________________
-
-
-
-
-
- - ૧/
v
-v1
w
( ૬૨ ) નયમાર્ગદર્શક છે, તે પણ પોતાની પાસે છે તે પાંચમા શબ્દનયને મતે છે, જે અનં. ત ચતુષ્ટયરૂપ લક્ષ્મી પ્રગટ કરી છે, તે પણ પિતાની પાસે છે તે છેઠે સમભિરૂઢ નય છે. સિદ્ધ પરમાત્મા અષ્ટકર્મને ક્ષય થતાં . ગુણ પ્રગટ કરી લેક અંતે વિરાજમાન વર્તે છે, તે એવભૂતનય ને મત છે, એવી રીતે સિદ્ધના સ્વરૂપમાં અંતરંગ દષ્ટિએ જોતાં કાર્ય રૂપ સાતે નય પ્રાપ્ત થઈ શકે છે, અને ઉપરથી વ્યવહાર દ્રષ્ટિએ જોતાં તે એક એવભત આવી શકે છે.
ભદ્ર નયચંદ્ર, આ પ્રમાણે જુદી જુદી રીતે સાતનયની જના થઈ શકે છે, આ વાત તમારા હૃદયમાં સ્થાપિત કરી તેનું મનન કરજો.
આ વખતે જિજ્ઞાસુએ પ્રશ્ન કર્યો–ભગવન, એ સાત નયની ઘટના કયા પદાર્થ ઉપર લગાડવી ઉત્તમ છે? અને તેમાંથી કઈ કઈ બાબત જાણવા મેગ્ય છે, તે કૃપા કરી સમજાવે.
સૂરિવર આનંદ પૂર્વક બેલ્યા–ભદ્ર, પ્રથમ તે છ દ્રવ્યમાં સાતે નય ઘટાડવા જોઈએ. જેમકે આકાશ પ્રદેશ છે, તેની અંદર સાતે નય પ્રવર્તે છે. આકાશ પ્રદેશ એક છતાં નૈગમનયના મતે તે છે દ્રવ્યથી મિશ્રિત છે. સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય અપ્રદેશ છે, કારણકે, સર્વ લેકમાં તેને એક સમય વ્યાપી રહેલો છે, તેથી તે આકાશ પ્રદેશમાં કાલ જુદે નથી, માટે સંગ્રહ નયને મતે એક કાલ દ્રવ્ય વિના બાકીના પાંચ દ્રવ્યને એ પ્રદેશ કહી શકાય છે. તથા વ્યવહારનયને મતે જે દ્રવ્ય એમાં મુખ્ય દેખાય છે, તે દ્રવ્યને એ પ્ર. દેશ કહેવાય છે, તથા જુસૂત્રનયને મતે જે સમયે જે દ્રવ્યને ઉપયોગ આપી પુછાય તે સમયે તે પ્રદેશ તેજ દ્રવ્યને કહેવાય છે.
જિજ્ઞાસુ-ભગવન તે વાત મારા સમજવામાં આવી નહીં, માટે તે બરાબર દાખલો આપી સમજાવે.
સુરિવર–ભદ્ર જિજ્ઞાસુ, સાંભળ-જે ધર્માસ્તિકાયને ઉપયોગ આપી પુછવામાં આવે, તે તે ધર્માસ્તિકાયને પ્રદેશ કહેવાય છે, અને જે અધર્માસ્તિકાયનો ઉપયોગ આપી પુછીએ, તે તે અધર્માસ્તિકાયને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com