Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 920
________________ સ્યાદ્વાદ અધિકાર: “આત્મખ્યાતિ' : “અમૃત જ્યોતિ' - ઉક્ત પ્રકારે મોક્ષાકાંક્ષી મુમુક્ષુઓને પણ શાન ભૂમિકા લાભ પ્રાપ્ત થાય છે, એટલે પછી “ત્યાં જ' - જ્ઞાનમાત્રમાં જ “નિત્યમ્ - સદાય રમણ કરતા પડ્યા રહેવાનું એવું તો દુર્વ્યસન – ખરાબ કુટેવ (1) તેઓને લાગુ પડે છે કે તેમ કર્યા વિના તેઓને ચેન પડતું નથી, એવા તો તેઓ ત્યાં – જ્ઞાનમાત્રમાં જ નિત્ય દુર્લલિત” હોય છે - “સ્વત એવ” - આપોઆપ જ “ક્રમ પ્રવૃત્ત' - ક્રમથી એક પછી એક પ્રવર્તતા પર્યાયથી અને “અક્રમ પ્રવૃત્ત - અક્રમથી યુગપતુ એકી સાથે પ્રવર્તતા દ્રવ્યગુણથી જેની અનેકાંત મૂર્તિ - અનેક “અંત' - ધર્મ સંપન્ન મૂર્તિ - આત્મા “વૃત્ત છે' - વિંટાયેલ છે - વર્તી રહેલ છે, એવા તેઓ અનેકાંતમૂર્તિઓ સાધક ભાવની ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ કક્ષાઓને સ્પર્શતા જય છે - કે જેથી સાધક ભાવના સંભવની પરમ પ્રકર્ષ કોટિ રૂપ - સાધક ભાવની પરમોત્કૃષ્ટ ઉચ્ચતમ ભૂમિકા રૂપ સિદ્ધિ ભાવનું “ભાજન” - પાત્ર તેઓ થાય છે, અથવા સાધક ભાવ થકી જેનો સંભવ - જન્મ - સમુભવ છે એવા પરમ પ્રકર્ષ કોટિ રૂપ સિદ્ધિ ભાવનું “ભાજન - પાત્ર તેઓ થાય છે, પરમોત્કૃષ્ટ સાધક ભાવ - દશા સંપન્ન થઈ સિદ્ધ દશાને પામે છે. પણ આથી ઉલટું - હે તુ નેમામંતસ્નતાને જોતજ્ઞાનમાત્રજમાવવાં મૂળમુર્તિમંતે - જેઓ આ “અન્તર્નીત' - અંતરમાં લઈ જવાયેલ - અંદરમાં સમાવેલ “અનેકાંત' - અનેક “અંત’ - ધર્મ સંપન્ન જ્ઞાનમાત્ર' - માત્ર કેવલ જ્ઞાનમય એક ભાવરૂપ ભૂમિને “ઉપલભતા નથી” પામતા - દેખતા – અનુભવતા નથી, તેઓ “નિત્ય અજ્ઞાનીઓ' - સદાય અજ્ઞાનીઓ હોતાં - “નિત્યમજ્ઞાનિનો મવંતો', જ્ઞાનમાત્ર ભાવનું સ્વરૂપથી “અભવન' - ન હોવું પરરૂપથી “ભવન' - હોવું “જ્ઞાનમાત્રમાવસ્થ સ્વરૂપેTIભવન પરરૂપે મને દેખતા, જાણતા અને અનુચરતા - “gયતો નાનંતોગનવરંત', મિથ્યાદેષ્ટિઓ, મિથ્યાજ્ઞાનીઓ અને મિથ્યાચરિત્રીઓ હોતા - “ નિદ્રયો નિજ્ઞાનિનો વારિત્રા મવંતો', અત્યંતપણે - સર્વથા ઉપાયોપેય ભાવથી ભ્રષ્ટ થયેલાઓ વિભ્રમે જ છે - અત્યંત ભ્રમણ કરે જ છે - “અત્યંતમુપાયોપેયપ્રણ વિદ્રમંત્યેવ', અર્થાતુ નથી તેઓને જ્ઞાનનો સાધક રૂપ ઉપાયભાવ પ્રાપ્ત કે નથી તેઓને સિદ્ધ૩૫ ઉપેયભાવ પ્રાપ્ત, એટલે સર્વથા ઉપાયોપેય ભાવથી ભ્રષ્ટ થયેલા તે નિત્ય અજ્ઞાનીઓ પરભાવમાં આત્મભ્રાંતિ રૂપ વિભ્રમ દશા પામી ભવભ્રાંતિ રૂપ વિભ્રમને - પરિભ્રમણને પામે જ છે. અમૃત જ્યોતિ ૮૫

Loading...

Page Navigation
1 ... 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952