Book Title: Paap Padal Pariharo Author(s): Prashantvallabhvijay Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ આ માટે ‘શ્રી સંવેગ રંગશાળા' નામના સંવેગ-વૈરાગ્ય માટે ઉત્કૃષ્ટ કોટિના કહી શકાય એવા ગ્રંથમાં અઢાર પાપસ્થાનકો કથાનકો સહિત બતાવ્યા છે. દરેક પાપની ભયંકરતા વિસ્તારથી વર્ણવી છે, અને છોડવાના લાભ પણ બતાવ્યા છે. પંન્યાસ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી ગણિવરે “શ્રી ફુલક સમુચ્ચય''નું પ્રકાશન કરી એક સુંદર કાર્ય કર્યુ છે. આ અઢાર પાપસ્થાનકોની ગાથા + અનુવાદનું સંકલન કરી વધુ સુંદરતર કાર્ય કર્યુ છે . સંકલનનું સંશોધનના નામે જે સ્વાધ્યાયનો મને લાભ મળ્યો એનો આનંદ તો છે જ, આત્મસમાધિ માટે પાપસ્થાનકોના ત્યાગનું વિવરણ જાણવું ખૂબ જરૂરી છે એવો અનુભવ પણ થયો. અલબત્ત અનુવાદ ટૂંકાટૂંકા સરળ વાક્યો રૂપે થયો હોત તો વધુ લાભ થાત એમ મને લાગે છે. છતાં આ પણ માત્ર સ્વાધ્યાય માટે જ નહીં, પાપોથી બચવા આત્મજાગૃતિ માટે પણ અત્યંત ઉપયોગી સંકલન છે એવું અવશ્ય સંવેદન થાય છે. જિનાજ્ઞા વિરૂદ્ધ લખાણ-સંશોધનાદિ થયા હોય, તો મિચ્છામિ દુક્કડમ્... ભાદરવા વદ-૮, વિ.સં. ૨૦૬૨ શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દેરાસર પાર્લા (પૂર્વ), મુંબઇ. Jain Education International પંન્યાસ અજિતશેખરવિજય For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 128