Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 23
________________ નયમાર્ગદર્શક ( ૧૭ ) “ભદ્ર નયચંદ્ર, એવા સત્ પદાર્થને શાસ્ત્રકારે દ્રવ્ય કહે છે, નયચંદ્ર પ્રશ્ન કર્યો-મહારાજ, સત્ શબ્દને અર્થ સમજવામાં આ પણ તે સના અર્થને દર્શાવનાર દ્રવ્ય શબ્દ મારા સમાજ વામાં આવતું નથી તે કૃપા કરી તે દ્રવ્ય શબ્દનો અર્થ સમજાવે. આનંદસૂરિ આનંદ પામી બોલ્યા,--ભદ્ર, જે પિતાપિતાના પ્રદેશ ના સમૂહવડે અખંડ વૃત્તિથી સ્વભાવ તથા વિભાવના પર્યાયને દવે એટલે પાસ થાય છે, પ્રાપ્ત થશે અને પ્રાપ્ત થયેલ છે, તે દ્રવ્ય કહેવાય છે, તેને માટે તેવાજ અર્થને બતાવનારી દ્રવ્ય શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે– _ “निजनिजप्रदेशसमूहैरखंमवृत्या स्वनावविनावपर्यायान् द्रवति द्रोष्यति अदुद्रवत् इति द्रव्यं " વળી તેનું લક્ષણ એવું પણ છે કે, “જુuપાવર ” જે ગુણ પર્યાયવાળું હોય, તે દ્રવ્ય કહેવાય છે. જે વસ્તુ ત્રણ ત્રણ ૫ર્યાય પ્રાપ્ત કરે અથવા છેડે અથવા પિતાના પર્યાયવડે પ્રાપ્ત થાય અને થવા મુક્ત થાય તે દ્રવ્ય કહેવાય છે. દ્રવ્ય શબ્દમાં દુ શબ્દ મૂળ છે. દુ એટલે સત્તા તેને અવયવ અથવા વિકાર તે દ્રવ્ય કહેવાય છે, એટલે મહાસત્તાની અવાંતર સત્તારૂપ વસ્તુ તે દ્રવ્ય કહેવાય છે. તે દ્રવ્યમાં રૂપ, રસાદિ ગુણ એ ત્રણને સમૂહ હોય છે. તેમજ તે દ્રવ્ય ભૂતકાળના પર્યાયથી અને ભવિષ્યકાળના પર્યાયથી પણ હોઈ શકે છે. રાજાને કુમાર ભવિષ્યના રાજ્ય પર્યાયથી ભાવી પર્યાયવડે દ્રવ્ય રૂપ છે. ઘીને ઘડે અંદર ઘી ન હોય તે ભૂતકાળના પર્યાયથી અનુભૂ ત ઘીના આધાર પર્યાયે દ્રવ્ય કહેવાય છે. સૂરિવરના આ શબ્દ સાંભળો શંકાશીલ નયચંદ્ર શંકા લાવી ને બે –ભગવન, આપના કહેવાથી દ્રવ્યનું સ્વરૂપ મારા સમજ વામાં આવ્યું છે, પણ આ શંકાશીલ શ્રાવકના મનમાં એક શંકા ઉ. ત્પન્ન થઈ છે, જો આજ્ઞા હેતે પ્રગટ કરું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90