________________
નયમાર્ગદર્શીક
( ૩૯ )
ઘણીજ ઉપયાગી આ ગાથા તમે યાદ કરી છે. ભદ્ર નયચંદ્ર અને વત્સ જિજ્ઞાસુ, તમે પણ આ ગાથા યાદ કરી લેજો.
આ પ્રમાણે કહી સૂરિવરે પોતાનું વ્યાખ્યાન આગલ ચલાવ્યું, હે ભવ્ય આત્માએ, એ ઉપર કહેલ પર્યાય જેમનુ અર્થ–પ્રયાજન હોય તે પર્યાયાર્થિક નય કહેવાય છે, તે નયના છ પ્રકાર છે. પહેલા અનાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ખીને સાદિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક, ત્રીજોઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુદ્ધ પર્યાયાથિક, ચાથેા સત્તા સાપેક્ષ નિત્ય અશુદ્ધ પર્યાયાર્થિક, પાંચમા કમાપાધિ નિરપેક્ષ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક અને છઠ્ઠો કોપાધિ સાપેક્ષ અનિત્ય અશુદ્ધ પર્યાયાર્થિકક-આ છ પ્રકાર પર્યાયાર્થિક નયના કહેવાય છે, તે છ પ્રકારના નયના દૃષ્ટાંત સાથે અર્થ સમજાવું, તે તમે ધ્યાન દઈને સાંભળો-મેરૂ પર્વત વિગેરે સ્થાનામાં પુદ્દલના પ્રવાહ અનાદિ અને નિત્ય છે. અસંખ્યાત કાલે તે પુઙેાના પરસ્પર સ‘ક્રમ થયા કરે છે, પણ તેમનુ' સંસ્થાન તે તેનુ તેજ રહે છે, એવી રીતે રત્નપ્રભા વિગેરે પૃથ્વીના પર્યાય પણ જાણી લેવા. તેવી રીતે જે જાણવું, તે અનાદૃિ નિત્ય શુદ્ધ પર્યાયાર્થિક નય કહેવાય છે.
જે સિદ્ધના જીવ છે, તેના પર્યાય આદિ છે, કારણ કે, જ્યારે સર્વ કર્મીના ક્ષય થાય છે, ત્યારે સિદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે, તેથી તે આદિ થયા પરતુ તેના અંત નથી, માટે તે નિત્ય છે, આમ માનવું, તે સાનૢિ નિત્ય શુધ્ધ નામે બીજો પર્યાયાર્થિક નય કહેવાય છે. દરેક સમયે સમયે પર્યાય વિનાશી અને જ્યારે તે વિનાશી થયા તા સમયે તેના ઉત્પાદ પણ થવાનાજ; પર'તુ તેમની ધ્રુવતા ( સ્થિરતા ) ગાણુતાથી દેખાતી નથી, તેમ માનવું, એ સત્તાની ગણતાથી ઉત્પાદ વ્યય ગ્રાહક અનિત્ય શુધ્ધ નામે ત્રીજો પર્યાયાર્થિક નય કહેવાય છે.
એક સમયમાં પર્યાય ઉત્પાદ, વ્યય અને ધ્રુવ—એ ત્રણેથી રૂ 'ધાએલ હાયછે; પરંતુ પર્યાયનું શુદ્ધ રૂપ કયુ' કહેવાય કે જે તેની સત્તા ન દેખાડાય, પણુ અહીં તે મૂલ સત્તા દેખાડી છે, તેથી પર્યાય અણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com