવ લહે કેવળ જ્ઞાન.” - શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનીના માર્ગનું, જ્ઞાન-ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું તે જ નિર્જરાનો સુંદર માર્ગ છે.” - શ્રીમદ્ રાજચંદ્ર, અં. “ધન્ય ધન્ય તે જીવ, પ્રભુ પદ વંદી જે દેશના સુણે, જ્ઞાન ક્રિયા કરે શુદ્ધ અનુભવ યોગે હો નિજ સાધકપણે... સેવો ઈશ્વર દેવ.' - શ્રી દેવચંદ્રજી ત્યારે આ જ્ઞાનમાત્ર નિજભાવમથી જ્ઞાનભૂમિકાનો આશ્રય કરવાને કોણ સમર્થ (ligible, competent) બને છે, તેનું સાંગોપાંગ સકલ અવિકલ વિધાન આ કળશ સ્યાદવાદ કૌશલ સનિશ્ચલ કાવ્યમાં અમૃતચંદ્રજીએ પ્રકાર્યું છે - થાકાઠીશનમુનિશ્ચનસંયTખ્ય - સંયમઃ જ્ઞાનક્રિયાની તીવ્ર મૈત્રી સ્યાદ્વાદ કૌશલથી અને સુનિલ સંયમથી જે “અહરહઃ' - દિને દિને સ્વને અહીં ઉપયુક્ત’ - ઉપયોગવંત સતો ભાવે છે - : મવથત્યંદર: મિહોપયુવત:, તે એક જ્ઞાનનય - ક્રિયાનયની પરસ્પર તીવ્ર મૈત્રીનું પાત્ર કરાયેલો આ ભૂમિને આઠે છે - જ્ઞાનક્રિયાનયપરસ્પરતીવ્રમૈત્રીપાત્રીત: શ્રયતિ મૂિિામાં રસ : | અર્થાતુ અનેક અંત - ધર્મ ધરાવતી અનેકાંત વસ્તુના એક નહિ એવા “અનેક' - ભિન્ન અંત - ધર્મ રૂપ અનેકાંત દર્શાવતા સ્યાદ્વાદમાં કુશલપણારૂપ - પટ્ટપણારૂપ - નિપુણપણારૂપ સ્યાદવાદ કૌશલથી અને એમ “અનેક - એક નહિ એવા ભિન્ન ભિન્ન વસ્તુ ધર્મ રૂપ અનેકાંતને જાણીને પોતાને પર વસ્તુમાં જતાં અટકાવવા રૂપ સુનિશ્ચલ' અત્યંત નિશ્ચલ - “સંયમથી' અથવા પોતાને સ્વ વસ્તુમાંજ સંયમી રાખવા રૂપ ધારી રાખવા રૂપ અત્યંત નિશ્ચલ - “સનિશ્ચલ સંયમથી', જે “અહરહા' . દિને દિને - પ્રતિદિન “સ્વ” - પોતાને - આત્માને ૮૬૮

Loading...

Page Navigation
1 ... 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952