Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 31
________________ કુંભારીયા ધનપ્રાપ્તિ વિમળશાહે ચંદ્રાવતી આવ્યા બાદ લડાઈમાં ઘણું ધન પ્રાપ્ત કર્યું અને તે પ્રમાણે ખરચ પણ ઘણે કર્યો. તેણે ભાટ, ચારણ, માગણને પણ દાન-શિરપાવ આપી રાજી કર્યા. આ પ્રમાણે ધનને વ્યય થતા તદુપરાંત વિમળશાહની પત્ની પણ તેમના પતિની ગેરહાજરીમાં દાનને પ્રવાહ ચાલુ રાખતી. વિમળશાહ એક પ્રસંગે અબૂ ગએલા. તે સમયે પાંચ સો ભાટ વિમળશાહની કીર્તિ સાંભળી આવ્યા. તેમને વિમળશાહની પત્ની શ્રીએ પાછા ન જવા દેતાં પુષ્કળ દાન આપી સંખ્યા. આવી રીતે દાનાદિકમાં દ્રવ્ય વપરાતાં દેરાસરો બાંધવા અને તેમાં કરોડો ખચવા માટે ધન મેળવવાની જરૂર હતી. વિમળશાહને દેવીનું વરદાન હતું અને આરાસાણના પહાડોમાં પુષ્કળ ખનીજ હતું. વિમળશાહની દષ્ટિ એ તરફ ગઈ. તે કામને આરંભ કર્યો. ખનીજવાળા પત્થર કઢાવ્યા અને રાસાણના દેરાસરેનો પૂર્વની ટેકરીઓ ઉપર કારીગરે અને મજૂર રાખી, પત્થર અને મારી ગળાવી તેમાંથી તેનું કઢાવ્યું અને તેથી આબૂ અને આ રાસાણનાં દેરાસરે બંધાવ્યાં. આ સેનું અને ખનીજ દ્રવ્ય કાઢવા માટે જે ભટ્ટોએ કરવામાં આવેલી તેને ભઠ્ઠીઓમાંથી નીકળેલ લાખ મણ કચરે હાલ પણ ત્યાં જમીનમાં દટાએલા પડે છે અને તેને કેટલેક ભાગ બહાર પણ પડે છે. વળી ધમણમાં બેસાડવાના માટીનાં ભુંગળા તે વખતનાં બનાવેલાં તે પણ કાટડામાં ઘણી જગ્યાએ ભાંગીતૂટી હાલતમાં નજરે પડે છે. આ કચરાને ઘણા લોકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84