________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. 23 પછી પ્રિયશ્રીને શાંત કરીને શ્રેષ્ઠીએ કહ્યું કે હે પ્રિયે! આ સંબંધમાં તારે લેશ પણ ચિંતા કરવી નહિ; માત્ર સ્વકમને વિચાર કરીને પુણ્યનું આચરણ કરવું અને દેવવચન હૃદયમાં ધારી રાખવું. કેમકે - * कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि। अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् // 1 // કરેલ કર્મને ક્ષય કડો વરસો જતાં પણ થતું નથી, પિતે કરેલ શુભાશુભ કર્મ અવશ્ય ભેગવવા જ પડે છે. " આ પ્રમાણે પિતાના સ્વામીથી આશ્વાસન પામેલી પ્રિયશ્રી દરરોજ નમસ્કારમંત્રનું સ્મરણ, ઉપસર્ગહર સ્તવની ગણના, દેવવંદન, કાયેત્સર્ગ કરણ અને પ્રતિક્રમણાદિ ધર્મકર્મ આચરવા લાગી, અને શેઠ પણ વિશેષ પ્રકારે અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. આ પ્રમાણે ધર્મકાર્ય કરતાં અનુક્રમે તેમને પૂર્વ પુણ્યનો ઉદય થયો. એકદા પ્રિયશ્રી ઘર લીંપવા માટે માટી લેવા નગરની બહાર ગઈ. ત્યાં જોવામાં તે માટી દે છે. તેવામાં તેના પુણ્યને પ્રકાશન નારું અને દારિદ્રને નાશ કરવામાં સમર્થ એવું નિધાન પ્રગટ થયું. કહ્યું છે કે –“જે પ્રાણીઓ પૂર્વ ભવમાં પુણ્યરૂપ પ્રબળ દ્રવ્ય ઉપાર્જન કર્યું છે તે પ્રાણીને સર્વ સંપત્તિઓ સત્વર પ્રાપ્ત થાય છે.” પછી વિસ્મય પામીને તે નિધાન માટીથી આચ્છાદિત કરી તરત ઘેર આવીને તે હકીકત તેણે પિતાના સ્વામીને નિવેદન કરી, એટલે શ્રેષ્ઠીએ પણ ત્યાં આવી અવલોકન કરીને તે વાત રાજાને નિવેદન કરી. પછી રાજાએ તે શેઠની સાથે પિતાના માણસે ત્યાં મોકલ્યા. તેઓએ તે નિધાન લઈને રાજસભામાં આવી રાજાની આગળ મૂક્યું. તે જોઈને રાજાએ તેની વ્યવસ્થા કરવા માટે મંત્રી તથા પુહિત વિગેરેને પૂછ્યું, એટલે તેઓએ કહ્યું કે-“હે સ્વા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust