Book Title: Priyankar Nrup Charitra
Author(s): Jinsur Muni
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ પ્રિયંકરનૃપ ચરિત્ર. એમ કહેવું કે અમે અહીં રહ્યા છતાં ત્યાં આવ્યાજ છીએ એમ સમજી લેવું. આથી સેવકે એ વધારે. આગ્રહ કરીને કહ્યું કે –“તમે નહિ આવે તો શેઠ ફરીને પણ તમને બોલાવવા અમને અહીં મેકલશે, માટે તમે અત્યારે ચાલો તે ઠીક. . આ પ્રમાણે સાંભળી બહેનો વિગેરેએ કહ્યું કે- તે અમને ફરીને બોલાવવાને આગ્રહ કરશે, એ તો અમારા જાણવામાંજ છે; પરંતુ દરિદ્રીને ઘેર ભોજન માટે જતાં લોકે અમારી મશ્કરી કરે. કહ્યું છે કે- જ્યાં અન્ન, શાક, ઘી, દહીં, દૂધ, સાકર અને તાંબૂલ જોવામાં જ ન આવતાં હોય ત્યાં સારાં ભેજનની શી વાત કરવી?” આ પ્રમાણે કહીને તે સેવકને પાછા વિદાય કર્યા, એટલે તેમણે શેઠ પાસે આવીને તેમની કહેલી બધી વાતો કહી બતાવી. છીએ તે બધું પ્રિયશ્રીને જણાવ્યું. તે સાંભળી પ્રિયશ્રી કહેવા લાગી કે - “હે સ્વામિન્ ! મોટા આદરપૂર્વક પણ તે હારી બહેન વિગેરેને બોલાવવી ઉચિત છે. કારણ કે સ્વજનસમુદાય વિના મહોત્સવ શુભ નથી. કહ્યું છે કે–વૃક્ષોથી સરોવર, સ્ત્રીથી ઘર, પ્રધાનથી રાજા અને સ્વજનોથીજ ધર્મકર્મના મહોત્સવે શોભા પામે છે. આ પ્રમાણેની પ્રેરણાથી શ્રેષ્ઠીએ પુનઃ પિતાના સેવકને તેડવા મેકલ્યા. તેઓએ ત્યાં જઈને તે હેને વિગેરેને બહુમાનપૂર્વક નિમંત્રણ કર્યું, એટલે તેમણે તે માન્ય રાખ્યું. મે કહ્યું છે કે “ગુણવંત જનો ક્ષણવિનશ્વર એવા ભોજનને જતા નથી, , પણ સ્વજનના નિરંતરના આદરને જ જુએ છે. પછી તેની બધી "હેનો વિવિધ અલંકારો ધારણ કરીને મેટા આડંબરપૂર્વક પ્રિય* શ્રીને ઘેર આવી, પણ ભાઈઓ લજજાના માર્યા આવ્યા નહિ. પછી પ્રિયશ્રીએ સ્વાગત પ્રશ્નપૂર્વક તેમને સ્થાન આસનાદિકથી અત્યંત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100