________________
નયમાર્ગદર્શક ( ૧૭ ) ૨ દર્શન, ૩ સુખ, ૪ વીર્ય, ૫ સ્પર્શ, ૬ રસ, ૭ ગંધ, ૮ વર્ણ, ૯ ગતિ હેતુત્વ, ૧૦ સ્થિતિહેતુત્વ, ૧૧ અવગાહન હેતુત્વ, ૧૨ વર્ત ના હેતુત્વ, ૧૩ ચેતનત્વ, ૧૪ અચેતનવ, ૧૫ મૂર્તત્વ અને ૧૬ આ મૂર્તવ એ સોળ દ્રવ્યના વિશેષ ગુણે કહેવાય છે. તેઓમાં જ્ઞાન, દર્શ ન, સુખ, વીર્ય, ચેતનત્વ અને અમૂર્તત્વ એ છ ગુણ જીવના છે. સ્પ શં, રસ, ગંધ,વર્ણ, અચેતત્વ અને મૂર્તવ–એ છે ગુણ પુદ્ગલના છે. ગતિ હેતુત્વ, અચેતન અને અમૂર્તત્વ--એ ત્રણ ગુણ ધમસ્તિ કાયના છે. સ્થિતિ હેતુત્વ, અચેતનત્વ અને અમર્તત્વ–એ ત્રણ ગુ. ણ અધર્માસ્તિ કાયના છે. અવગાહન હેતુત્વ, અચેતન અને અમૂર તૈ– એ ત્રણ ગુણ આકાશસ્તિ કાયના છે. વર્તમાહેતુત્વ, અચેતનત્વ અને અમૂર્તવ એ ત્રણ ગુણ કાળના છે. તે સેળ ગુણમાં જે છેલ્લા ચાર ગુણ છે, તે સ્વજાતિની અપેક્ષાએ સામાન્ય ગુણ અને વિજાતિની અપેક્ષાએ વિશેષ ગુણ થાય છે.
નયચંદ્ર હર્ષસહિત બોલ્ય–“મહાનુભાવ, સૂરિવર્ય, આપની વાણીથી મારા હૃદયમાં પ્રકાશ પડતે જાય છે અને શંકારૂપ અને ધકાર દૂર થતું જાય છે. ભગવાન , હવે સાતનયનું સ્વરૂપ ક્યારે સમજાવશે? મને તે જાણવાની ઘણું ઈચ્છા છે. આપની અમૃતમય વાણું સાંભળવાને હૃદય અતિ આતુર થયા કરે છે.
સૂરિવરે સાનંદવાને જણાવ્યું, “શ્રાવકજી, તમે હજુ માત્ર દ્રવ્ય અને તેના સામાન્ય અને વિશેષ ગુણ જાણ્યાં છે, પણ હજુ એક બાબત જાણવાની છે, તે જાણ્યા પછી સાતનયનું સ્વરૂપ સહેલાઈથી તમારા જાણવામાં આવી શકશે. નયચંદ્ર-મહારાજ, તે કઈ બાબત જાણવાની બાકી છે? તે કહે.
આનંદસૂરિ–હવે કઈ બાબત જાણવી જોઈએ? એ તમેજ કહે જોઈએ. જો તમે એ બાબત માત્ર નામથી જ કહેશે, તે મને ઘણે સંતોષ થશે.
નયચંદ્ર-ગુરૂવર્ય, એ બાબત મારા સ્મરણમાં આવતી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com