________________
૩૫
કુંભારીયાજી
તીર્થોદ્ધાર જેમ માણસને ચડતી પડતી આવે છે તેમ સ્થાનેને પણ ચડતી પડતી અનુભવવી પડે છે તે પ્રમાણે આ દેરાસરોના સંબંધમાં પણ થયું છે. દિલ્લી ઉપર અલાઉદ્દીન પછી વંશ બદલાયા અને બાદશાહે પણ બદલાયા. તે પ્રમાણે સલમા સૈકામાં દીલીની ગાદી ઉપર અકબર બાદશાહ થયે. તેના વખતમાં હિન્દુસ્થાને કંઈક છુટકારાને દમ ખેંચે; કારણ કે આ બાદશાહ હિન્દુ મુસલમાનને સરખા ગણતે. તેના રાજ્યમાં જુલમ કમી થયે હતું. બાદશાહની સભામાં પંડિત ભેગા થતાં, ધર્મની ચર્ચાઓ થતી અને તે સર્વ ધર્મને સરખા ગણતે. આ વખતે જૈનોના મહાન આચાર્ય શ્રીમદ્દ હીરવિજયસૂરિ વિદ્યમાન હતા. તેમની પ્રશંસા અને ખ્યાતિ હિન્દુસ્તાનમાં સ્થળે સ્થળે હતી તે સાંભળી અકબર બાદશાહને તેમની મુલાકાત લઈ ધર્મચર્ચા સાંભળવાની ઈચ્છા થઈ.
આચાર્ય મહારાજશ્રી શ્રીહીરવિજયસૂરિ આ સમયે ગુજરાતમાં વિચારતા હતા અને ભરૂચ પાસે કાવી ગધારમાં હતા. અકબર બાદશાહે ગુજરાતના સૂબા ઉપર આચાર્ય મહારાજને મોકલવા ફરમાન મોકલ્યું અને પૂરતા બંદબસ્તથી મોકલવા જણાવ્યું. સૂબાએ માણસ મારફત અને અમદાવાદના સઘની મારફત આ હકીકત આચાય મહારાજને પહોંચાડી. જિનશાસનને લાભ સમજી આચાર્ય મહારાજ બાદશાહને મળવા તૈયાર થયા અને વિહાર કર્યો. અમદાવાદના સૂબાએ તેને સુખપૂર્વક શીવ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com