________________ પ્રિયંકરતૃપિ ચરિ. પુત્ર પશુ પાતિપૃથિવી અમારા શ્રીદ્ધિાપર, શ્રીક્ષા મા છે ? . - " પુત્ર, પશુ, પદાતિ, પૃથ્વી, અને પ્રમદા–એ પાંચ-કુળની લક્ષ્મીને વધારનારાં થાય છે તેમજ ક્ષય કરનારાં પર્ણ થાય છે.” માટે હે સ્વામિન! હવે અહીં એક ક્ષણવાર પણ રહેવું ઉચિત નથી. આવા પ્રકારને પોતાની સ્ત્રીને અત્યંત આગ્રહ જાણીને શ્રેષ્ઠીએ નગરમાં જવાનું માન્ય રાખ્યું. કહ્યું છે કે “રાજાઓ, સ્ત્રીઓ, મૂખંજને, બાળકે, અંધજનો અને રોગીજનેને કદાગ્રહ બહુ બળવાન હોય છે. તે હવે શ્રેષ્ઠી નગર ભણી જવા માટે જેટલામાં ચાલે છે તેને વામાં તેના પગમાં કાંટે ભાગે. આવા અપશુકન થવાથી ખલના પામીને શેઠ પુનઃ તેજ ગામમાં રહ્યા. કહ્યું છે કે- છીંક થાય, બાળક વળગી પડે, ક્યાં કયાં એવા શબ્દોથી લેક પૂછે, કોટે ભાગે અને બિલાડે તથા સર્પ જોવામાં આવે એવા અવસરે ગમન કરવું શ્રેયસ્કર ન થાય.” હવે તે રાત્રિએ સૂતેલી પ્રિય શ્રીએ “ભૂમિને ખેદતાં નિર્મળ મુક્તાફળ મેળવ્યું. આવા પ્રકારનું સ્વપ્ન જોયું, એટલે તરત નિદ્રાને ત્યાગ કરીને તે સ્વપ્નને વૃત્તાંત તેણે પિતાના સ્વામીને નિવેદન કર્યો. તે સ્વપ્નાનુસારે શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે! અહીં રહેતાંજ તને. મુક્તાફળ સટશ, નિર્મળ કાંતિયુક્ત અને ગુણગણાલંકૃત એવા પુત્રની પ્રાપ્તિ થશે.” ન કહ્યું છે કે- જે સ્વપ્નમાં રાજા, હાથી, અશ્વ, સુવર્ણ, વૃષભ અને ગાય જુએ તેનું કુટુંબ વૃદ્ધિ પામે છે; વળી જે સ્પનમાં દીપ, અન્ન, ફળ, પદ્મ, કન્યા, છત્ર તથા ધ્વજ મેળવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust