________________ પ્રિયકરનુપ ચાર. હશે, જેથી તે કર્મ અત્યારે મને ઉદ્યમાં આવ્યું. પ્રિયંકર આ પ્રમાણે વિચાર કરે છે તેવામાં અશોકચંદ્ર રાજાએ કેટવાળને હુકમ કર્યો કે-“હે કેટવાળા ચારના દંડને લાયક એવા આ દુષ્ટ પ્રિયંકરને શૂળી પર ચડ.” આ પ્રમાણે સાંભળી મંત્રીએ રાજાને વિ-ન્નતિ કરી કે હે સ્વામિન ! આ પ્રિયંકરમાં આવી અઘટિત વાત કદાપિ ઘટતી નથી, એ તે મહાઉપકારી અને પુણ્યવંત છે. માટે આ સંબંધને ખુલાસે તેને પૂછો.” આ પ્રમાણે મંત્રીના કહે વિાથી રાજાએ પ્રિયંકરને પૂછ્યું કે-“હે પ્રિયંકર ! આ લક્ષ મૂલ્યવાળા હાર તે ક્યાંથી લીધે છે? શું કેઈએ તને અર્પણ કર્યો છે? અથવા કેઈએ તારે ઘેર થાપણ તરીકે રાખેલ છે? જે હોય તે સાચેસાચું કહી દે.” પ્રિયંકર બોલ્યો કે–હે સ્વામિન્ ! હું કશું જાણતો નથી, આજ પર્યત એ હાર મેં કદાપિ જોયો પણ નથી.” ', ત્યારે મંત્રી બોલ્યો કે હે રાજન! આ પ્રિયંકર ખરેખર ચોરના દંડને લાયક નથી, માટે આ બાબતમાં વિચારીને કાર્ય કરવાનું f ... सहसा विदधीत न क्रियामविवेकः परमापदां पदम् / तृणुते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः // 1 // , " લાબ વિચાર કર્યા વિના કંઈ પણ કામ ન કરવું, કારણ કે અવિવેક એજ પરમ આપત્તિનું સ્થાન છે. જેઓ વિચારીને કામ કરે છે તેમને ગુણલુખ્ય એવી સંપત્તિઓ સ્વયમેવ આવીને વરે છે.” વળી “પંડિત જેને સગુણ કે નિર્ગુણ કાર્ય કરતાં પ્રથમ તેનું પરિણામ વિવેકથી વિચારી લેવું; કારણકે અતિ ઉતાવળથી કરી નાખેલ કાર્યોને વિપાક (પરિણામ) વિપત્તિની પ્રાપ્તિ પર્યત શલ્યતુલ્ય થઇને હૃદયને બાળ્યા કરે છે. વળી તે સ્વામિન ! એને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust