Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 63
________________ નયમાર્ગદર્શિકા ( ૫૩ ) સમભિરૂઢનયનું યથાર્થ સ્વરૂપ મારા સમજવામાં આવ્યું છે. નયચંદ્ર–સૂરિવર્ય, આ સમભિરૂઢનય ઉપરથી મને ઘણે વિલક્ષણ બંધ થઈ આવ્યું છે. મારા શંકાશીલ સ્વભાવને લઈને કેઈ કોઈ શબ્દાર્થ સમજવામાં મને ગુંચવડ પડતી હતી, તે હવે કદિ પણ પડશે નહીં. સૂરિવર પ્રસન્ન થઈને બોલ્યા–ભદ્ર નયચંદ્ર, હવે સાતમા એવંભૂતનયનું લક્ષણ કર્યું, તે તમે ઉપગ રાખી સાંભળે–પર્યાયાર્થિક નયને ચે ભેદ અને બધા નયને સાતમે નય એવંભૂતનય કહેવાય છે, પરંત એ નયને શબ્દાર્થ એ છે કે, “વ” એટલે એવી રીતે ઝૂત એટલે પ્રાપ્ત હોવુ,“તે પૂત કહેવાય છે. અર્થાત્ પૂર્વ ધિં નૂતે એવી રીતે શું થયું, ? એમ દર્શાવવું, તે એવભૂત નય છે. જે પદાર્થ ક્રિયાવિશિષ્ટ પદથી કહેવાતે હેય, તે ક્રિયાને કઓં જે પદાર્થ તે એવંભૂતનય કહેવાય છે. એ નય એવંભૂત વસ્તુને પ્રતિપાદક છે, તે છતાં તેને ઉપચારથી એવભૂત કહે છે. અથવા જ શથી ચેષ્ટા–ક્રિયા વગેરે પ્રકાર લેવાય છે અને તદ્વિશિષ્ટ વ સ્તુને જે સ્વીકાર તે પણ એવભૂતનયામાં આવે છે. એટલે ઉપચાર વિના પણ તેની વ્યાખ્યા થઈ શકે છે. શબ્દ અને તેને અર્થ–તે બં નેને નિયતપણે સ્થાપન કરે ત્યાં એવભૂતનયની પ્રવૃત્તિ છે. જેમકે, ઈદ એ શબ્દમાં ‘પદ ધાતુ છે, અને તેને અર્થ ચેષ્ટા કરવી થાય છે, એટલે જે સ્ત્રીના મસ્તક ઉપર આરૂઢ થઈ ચેષ્ટા કરે તે ઘટ કહેવાય છે. જે ચેષ્ટા ન કરે તે ઘટ પદને વાચ–અર્થ નહીં. જે ઘટએ પદને વાચક શબ્દ ચેષ્ટા રહિત હય, તે ઘટ કહેવાય નહીં. અને ઘટને વાચક શબ્દ પણ નહીં. આ પ્રમાણે જે માનવું, તે સાતમે એવભૂતનય કહેવાય છે. ભદ્ર નયચંદ્રક, આ પ્રમાણે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ અને પર્યાયાર્થિકના ચાર ભેદ મલી સાત નય કહેવાય છે. એ સાતે નયનું સ્વરૂપ મેં તમને દર્શાવ્યું છે, દરેક વસ્તુના સ્વરૂપને પ્રતિપાદન કરવામાં એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90