Book Title: Samaysara Part 02
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 901
________________ સમયસાર : આત્મખ્યાતિ કહ્યું ? તેનો સદ્દગુરુ ભગવાન ઉત્તર આપે છે કે - લક્ષણ પ્રસિદ્ધિથી લક્ષ્ય પ્રસિદ્ધિ અર્થે - “નક્ષ પ્રસિદ્ધક્ય તફ્યુપ્રસિદ્ધયર્થ !' લક્ષણની - અસાધારણ ગુણ - ચિહ્નની પ્રસિદ્ધિ' - પ્રખ્યાતિ અથવા પ્રકષ્ટ સિદ્ધિ વડે કરીને લક્ષ્યની “પ્રસિદ્ધિ' - પ્રખ્યાતિ અથવા પ્રકષ્ટ સિદ્ધિ થાય એ અર્થે, પ્રસિદ્ધ - પ્રખ્યાત - સારી પેઠે જાણીતા લક્ષણ વડે લક્ષ્યની પ્રસિદ્ધિ થાય. - પ્રગટ ઓળખાણ થાય એ અર્થે. શાન છે તે આત્માનું “લક્ષણ” - વિશિષ્ટ ગુણ - ચિહ્ન છે, કારણકે તેનું - જ્ઞાનનું અસાધારણ ગુણપણું છે, એટલે સુપ્રસિદ્ધ એવા અસાધારણ ગુણરૂપ જ્ઞાન લક્ષણની પ્રસિદ્ધિ વડે કરીને તેના લક્ષ્યની' - તે લક્ષણના સાધ્ય આત્માની પ્રસિદ્ધિ - પ્રખ્યાતિ અથવા પ્રકષ્ટ સિદ્ધિ થાય છે. એટલે શિષ્ય પુનઃ પ્રશ્ન કરે છે - આ લક્ષણ પ્રસિદ્ધિથી શું ? લક્ષ્ય જ પ્રસાધનીય છે - તમેવ પ્રસાધનીય - લક્ષ્ય જ પ્રસાધવું - પ્રકૃષ્ટપણે સાધવું યોગ્ય છે. તેનો આચાર્ય ઉત્તર આપે છે – જેનું લક્ષણ અપ્રસિદ્ધ છે - પ્રસિદ્ધ નથી તેની લક્ષ્ય પ્રસિદ્ધિ નથી, કારણકે જેનું લક્ષણ પ્રસિદ્ધ છે તેની લક્ષ્ય પ્રસિદ્ધિ છે માટે. ત્યારે શિષ્ય વળી પૂછે છે – આપે આ લક્ષ્ય - લક્ષણ ભેદ કરીને વાત કરી તો એવું તે કયું લક્ષ્ય છે - સાધ્ય છે કે જે જ્ઞાન પ્રસિદ્ધિ વડે કરીને તેનાથી” - તે જ્ઞાનથી “ભિન્ન’ - જુદું એવું પ્રસિદ્ધ થાય છે ? તેનો ઉત્તર આપતાં આચાર્યજી વદે છે - જ્ઞાનથી “ભિન્ન’ - જૂદું - પૃથક એવું લક્ષ્ય' - સાધ્ય નથી, કારણકે જ્ઞાન અને આત્માનો દ્રવ્યપણાએ કરી અભેદ છે - જ્ઞાનાત્મનોદ્રવ્યત્વેનામે, અર્થાત્ જ્ઞાન - આત્માનો પ્રદેશભેદ નથી, જે અને જેટલા ક્ષેત્રમાં આત્મા છે તે ને તેટલા ક્ષેત્રમાં જ્ઞાન વ્યાપક છે એટલે એ બેનું પૃથકપણું છે નહિ, જ્ઞાન - આત્માનો દ્રવ્યપણે અભેદ હોઈ ભેદ પાડી શકાય એમ નથી. એટલે શિષ્ય પુનઃ પ્રશ્ન કરે છે - જે એમ છે તો પછી આ લક્ષ્ય અને આ લક્ષણ એમ લક્ષ્ય - લક્ષણ વિભાગ કેમ કરવામાં આવ્યો ? તેનો ઉત્તર આચાર્યજી આપે છે - પ્રસિદ્ધ વડે “પ્રસાધ્યમાનપણાને લીધે' - પ્રસાધાઈ રહ્યાપણાને લીધે કરવામાં આવ્યો, જે “પ્રસિદ્ધ' - પ્રખ્યાત - સારી પેઠે જાણીતું અથવા પ્રકૃષ્ટપણે સિદ્ધ છે, તે વડી કરી આનું પ્રકૃષ્ટપણે સાધવાપણું કરાઈ રહ્યું છે એટલા માટે આ લક્ષ્ય - લક્ષણ વિભાગ કરવામાં આવ્યો, કારણકે જ્ઞાન “પ્રસિદ્ધ’ - પ્રખ્યાત - પ્રકૃષ્ટપણે સિદ્ધ છે, જ્ઞાનમાત્રનું “સ્વ સંવેદનથી' . આત્માનુભવથી સિદ્ધપણું છે માટે, આબાલ ગોપાલ કોઈને પણ જ્ઞાનમાત્ર એ સ્વસંવેદનથી - સ્વાનુભવથી સિદ્ધ છે માટે – પ્રસિદ્ધ દિ જ્ઞાન જ્ઞાનમીત્રી સંવેદનસિદ્ધતાત્ | તે પ્રસિદ્ધ એવા જ્ઞાન વડે કરીને પ્રસાધાઈ રહેલો આ આત્મા તેનાથી - તે જ્ઞાનથી અવિનાભૂત એવા અનંત ધર્મનો સમુદાયમૂર્તિ છે - વિનામૂતાનંતથfસમુદયમૂર્તિરાત્મા | અર્થાત્ જ્ઞાન વિના જેનું હોવાપણું હોય નહિ એવા - તદ્ અવિનાભૂત અનંત ધર્મોનો “સમુદય' - એકી સાથે ઉદય જ્યાં છે એવી મૂર્તિ રૂપ આ આત્મા છે, જ્ઞાન વિના નહિ હોતા - જ્ઞાનથી અવિનાભૂત એવા અનંત ધર્મસમુદાયના સમુદાય રૂપ આ આત્મા છે. તેથી કરીને “જ્ઞાનમાત્ર’ કહ્યું એટલે તેનાથી અવિનાભૂત એવો તદન્તઃપાતી અનંત ધર્મસમુદય - એકી સાથે હોતો સમગ્ર (Total) ગુણસમૂહ આવી જ ગયો. એટલે આમ આત્માનું અનેક ધર્મમય અનેકાંતમયપણું અચલ અખંડ અબાધિત જ રહ્યું. તેથી “જ્ઞાનમાત્રાવતિનવતિય વૃધ્યા' - “જ્ઞાનમાત્ર પ્રત્યે અચલિતપણે “નિખાત’ - ખીલાની જેમ દઢ ખોડેલી દૃષ્ટિથી ક્રમથી - એક પછી એક એમ અનુક્રમે અને અક્રમથી - એકી સાથે પ્રવૃત્ત એવું તદ્ અવિનાભૂત' - તે જ્ઞાનથી અવિનાભૂત - તે જ્ઞાન વિના નહિ હોતું એવું “અનંતધર્મ જાત’ - અનંત ધર્મ માત્ર જે જેટલું લક્ષાય છે – લક્ષવામાં આવે છે, તે તેટલું સમસ્ત જ એક ખરેખર ! નિશ્ચય કરીને આત્મા જ છે - તત્તાવતુ સમસ્ત વૈજ: વન્તા | કારણકે “જ્ઞાનમાત્ર' ગ્રહણમાં તેનાથી અવિનાભૂત અનંત ધર્મસમુદયનું પણ ગ્રહણ આવી જ ગયું. એટલે એ અર્થે જ અત્રે “આનો - આ પ્રત્યક્ષ અનુભૂયમાન આત્માનો જ્ઞાનમાત્રતાથી વ્યપદેશ છે - કેવળ જ્ઞાનમાત્રપણે વ્યપદેશ – નિર્દેશ છે. અમૃતન ૮૪૬

Loading...

Page Navigation
1 ... 899 900 901 902 903 904 905 906 907 908 909 910 911 912 913 914 915 916 917 918 919 920 921 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952