Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 65
________________ કુંભારીયાજી ૪૭ જૈનોનાં ચેડાં ઘર છે. બંને ફીરકાના દેરાસરે છે. - તાંબર જૈનોનું દેરાસર કુંભારીયાજીના દેરાસરના છવાર વખતે રીપેર કરી રંગકામથી સુશોભિત બનાવેલું છે. આ ગામમાં આસરે ૨૦૦૦ માણસોની વસ્તી હશે. રાજગાદી હોવાથી, મહેલ, બંગલા, બગીચા વિગેરે હેવાથી ગામની શેમા સારી જણાય છે. હાલમાં રાજ ઉપર મહારાણા સાહેબ શ્રી સર ભવાનીસિંહજી સાહેબ કે. સી. એસ. આઈ, રાજ્ય કરે છે. રાજા ભલા અને ધર્મષ્ઠ છે. માતાજીના ભક્ત અને દયાળુ વૃત્તિના છે. દાંતા રાજને મુલક ઘણેખરે ડુંગરમાં છે અને વસ્તી મોટા ભાગે અભણ, અજ્ઞાની અને જંગલી લકની છે. રાજના પાંચ મહાલ પાલ્લા છે. તેમાં મહાલકારી અને પોલીસ થાણું રહે છે. મોટા ગામોમાં ગુજરાતી વાર ધારણ સુધીની સ્કૂલો છે. દાંતામાં ગુજરાતી સાથે ઈંગ્રેજી પ્રાથમિક કેળવણી મળે તેવી ગુજરાતી સાત ધોરણની સ્કૂલ છે. રાજમાં ડુંગરોની વચ્ચેના મેદાનમાં ખેતી થાય છે તેમજ હડાદ વિગેરે કેટલાક ગામે મેદાનમાં ખેતી થાય છે. હકાર અને બામોદ વચ્ચે મોટું તળાવ છે. તેના પાણીથી કેટલીક જમીનમાં પીતથી ખેતી થાય છે. ગામડાઓમાં કાચાપાકા કુવાથી પણ ખેડૂતે ખેતી કરે છે. મુખ્ય પાક જુવાર, બટી, મકાઈ, ઘઉં અને ચણાને છે. તેમાં રાજ ભાગ છે, જંગલમાંથી વાંસ, વળીએાની નીકાશ થાય છે. તેમજ જગહની બીજી આવક આવે છે. જકાતની આવક આવે છે, પણ મુખ્ય આવક અંબાજી માતાજીની છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84