Book Title: Prachin Bharat Varsh Part 02
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Shashikant and Co

View full book text
Previous | Next

Page 16
________________ વાની મતલબ એ છે કે, જ્યાં ને ત્યાં નવી હકીકત રજુ કરતાં, આખાએ પુસ્તકમાં સમયાવળી અને સાલવારીની મદદ વડે જ હું કામ લેતે ગયો છું. એટલે મારાં નિર્ણય કે અનુમાને અન્યથા ઠરાવવાનું કેઈને પણ સુતર થઈ પડે તેમ છે. તેમને અન્ય પુસ્તકના અભ્યાસની પણ વિશેષ જરૂર રહેતી નથી. બાકી કેટલાક મનુષ્યને એ સ્વભાવ જ પડી ગયો હોય છે કે, પોતાની માન્યતા ઉપર કાંઈક નવીન પ્રકાશ પડતાં જ હે હા કરવા મંડી પડે છે. તે રીતે સારી કહેવાય કે કેમ, તેને જવાબ તે વાચક જ આપશે. પાંચમી વાત-કેઈક ભાઈ એમ પણ દલીલ કરી શકશે કે લેખક પોતે જૈન ધર્મનુયાયી હોઈને પિતાના ધર્મના પ્રચારક તરીકેનું કાર્ય હાથ ધરી બેઠો છે. તેમને જણાવીશ કે તેમનું અનુમાન જ પ્રથમ દરજજે તે ખોટું છે, કેમકે ઈતિહાસકારને પક્ષપાતી બનવું પિષાય જ નહીં. તેમના વિચાર માટે એક લેખકના ઉદ્ગારે અત્ર રજુ કરીશ - ઇતિહાસકા કાર્ય સત્ય ઘટના કે પ્રગટ કરતા હૈ સત્ય ઈતિહાસ હી સજીવ ઈતિહાસ હૈ ઔર યહી ઈતિહાસ અને ઉદ્દેશ્યમેં સફલ હતા હૈઈતિહાસકે ભૂલકર કેઈભી રાષ્ટ્ર યા જાતિ જીવિત નહીં રહ સકતી પક્ષપાત ઈતિહાસકા શત્રુ હે” એક બીજા ગ્રંથકાર જણન્ને છે કે ” બીના જૈન ગ્રંથકા અધ્યયન કિયે, ભારતવર્ષ કા પ્રમાણિક ઈતિહાસ નહીં લિખા જા સકતા હૈ “ જો કે આ પ્રમાણે વસ્તુ સ્થિતિ છે. છતાં ઇતર ધમીઓ તરફથી બહાર પડતાં પુસ્તક નીહાળીશું તે તેમાં શું હોય છે? પિતપતાના ધર્મની મહત્તા જ ગાઈ હોય છે કે નહીં ? અલબત્ત, તે પુસ્તકો ઐતિહાસિક ન હોવાથી, ગમે તેવી વાતે તેમાં લખી શકાય અને ચાલી પણ જાય; પણ તે સ્થિતિ તેમને તથા રાષ્ટ્ર હિતને નુકશાનકારક જ છે. તેને બચાવ કરે રહેતું નથી. જ્યારે ઈતિહાસમાં તે નર્યું સત્ય જ આલેખાતું હોવાથી, તેમાં કઈ જાતની ચરમપિષી, ધમધતા કે ધર્માભિમાન પિષી શકાય જ નહીં. તેમાં તે કઠોર અને કડવું હોય, છતાંયે સત્ય જ કહેવું પડે છે. લેખકે માત્ર એટલી જ સંભાળ રાખવી જોઈએ, કે પિતાના વિચારો રજુ કરતાં, લેખિની ઉપરને સંયમ વિસરવો ન જોઈએ; તેમ કઈ ભાઈની ધાર્મિક લાગણી દુઃખાઈ જવી ન જોઈએ. (એમ તે આ બીજા વિભાગમાં કેટલીયે વાતે બૌદ્ધ ધર્મના ઈતિહાસ વિશે જણાવવી પડી છે, કે જે અત્યારે પ્રચલિત છે તેના કરતાં તદ્દન બીજી જ દિશામાં લઈ જનારી નીવડવા વકી છે.) આવા પ્રયત્નમાં હું કેટલે દરજજે સફળ થયો છું, તે વાચક વર્ગ જ કહી શકે. તેમ આ પુસ્તકના અંતે સર્વે અભિપ્રાયનું જે તારણ, તેના મૂળ શબ્દોમાં જ રજુ કર્યું છે તે ઉપરથી, પણ ખ્યાલ કરી શકાશે. જે જે વિષયનું પુસ્તક, તેમાં તેમાં પંકાતા કઈ વિદ્વાનના હાથે, પુસ્તકને આમુખ લખાવવાની પ્રથા વધારે વ્યાજબી છે, પ્રશંશા પાત્ર છે અને આદરણીય પણ છે. જેથી કરીને બિચારો લેખક, ચારે તરફથી આવી પડતી ટીકાઓની ઝડીઓના મારથી બચી જાવા પામે છે. તેમાંયે ખાસ કરીને ઉગતા લેખક માટે તે આવા પ્રકારને આસુખ એક મજબૂત ઢાલ સમાન જ નીવડે છે. મારે તે માર્ગ તરફ વળવાની ઈચ્છા કેટલેક અંશે હતી પણ ખરી. પણ બે ચાર નિષ્ણાત પાસે જતાં, કે જાણે શાં કારણથી-કે પછી તેમનાં મનમાં એમ ઉગી આવ્યું હોય, કે તેમ કરવા જતાં

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 ... 532