Book Title: Nay Margdarshak Yane Sat Naynu Swarup
Author(s): Jain Atmanand Sabha
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 33
________________ નયમાર્ગદર્શક. ‘ ( ૨૩ ) તેથી જાય, જો એકાંત અભેદ માને તા સર્વ પદાર્થ એક રૂપ થઈ જાય, આ દ્રવ્ય છે, આ દ્રવ્યના ગુણ છે અને આ દ્રવ્યના પર્યાય છે, એવા વ્યવહારમાં વિરોધ આવી જાય અને તે વિરોધને લઈને દ્રવ્યના પણ અભાવ થઈ જાય. જો દ્રવ્યને એકાંતે ભવ્ય સ્વભાવી માનવામાં આવે તેા સ દ્રવ્ય પરિણામી થઇ બીજા દ્રવ્યના રૂપને પ્રાપ્ત કરે અને તેમ કરવાથી સ ́કર વિગેરે દૂષણા દ્રવ્યને લાગુ પડી જાય. જો દ્રવ્ય એકાંત અભવ્ય સ્વભાવી મને તો સવ થા શૂન્યપણુ ના પ્રસ`ગ આવે, જો દ્રવ્યને પ રમભાવસ્વભાવી ન માને તા દ્રવ્યની અંદર પ્રસિદ્ધરૂપ શી રીતે આપી શકાય ? કારણકે અનંત ધર્માત્મક વસ્તુને એક ધર્મથી કહેવી તેનુ' નામ પરમભાવ સ્વભાવ કહેવાય છે, તેની અંદર ખાધ આવી જાય, જો દ્રવ્યને એકાંત ચૈતન્ય સ્વભાવ માને તે સ વસ્તુ ચૈતન્યરૂપ થઇ જાય, અને તેમ થવાથી ધ્યાન, અને ધ્યેય, જ્ઞાન અને રોય, ગુરૂ અને શિષ્ય, વિગેરે મર્યાદાના ભંગ થાય, એમ થવાથી સ શાસ્ત્રીય વ્યવહાર અંધ પડી જાય. જો દ્રવ્યના એકાંત અચેતન સ્વભાવ માને તે સ ચૈતન્ય ધ ના ઉચ્છેદ થઇ જાય, જો દ્રવ્યને એકાંત મૂત્ત્તરવભાવી માને તે આત્માને મુક્તિની સાથે વ્યાપ્તિજ ન થાય, જો એકાંત અમૂત્તસ્વ ભાવી માને તેા આત્મા કઢિપણ સંસારી થાયજ નહીં, જો દ્રવ્યને એ કાંતે એક પ્રદેશ સ્વભાવી માને તે અખંડ રિપૂર્ણ આત્મા અનેક કાના કોં નહીં થઈ શકે. જેમ માટીના ઘડા અવયવવાળા છે, તે દેશથી ક’પવાળા અને દેશથી નિષ્કપ દેખાયછે. તે તેને અનેક પ્રદેશી ન માનવાથી એ વાત શી રીતે સિદ્ધ થશે ? કર્દિ જો એમ કહેા કે, તે ઘડાના અવયવ ક`પે છે, પણ પાતે અવયવી ઘડાક‘પતા નથી તે ‘ચાલે છે’ એ પ્રયાગ શી રીતે સિદ્ધ થાય? જેમ એક પ્રદેશમાં થતા કપના પર’પરાએ સંબધ છે, તેમ એક દેશમાં થતાં કપના અભાવના પણુ પરપરાએ સંબંધ છે, માટે દેશથી ચાલે છે અને દેશથી ચાલતે નથી. એમ અસ્ખલિત વ્યવહારમાં અનેક પ્રદેશ માનવા જોઇએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90