Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 907
________________ સમયસાર : આત્મખ્યાતિ હોય ને તે સ્વસ્થાને સ્થિત છતાં તેની સત્તા સમગ્ર પુરમાં - નગરમાં વ્યાપે, તેમ ચિતિ પુરનો રાજા આ પુરુષ' - આત્મા એક છે અને તે સ્વરૂપ સ્થાને સ્થિત છતો સમગ્ર આત્મપ્રદેશરૂપે ચૈતન્યપુરમાં વ્યાપે છે, એટલું જ નહિ પણ તે ચૈતન્ય પુરમાં બેઠો બેઠો ચિતિરૂપ દર્શન - જ્ઞાન શક્તિથી વિશ્વ વ્યાપક બને છે, સર્વભાવમાં વ્યાપક “વિષ્ણુ' બને છે. આમ આ ચૈતન્ય - “વિષ્ણુ'ની સર્વ ભાવમાં વ્યાપક એવી એક ભાવરૂપા આ વિભુત્વ શક્તિ છે. અત એવ - ૯. વિશ્વના વિશ્વ - સર્વ “સામાન્ય ભાવ પરિણામાત્મ* - સામાન્ય ભાવે પરિણામ રૂપ દર્શનમથી સર્વદર્શિત્વ શક્તિ છે. અર્થાત્ સર્વ ભાવમાં વ્યાપક એવી એક ભાવરૂપા વિભુત્વ શક્તિ છે એટલે જ વિશ્વના' - સર્વ સકલ સમગ્ર જગતના “વિશ્વ” - સર્વ - સકલ- સમગ્ર સામાન્ય ભાવે પરિણામાત્મ - પરિણામ રૂપ દર્શનમયી એવી સર્વ દેખવાપણા રૂપ સર્વ દર્શિત્વ શક્તિ છે અને અત એવ જ - ૧૦. વિશ્વના વિશ્વ - સર્વ “વિશેષ ભાવ પરિણામાત્મ” - વિશેષ ભાવે પરિણામ રૂપ જ્ઞાનમયી સર્વજ્ઞત્વ શક્તિ છે. અર્થાત્ સર્વ ભાવમાં વ્યાપક એવી એક ભાવરૂપા વિભુત્વ શક્તિ છે એટલે જ વિશ્વના - સર્વ સકલ સમગ્ર જગતના “વિશ્વ' - સર્વ - સકલ - સમગ્ર વિશેષ ભાવે પરિણામાત્મ - પરિણામ રૂપ જ્ઞાનમયી એવી સર્વ જાણવારૂપ સર્વજ્ઞ શક્તિ છે. અત એવ - ૧૧. “નીરૂપ - અરૂપી આત્મ પ્રદેશમાં પ્રકાશમાન લોકાલોક આકારથી “મેચક' - ચિત્ર ઉપયોગ લક્ષણા સ્વચ્છવ શક્તિ છે. આ સર્વ દર્શિત્વ - સર્વજ્ઞત્વ શક્તિ છે એટલે જ અત્ર સ્વચ્છત્વ શક્તિ છે. જેમ દર્પણમાં સ્વચ્છપણાની શક્તિ છે તો તેમાં સન્મુખ મૂકેલ પદાર્થના યથાવત્ આકાર પ્રતિબિંબે છે, તેમ આ કેવલ દર્શન - જ્ઞાન ઉપયોગ રૂપ “કેવલ' જ્ઞાનમય દર્પણમાં છે સ્વચ્છપણાની શક્તિ છે એટલે તેમાં લોકાલોકના સકલ આકાર યથાવતુ પ્રતિબિંબે છે, તેથી ઉપયોગ “મેચક' - ચિત્ર વિચિત્ર - રંગબેરંગી નાના પ્રકારના આકારવાળો બને છે. અત્રે શંકા થવી સંભવે છે કે આત્મા તો અરૂપી છે, તેમાં લોકાલોકના ભાવ કેમ જણાય ? તેનું સમાધાન આ સ્વચ્છવ શક્તિથી કર્યું છે. આમ “નીરૂપ” - જ્યાં કોઈ મુર્તતારૂ૫ રૂપ નથી એવા અરૂપી અમૂર્ત આત્મ પ્રદેશમાં પ્રકાશમાન લોકાલોકાકારથી મેચક - ચિત્ર ઉપયોગ લક્ષણા સ્વચ્છત્વ શક્તિ છે. અત એવ - ૧૨. સ્વયં - પોતે આપોઆપ પ્રકાશમાન “વિશદ - સ્પષ્ટ “સ્વ સંવિત્તિમયી' - સ્વ સંવેદનામથી પ્રકાશ શક્તિ છે. સ્વચ્છત્વ શક્તિ સાથે “સ્વયં” - બીજા કોઈથી નહિ પણ પોતે પોતાથી પ્રકાશમાન એવી પ્રકાશ શક્તિ પણ છે. સ્વચ્છપણું હોય પણ પ્રકાશન કરનાર પ્રકાશવા રૂપ પ્રકાશ જ ન હોય તો તે પ્રતિબિંબ કેમ ઝીલે ? તેમ જ્ઞાનમાત્ર ચિત - દર્પણ ભલે સ્વચ્છ હોય પણ તેમાં સ્વયં પ્રકાશી પ્રકાશ જ ન હોય તો તે સર્વ ભાવ કેમ ઝીલી શકે ? માટે “સ્વયં” - પોતે “પ્રકાશમાન - પ્રકાશી રહેલ એવી સ્વ - પર પ્રકાશક વિશદ' - સ્પષ્ટ - નિર્મલ ચકચકી રહેલ “સ્વ સંવિત્તિમયી' - સ્વ સંવેદનામયી - સ્વાનુભૂતિમય પ્રકાશ શક્તિ છે. અત એવ – ૧૩. ક્ષેત્ર-કાલથી “અનવચ્છિન્ન” - અમર્યાદિત - અખંડિત “ચિદ્ર વિલાસાત્મિકા’ - ચિત્ વિલાસ સ્વરૂપા અસંકુચિત વિકાશત્વ શક્તિ છે. અર્થાત્ ઉક્ત પ્રકારે લોકાલોક પ્રકાશક પ્રકાશ શક્તિ છે એટલે જ જે લોકાલોકમાં ક્યાંય સંકોચાતી નથી - કુંઠિત થતી નથી - પ્રતિહત થતી નથી એવી “અસંકુચિત - અસંકોચાયેલ - અકંઠિત - અપ્રતિહત “વિકાશ' - વિકાશવા - વિકાસવા રૂ૫ વિકાશપણું છે આમ અસંકુચિત વિકાશત્વ શક્તિ છે અને તે પણ કેવી ? અને શી રીતે ? અસંખ્ય પ્રદેશ પ્રમાણ જેનું આત્મક્ષેત્ર અને શાશ્વત સ્થિતિરૂપ જેનો આત્મકાળ કદી પણ “અવચ્છિન્ન” - ખંડિત - મર્યાદિત - કુંઠિત સંકુચિત થતો નથી પણ પૂર્ણ વિકાશિપણે સદા વર્તે છે એવા ક્ષેત્ર - કાલથી “અનવચ્છિન્ન - અખંડિત - અમર્યાદિત - અકુંઠિત - અસંકુચિત ચિમાં જ વિલાસ કરવો એ જ જેનું સ્વરૂપ છે એવી ચિદ્ વિલાસાત્મિકા આ અસંકુચિત વિકાશિત્વ શક્તિ છે. અથવા તો એમ સંપૂર્ણ લોકાલોક પ્રકાશક એવી પૂર્ણ પ્રકાશ શક્તિ છે એટલે હવે જ્યાં લેશ પણ સંકોચ - વિકાશનો અવકાશ રહ્યો નથી એવી ૮૫૨

Loading...

Page Navigation
1 ... 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952