________________
યાત્રા ૪ થી.
ભામણિ સૂર્યના કિરણાની રક્ત પ્રભા સિદ્ધગિરિના ૫વિત્ર પ્રદેશ ઉપર પડતી હતી. તે પ્રભાને લઇને તે ગિરિરાજ કનકગિરિના જેવા દેખાતા હતા. ઉંચા શિખરેને લઈને એક તરફ છાયા અને બીજી તરફ તડકે
એવી રીતે ગિરિરાજની મનેાહર રચના દેખાતી હતી. જિનાલયેામાં થતા ઘટા નાદના ધ્વનિએથી તીર્થરાજની ગુફાએ પ્રતિધ્વનિત થતી હતી.
પૂજા
આ વખતે નયચંદ્ર પેાતાના કુટુંબ સાથે આદિનાથ પ્રભુની ભક્તિ કરવાને ગિરિરાજના શિખર ઉપર ચડતા હતા. માર્ગમાં આવતા પૂર્વના ઐતિહાસિક સ્થાનોને જોઈ સુબાધા પોતાના જિજ્ઞાસુ પુત્રને તે તે સ્થલના ચમત્કારી પૂર્વ વૃત્તાંતેાની વાર્તાઓ કરતી હતી, તે સાંભળી શ્રાવક કુમાર જિજ્ઞાસુ હૃદયમાં આનંદ પામી ઉત્તમ પ્રકારની ભાવના ભાવતા હતા.
આજ વખતે પવિત્ર મહાનુભાવ આનદસૂરિ પેાતાના શિષ્ય પરિવાર સાથે ચાત્રા પૂર્ણ કરી પાછા ફરતા હતા. સૂરિવર વાવૃદ્ધ હતા, તથાપિ પરીષહુ સહુન કરવાનું મહાન્ સામર્થ્ય ધારણ કરતા હતા. તેઓને પ્રાતઃકાલે વહેલા ઉઠી આવશ્યકાદિ નિત્ય ક્રિયા કરી યાત્રા પૂર્ણ કરી પાછા ફરતા જોઈ નયચંદ્ર, સુખાધા અને જિજ્ઞાસુ સાનદાઘ્ધ થઈ ગયા હતા. તી માર્ગોમાં સૂરિવરને વંદના કરી ધર્મલાભ આશીષ લઇ તે શ્રાવક કુટુંબ ઉતાવળું આદીશ્વર પ્રભુના મંદિર પાસે આવી પહેાચ્યુ... અને ત્યાં પૂજાભક્તિ વિગેરે કરી નિત્ય પ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com