Page #1
--------------------------------------------------------------------------
________________
બ'૭૫,
કહS
૨૦૦ કરો
000000
હાથseઈ
Oooooooછે.
કુંભારીયાજી
આરાસાણ
jના દાયકામ
- New
ooreeeeeeeeeeeeee
: લેખક : શ્રી મથુરદાસ છગનલાલ શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
-
-
- શ્રી કુંભારીયાજી તીર્થ
ઊર્ડ | 22પ
આરાસણ,
લેખક– મથુરામ છગનલાલ શેઠ
વારા શેરી, ભાવનગર
સહાય રે શેઠ પિચીલાલ ડુંગરશીન ટ્રસ્ટના
રતિલાલ કેશવલાલ શાહ વાડીલાલ ઝારશી શાહ
પ્રાંતીજ . - -
,
એ ?
-
વીર સં. ૨૪૭૩] મૂલ્ય ૦-૬૦ [ક્રમ સં. ૨૦૦૩
ગ્રાંડ :5500 56500 220xIR
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
વિષય.
૧ પ્રાચીન ઈતિહાસ ૨ વિમળશાહ ૩ શ્રી ધર્મઘોષસૂરિ ૪ વિમળને ઉદય ૫ ધનપ્રાપ્તિ ૬ આરાસણ તીર્થ ૭ દેરાસર ૮ મુસલમાની કાળમાં નુકસાન ૯ તીર્થોધ્ધાર ૧૦ જીર્ણોદ્ધાર ૧૧ દાંતાભવાનીગઢનું રાજ ૧૨ અંબાજી માતાજી ૧૩ આવવા-જવાના રસ્તા ૧૪ દાંતાનું રાજ અને તીર્થ
પરિશિષ્ટ ૧૪ ૧૫ વાણિયાની ઉત્પત્તિ ૧૬ નવને
આના પ્રિન્ટિંગ પ્રેર: ભાવનગર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
નિ • વે • દ• ન
સરકારી નેકરીથી મેં મારા જીવનવ્યવહાર શરૂ કર્યો. ઘણા વર્ષ પર્યત સરકારી નેકરી કર્યા બાદ ગ્રેપ્યુટી લઈ મેં ગાંફ તથા ઉતેલીયા ની સેવા બજાવી. મારા ગુરુ મહારાજશ્રી પરમ પૂજ્ય ગન જેનાચાર્ય શ્રી બુદ્ધિસાગર સૂરિજીના સંસર્ગથી ઉત્પન્ન થયેલ તીર્થ અને સંઘની સેવા કરવાની ભાવના થવાથી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં સં. ૧૯૯૫માં હું જડા અને મક્ષીજી (માળવા) તીર્થમાં મેં મારી સેવાની શરૂઆત કરી. ત્યારબાદ સં. ૧૭માં હું કુંભારીયાજી ગયે.
કુંભારીયા કેટલું મહત્વનું ને પ્રાચીન તીર્થ છે તે તે આ લઘુ પુસ્તિકા વાંચવાથી આપને જણાશે. કુંભારીયાજી અંધારામાં પડેલું તીર્થ હતું. આ તીર્થની જાહેરાતના અભાવે અંબાજી ને આબૂ આવનારા યાત્રિકે પડખામાં જ રહેલા આ કુંભારીયાજી તીર્થની યાત્રાના લાભથી વંચિત રહેતા. મને આ વસ્તુ હદયમાં શલ્યની માફક ખટકવા લાગો મેં આ દિશામાં પ્રયાસ શરૂ કર્યો, પણ કુંભારીયાજી સંબંધી લેખિત હકીકત મને ન મળી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
મેં કુંભારીયાજી તીર્થના ડુંગરમાં અને આસપાસના વિસ્તારમાં ફરવાનું શરૂ કર્યું. વળી નજીકના ગામડાઓમાં વસ્તા તેના મુખથી હકીકતે એકત્ર કરવા માંડી. વળી મારા જાણવામાં મહીકાંઠા એજન્સીની ડીરેકટરી આવી. આ ઉપરાંત રાસમાળા પણ મેં વાંચી જોઈ. આ દરેક પ્રયાસને પરિણામે હું જે કંઈ હકીકત પૂરાવારૂપે એકત્ર કરી શકે તે મેં મારી મતિ મુજબ આ લઘુ પુસ્તિકામાં આપવાને પ્રયાસ કર્યો છે.
હમેશાં લેકેતિ વૃત્તાંતના પ્રવાહમાં ભળી જાય છે તેવું આ શ્રી કુંભારીયાજી તીર્થના સંબંધમાં પણ બન્યું છે. આસપાસના ડુંગરોમાં ને સ્થળોમાં જે કાટડો પડે છે તેના નિરીક્ષણ પરથી મને જણાયું કે-ખનીજ કાઢી લીધા પછી ભઠ્ઠીને જે કચરો નીકળે તેના ઢગલાઓ છે. આ કાટડા સંબંધી જેને જુદી હકીકત જણાવે છે, પણ તે અસત્ય ને બે ભાગે દોરનારી છે.
મારા કુંભારીયાજીના વસવાટ દરમિયાન જે જે સાધુયુનિરાજે આવતા તે સર્વે તીર્થની પ્રાચીનતા જાણવા માટે જિજ્ઞાસા ધરાવતા. આચાર્ય શ્રી વિજયતીન્દ્રસૂરિજી મહારાજના સંવાડાના સાધુઓ કુંભારીયાજી આવેલા અને તેમાં મુનિશ્રી વિદ્યાવિજયજી આ બાબતમાં વધારે રસિક હોવાથી મેં તેમને કેટલીક હકીકત પૂરી પાડી અને તેઓએ કુંભારીયાજી, આબુ, અચળગઢ ને જીરાવલા પાશ્વનાથની હકીકતની એક પુસ્તિકા સં. ૨૦૦૦ માં પ્રકાશિત કરી, પણ અત્યારે તે અલ છે.
બાદ મારી ભાવનગરખાતે બદલી થતાં મેં આ વિષયને લગતા સાહિત્યનું વાંચન કર્યું. વળી જે જે વિગત મને મળી તે સર્વને આ પુસ્તિકામાં સમાવેશ કર્યો છે. દાંતાભવાનીગઢ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
રાજ્યને આ તીર્થ સાથે હાલ પૂરતો સંબંધ હોવાથી તેની એતિહાસિક હકીકત પણ આ પુસ્તકમાં આપી પુસ્તિકાને ઉપયોગી બનાવવા પ્રયાસ કર્યો છે. વાંચકે આ પુસ્તિકાને સાવંત વાંચી, કુંભારીયાજી તીર્થની યાત્રાને લાભ લેવા પ્રેરાશે તે માટે શ્રમ સાર્થક થયે હું માનીશ.
આ પુસ્તિકાના પરિશિષ્ટરૂપે “વાણીયાની ઉત્પત્તિ' સંબંધી હકીકત આપવામાં આવી છે, જે પણ રસિક ને જાણવા જેવી છે.
આ યુગમાં દ્રવ્યસહાય વગર પ્રકાશન થઈ શકતું નથી. આ પુસ્તિકા પ્રગટ કરવા માટે પ્રાંતીજનિવાસી સ્વ. શેઠ પિચીલાલ ડુંગરશીના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ શાહ રતિલાલ કેશવલાલ તેમજ શાહ વાડીલાલ ડુંગરશીએ ઉદાર ભાવે સહાયતા કરી છે, તે માટે હું તેમને જણી છું. શેઠ પોચીલાલ ડુંગરશી ધાર્મિક વૃત્તિવાળા ગૃહસ્થ હતા એટલા માટે તેમનું સંક્ષિપ્ત જીવનચરિત્ર આ પુસ્તિકામાં આપવામાં આવ્યું છે.
પ્રાંતે એટલું ઈચ્છું છું કે-જે જે વાંચકે આ પુરિતકા વાંચે તેઓ તીર્થ કુંભારીયાજીની યાત્રાને અવશ્ય લાભ લે ને પાવાના સ્નેહસંબંધીઓને તેવી પ્રેરણા કરે. જે શાંતિ
મથુરદાસ છગનલાલ શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
શાહ પચીલાલ ડુંગરશીને જીવનપરિચય
नास्ति तेषां यशःकाये जरामरणजं भयम् ॥
આપણું આ કાયા (દેહ) આયુષની અવધિ પૂર્ણ થયે નાશ પામવાના સ્વભાવવાળી છે, પરંતુ યશરૂપી કાયાને વૃદ્ધાવસ્થા તેમજ મરણને ભય જ નથી. યશરૂપી કાયા તે હરહમેશને માટે અમર જ છે. વિશાળકાય તેમજ ગગનચુંબી જિનપ્રાસાદના નિર્માતા આપણા પૂર્વજે આજે વિદ્યમાન નથી છતાં તેમના તે યશરૂપી દેહે આજે પણ તેમના નામની વિજા ફરફરાવતા તેઓ જીવંત રહેવાની સાક્ષી પુરાવી રહ્યા છે. આ જગતમાં તેઓનું જીવવું જ સાર્થક ગણાય છે.
પ્રાંતીજ ગુજરાતનું વ્યાપારી-ક્ષેત્ર છે. રેલ્વેનું સાધન હોવાથી વ્યાપાર વિગેરેની સગવડ રહે છે. પ્રાંતીજમાં દશાશ્રીમાળી મૂર્તિપૂજક જૈન શેઠ ડુંગરશીની ધમપત્ની રળિયાત બાઈની પવિત્ર કુક્ષીમાં શ્રી પિચીલાલ ભાઈને જન્મ થયેલ. ગર્ભશ્રીમંત કુટુંબ હેવાથી લાડ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
કોડથી પિચીલાલભાઈને ઉછેર થયો તે સમયમાં અંગ્રેજી કેળવણી ઊગતી દશામાં હતી. પિચીલાલભાઈએ ગુજરાતી સંપૂર્ણ કેળવણી લીધી. તેઓ ભણ્યા કરતાં ગયા વધારે હતા અને તેથી જ તેમની બુદ્ધિ સો કોઇની પ્રશંસા માગી લેતી. તેમને બાંધે બેવડે, ગોળ મુખારવિંદ, સાધારણ ઊંચાઈ અને ઘાટીલું શરીર હતું. સ્વભાવ પણ મળતાવડા, હસમુખ, ધાર્મિક વૃત્તિવાળ તેમજ શાંતિચાહક હતે.
પ્રાંતીજમાં દશાશ્રીમાળી વણિક કોમના પાંચ જેટલા ઘરે છે. દશાશ્રીમાળી એટલે જુદા જુદા ધમને સમૂહ. કોઈ વૈષ્ણવ તે કઈ વામીનારાયણ, કઈ મૂર્તિપૂજક તે કઈ સ્થાનકવાસી. આમ વિવિધ ધમ છતાં કન્યાની લેવડદેવડ અરસપરસ થતી યેગ્ય ઉમરે પિચીલાલભાઇનું લગ્ન સ્વામીનારાયણ ધર્મ પાળ નાર દેશાઈ પ્રભુદાસ ખીમચંદની પુત્રી વિજયા સાથે થયું. તેમનાથી તેમને એક પુત્રીની પ્રાપ્તિ થયેલી. વિજયાને સગવાસ બાદ મૂર્તિપૂજક સંપ્રદાયમાં શા નથુભાઈ હેમચંદની પુત્રી સાંક સાથે બીજી વાર વિવાહ થયા.
તે નાતના અગ્રેસર તરીકે કાર્ય સંભાળતા હતા અને તાલુકાના અમલદારે સાથે સારા પરિચય હોવાથી અમને લગતાં સારાં કાર્યો શીધ્ર કરાવી શકતા. પોતે ગર્ભશ્રીમંત હતા તેમજ નાણાવટ(ધીરધાર)ને છે કરતા એટછે તેમના સહવાસમાં અનેક લેકે આવતા અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
સો તેમના લેકસેવાના કાર્યમાં સહકાર આપતા. તેઓશ્રી સંઘના શેઠ હતા અને ધાર્મિક કાર્યોને વહીવટ સુંદર રીતે ચલાવતા હતા.
એક કવિએ કહ્યું છે કે –
जिनेन्द्रपूजा गुरुपर्युपास्तिः सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य नृजन्मवृक्षस्य फलान्यमूनि ॥
ભાવાર્થ-જિનંદ્રની પૂજા, ગુરુની ઉપાસના, પ્રાણિ માત્ર પર દયાભાવ, શુભ પાત્રમાં દાન, ગુણજન પર પ્રીતિ, આગમનું શ્રવણ-આ સર્વ મનુષ્યજન્મરૂપ વૃક્ષનાં ફળ છે.
શેઠ પિચીલાલભાઈમાં આ સંસ્કારો ઊતર્યા હતા અને તેઓ પિતાને માનવજન્મ સફળ કરી ગયા. સામાયિક, પૂજા, ચૌદ નિયમ, વ્યાખ્યાનશ્રવણ, ગુરુસેવા આ તેમના નિત્યનાં કાર્યો હતા. પ્રાતઃ સ્મરણીય શ્રી રવિસાગરજી મહારાજ, શ્રી હીરસાગરજી મહારાજ તેમજ શ્રી કલ્યાણસાગરજી મહારાજ વિગેરે ઘણાના પરિચયમાં તેઓ આવ્યા હતા અને તેથી તેમના ધર્મ-સંસ્કાર વધારે દઢ થયા હતા.
તેમને સંતતિમાં ફક્ત બે પુત્રીઓ હતી, જે પિકી એક બાલ્યાવસ્થામાં ગુજરી ગયેલ અને બીજી પુત્રી મણિ પ્રાંતીજનિવાસી ભાઈ મથુરદાસ (આ પુસ્તિકાના લેખક) સાથે પરણાવવામાં આવી હતી. લગ્ન પ્રસંગે જૈનાચાર પ્રમાણે ઉજમણું કરી જૈન વિધિ મુજબ લગ્ન કર્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૯૫૦ માં પ્રાંતીજમાં હેગને રોગ ફાટી નીકળે અને તે રાગે ઘણા ના લેગ લીધેલા તેમાં આ કુટુંબને પણ સમાવેશ થાય છે. લગ્ન કરેલ પુત્રી મણું આ પ્લેગના રોગમાં સપડાઈને મૃત્યુ પામી. આ વર્ષની શરૂઆતમાં માતા રળિયાત પણ ગુજરી ગયા. તેમના કાકાના દીકરા મણિલાલ પણ સપાટામાં આવી ગયા.
પિતાની માતા તેમજ પુત્રીના સ્વર્ગવાસને ઘા રૂઝાણે નહીં તેવામાં ૧૯૬૩માં તેમની પત્ની સાંકુ પણ ગુજરી ગયા એટલે શેઠ પિચીલાલભાઈને ઘણે જ આઘાત લાગ્યો, તબીયત લથડવા માંડી. છેવટે આશરે પીસ્તાલીશ વર્ષની વયે તેઓ પણ પોતાની પત્નીને સ્વર્ગવાસ બાદ પંદર દિવસે, આશરે એક લાખ રૂપિયાનું દ્રઢ કરી ફાગણ શુદિ ૯ ના રોજ સ્વર્ગવાસી થયા.
ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તરીકે તેમના કાકાના દીકરા શાહ કેશવલાલ ત્રીકમદાસ, રને શાહ બુલાખીદાસ હાથીભાઈ વિગેરે કાર્ય કરતા હતા. તેઓએ દ્રષ્ટી તરીકે પિતાનું કાર્ય સારી રીતે મજાવ્યું અને જેમ જેમ રકમ વસુલ આવતી ગઈ તેમ તેમ ટ્રસ્ટના ઉદ્દેશ અનુસાર તેને યય કરવા લાગ્યા. ચાલીશ વર્ષથી આ રટને સારી રીતે અમલ થઈ રહ્યો છે, જે પ્રશંસા ને ધન્યવાદને પાત્ર છે. ઉપરાંત ટ્રસ્ટીઓ સ્વર્ગવાસી થતાં ટ્રસ્ટમાં લખ્યા પ્રમાણે હાલમાં શાહ રતિલાલ કેશવલાલ તેમજ શાહ વાહલાલ ડુંગરશી ટ્રસ્ટની વ્યવસ્થા કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૦
સ્વામીવાત્સય કે નકારશી જેવા પ્રસંગે ભેજનની વ્યવસ્થા કરવા માટે ઘણું અગવડ પડતી. ભાઈશ્રી રતિલાલના ખ્યાલમાં આ હકીકત આવતાં જ તેમણે શેઠ પિચીલાલના ટ્રસ્ટમાંથી એક વાડી ખરીદી લઈ તે શ્રી સંઘને અર્પણ કરેલ છે, જેને હાલ જનાદિમાં સુંદર ઉપગ થઈ રહ્યો છે.
ભાઈશ્રી રતિલાલ કેળવાયેલ અને સંસ્કારી છે. પ્રાંતીજ મ્યુનિસિપાલીટીના પ્રેસીડન્ટ તરીકે સેળ વર્ષ જેટલો લાંબો સમય લાગલગાટ કામ કરી તેઓએ પિતાની કુનેહ દર્શાવી આપી છે. ગ્રામસુધારણા તેમજ માનવ રાહતના કાર્યો તેમની કાર્યવાહીને આભારી છે. પ્રાંતીજ હાઈસ્કૂલના બીજાપણુમાં તેમને જ મુખ્ય હિસ્સો હતું. તેમાં સ્વર્ગસ્થ પિચીલાલભાઈના નામથી હેલ બંધાવી આપવામાં આવ્યું છે.
પ્રાંતીજ જેવા સ્થાનમાં આધુનિક ઢબનું પ્રસૂતિગૃહ નહતું અને તેથી કેટલીક વખત બહેને જોખમકારક સ્થિતિમાં આવી પડતી. તે વખતે તેમનું જીવન ફક્ત કુદરતની કુપા પર જ અવલંબતું. આ ખામી ભાઈશ્રી રતિલાલના ખ્યાલમાં આવી અને તેમણે પોતાની સારી રકમ ભરી અને પ્રયાસ શરૂ કરી મહામહેનતે એક મેટરનીટી હેમ (પ્રસૂતિગ્રહ) ઊભું કર્યું જેને આજે હજારો લોકો આશીર્વાદ આપી રહ્યા છે. આ ઉપયોગી કાર્ય ઉપરાંત હાઈસ્કૂલ તેમજ સાર્વજનિક બેડીંગ પણ તેઓશ્રીના પ્રયાસને આભારી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૧
ભાઇશ્રી રતિલાલ ફક્ત વ્યાપાર કે વ્યવહારકુશલ છે એટલું જ નહીં પણ ધર્મરસિક પણ છે. ચાલુ વર્ષના ફાગણ માસમાં તેઓએ ૩૫૦) સાડાત્રણસેા યાત્રિકા સાથે શ્રી સિદ્ધાચળજીનેા રેલ્વે-સ્તે પ્રાંતીજથી સંધ કાઢ્યો હતા અને એ રીતે સદ્ઘપતિનું માનવંતું બિરુદ પ્રાપ્ત કર્યુ હતુ.
ભાઈશ્રી રતિલાલના સહટૂટી ભાષ વાડીલાલ ડુ'મરશી પણ ઉત્સાહી છે. તેએ પણ આ ટ્રસ્ટન્યવરથામાં ભાઇશ્રી રતિલાલને પેાતાને પૂરતા સહકાર આપી રહ્યા છે.
એવી આશા રાખવામાં આવે છે કે જે કુનેહથી તે શેઠ પેાચીલાલભાઈના ટ્રસ્ટની વ્યવસ્થા કરે છે તેવી જ રીતે ધર્મના કાર્યોમાં ટ્રસ્ટની રકમને સદ્ભય કર્યો કરે. પરમાત્માં તેમને આવા શુભ કાર્યો કરવા દીર્ઘાયુષ આપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
૩.
૧૭
35
33
""
૧૮ ૧૨
૧૮
૧૮
૧૮-૧૯
"7
33
પંક્તિ અશુદ્ધ
શાંતિ
૧૮
૨૦ ઉપરની
૨૧
૨૦ ૧૬
૨૬ ૩
૧૯
'
૩૦ ૨૨
૩ર
*
૨૧
૧૭
૪૧ ૧૨
શુદ્ધિપત્રક
આવી મૂર્તિએ
દેરીઓમાં એ મૂર્તિ એ
તથા સરસ્વતીની એક મૂર્તિ એક દેરીમાં કાતરેલાં છે.
છે.
દેખાય
છ તછે.
સૂર્ય યક્ષની
અદ્યાઉદ્દીન દીલ્લો
ત્યાં
જનેતર
૧૯૯૦
યુદ્ધ
શાંત
ઉપર નીચે
આવી અંબાજી માતાની
મૂર્તિ એ દેરીઓ એ
મૂર્તિઓ છે.
આ લાઇન કાઢી નાખવી
કૅતરેલાં છે. આ સિવાય આરસનો એક મૂર્તિ શ્રી સરસ્વતી દેવીનો છે.
દેખાવ
છતુ છે.
વડુ યક્ષનો દીલ્લી અલ્લાઉદ્દીન
ત્યારે
જૈનેતર
૧૯૯૧ ના વશાખ શુદ ૧૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૪૮
૪૦૦
શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ સ્વ. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી ગ્રંથમાળામાં
પ્રગટ થયેલા ગ્રંથ ગ્રંથાંક
પૃષ્ણ કિંમત * ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા,
૦-૪૦૦ * ૨ ભજનસંગ્રહ ભાગ ૨ જે.
૩૩૬
૦-૮૦૦ * ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જે.
૨૨૫ ૦-૮-૦ - ૪ સમાધિશતકમ,
૬૧૨ * ૫ અનુભવચિશી.
૦-૮-૦ ૬ આત્મપ્રદીપ.
૩૧૫ ૦-૮-૦ * ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થે.
૩૦૪ ૦-૮-૦ [૮ પરમામદર્શન.
૦-૧૨૦ ૯ પરમાત્મતિ આવૃત્તિ ૨
૧-૮-૦ * ૧૦ તબિંદુ.
ર૩૦૦-૪-. ૧૧ ગુણાનુરાગ (આવૃત્તિ બીજી ) ૨૪ ૦-૧-૦ * ૧૨-૧૩ ભજનસંગ્રહભાગ પામે તથા જ્ઞાનદીપિકા. ૧૦૦ ૦-૬
૧૪ તીર્થયાત્રા નું વિમાન (આ. ત્રીજી) છપાય છે. . ક ૧૫ અધ્યાત્મભજન સંગ્રહ.
૧૯૦ ૦-૬-૦ ૧૬ ગુરુબાધ (આ. બીજી)
૨૯૯ ૦-૮-૦ ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા. આ. ૨
૧૨૪ ૧૦૦ ૧૮ ગહેલીસંગ્રહ. ભા. ૧ આ. ૨ ૧૧૨ -૬-૦ ૧૯-૨૦ શ્રાવકધરરૂપ ભાગ ૧-૨ ૪૦-૪૦ ૭-૧* ૨૧ ભજનસંગ્રહ ભાગ ૨ ડ્રો.
२०८ ૧૨-૦ • ૨૨ વચનામૃત.
૦ ૧૪૦ ૨૩ યુગદીપક,
૩૦૮ ૦૧૪ ૦ ૨૪ જેને ઐતિહાસિક રાસમાળા. ૩૦૮ ૧-૦-૦
પ૦૦
૮૩૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
૧૪
૨૫ આનંદઘનપ ( ૧૮ સંગ્રRsઆ, ૨.) ૮૦૮ ૨૬ અધ્યાત્મશાંતિ (અવૃતિ ત્રીજી) ૨૭ કાવ્યસ’ગ્રહ ભાગ ૭ મા.
૧૩૨
૧૬૬
૨૮ જૈનધમની પ્રાચોન અને અર્વાચીન સ્થિતિ ૬૬
૨૮૭
૩૦૦
૨૪૦
૯૦
૧૯૨
૧૧૦
* ૨૯ કુમારપાલ (હિંદી)
૩૦ થી ૩૪ સુખસામરગુરુગીતા
૩૫ ષડૂદ્રવ્યવિચાર આવૃત્તિ ૩
*+૩૬ વિજાપુર વૃત્તાંત. × ૩૭ સાખરમતી ગુરુશિક્ષણ કાવ્ય. * ૩૮ પ્રતિજ્ઞાપાલન,
૩૯-૪૦-૪૧ જૈનગચ્છમતપ્રબંધ, સંઘપ્રગતિ,
જૈનગીતા.
૪૨ જૈનધાતુપ્રતિમા લેખસંગ્રહ લા, ૧. * ૪૩ મિત્રમૈત્રી.
* ૪૪ શિષ્યાપ નષ ૪૫ જૈનેપનિષદ.
૪૬-૪૭ ધાર્મિક ગદ્યસ ગ્રહે તથા પત્ર સદુપદેશ ભાગ ૧ લે
૪૮ ભજનસંગ્રહ ભા, ૮
૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા ૧ આ. ૨ ૪૯ શ્રીમદ્ દેવચ'દ્ર ભા ૧ ના ચાર કડકા જુદા પાકા બાંધેલા × ૫૦ કાગ.
* ૫૧ આત્મતત્વદર્શન.
+ પર ભારતસવકાશિક્ષણ કાવ્ય. ૫૩ શ્રીમદ્ દેવચĀ ભાગ ૨ આ. ૨ ૫૪ ગહુલી સગ્રહ ભા. ૨ આ. ૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૦૪
૧૭
૪૮
૪૮
૯૭૬
૯૭૬
૧૨૮
૩-૦-૦
-૩-૦
૦-૮-૦
-૨-૦
-૬-૦
૦-૪-૦
૦-૪-૦
૦-૪-૦
--
૦-૫-૧
૧-૦-૦
૧-૦~
૦-૮-૦
૦-૨
-૨-૦
૩-૦-૦
૩-૦-૦
૨-૮-૦
૩-૦-૦
૧૦૧૨
3-0-0
૧૧૨
૦-૧૦૦
૧૬૮
૮-૧૦ ૦
૧૨૦૦ ૨-૮-૦
૧૩૦
--。
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
૦ ૧૨-૦
૦૧ર-૦ -
૦-૬-૦
૪૧૬
૧-૮-૦ ૧-૮-૦
૧-૮-૦ ૧-૦-૦
૫૪ ગહેલી સંગ્રહ ભા. ૧-૨ભેગા પાકા બાંધેલા પપ કમપ્રકૃતિટીકા ભાષાંતર. પદ ગુરુગીત ગહેલસંગ્રહ. ૫૭-૫૮ આગમસાર ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ. ૧૭૬ ૬૦ પૂજાસંગ્રહ ભા. ૧ લે. ૬૧ ભજનપદસંગ્રહ ભા. ૯
૫૮૦ દર ભજનપદસ ગ્રહ ભા. ૧૦
૨૦૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨
૫૭૬ ૬૪ ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભાગ ૨ ૧૮૦ ૬૫ જેનદષ્ટિએ ઇશાવાસ્યોપનિષદ ભાવાર્થ વિવેચન.
૩૬૦ ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨
૪૧૫ ૬૭ નાત્રપૂજા. ૬૮ શ્રીમદ્દ દેવચંદ્રજી અને તેમનું
જીવનચરિત્ર ૬૯-૭ર થોપયોગ વિ સંસ્કૃત ગ્રંથ ૪ ૧૮૦ ૭૩-૭૭ સંઘર્તવ્ય વિ સસ્કૃત ગ્રંથ ૫ ૧૬૮ ૭૮ લાલા લજપતરાય અને જૈન ધર્મ. ૧૦ ૭૯ ચિતામણ
૧૨૦ ૮૦-૮૧ જૈન ધર્મ અને ખ્રિસ્તિ ધર્મને
મુકાબલો તથા જૈનખ્રિસ્તિ સંવાદ ૨૨૦ ૮૨ સત્યસ્વરૂપ ૮૩ ધ્યાનવિચાર ૮૪ આત્મતિ પ્રકાશ. ૮૫ સાંવત્સરિક ક્ષમાપના ૮૬ અમદર્શન (મણીગંજીકૃત
સજગ નું વિવેચન ૮૭ જેનધાર્મિક શંકાસમાધાન.
૧-૦-૦ ૨-૦-૦ ૦-૨-૦
૦-૪-૦ ૦ ૧૨૦૦ ૦-૧૨ ૦ ૦--૭ ૦-૪-૦
૧-૦-૦
૨૦૦
૦-૬
૦૮-૦
૪૦
૦-૪-૦
૦-૩-૦
૧૫૦
-૪-૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
૨૦૦
૧૧૫
૩૦૦
-~
૨૩૦
૮૮ કન્યાવિક્રય નિષેધ.
૦-૬-૦ ૮૯ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ.
૦-૭-૦ ૯૦ આત્મપ્રકાશ.
૧-૮-૦ ૯૧ શેકવિનાશક ગ્રંથ.
૦–૧-૦ ૯ર તરવવિચાર.
૧૨૫ ૦-૬-૦ ૯૯-૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત ગ્રંથ. ૨૦૫
૧-૦-૦ ૯૮ સૂત્રમાં મૂર્તિપૂજા ૯૯ શ્રી યશોવિજયજી નિબંધ.
૨૧૦ ૧૦૦ ભજનપદસંગ્રહ ભાગ ૧૧
૨૨૦ ૦-૧૨૦ ૧૦૧ - ભાગ ૧ આ. ૪ થી ૨૦૦ ૦-૮-૦ ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃત્તાંત. ૩૦૦ ૧-૪-૦ ૧૦૩-૧૦૪ શ્રીમદ્ દેવચંદ્રજીવિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ
• ૧૨-૦ ૧૦૫ મુકિત જેન છે. ગ્રંથગાઈડ
૩૮૦ ૧-૮૦૦ ૧૦૬ કકકાવલી-સુબેધ.
૧-૪-૦ ૧૦૭ સ્તવન સંગ્રહ (દેવવંદન સહિત) ર૭૫ -૧૦ ૦ ૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩
૦-૬-૦ ૧૦૯ શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વર સ્મારક ગ્રંથ (સચિત્ર)
૧૨-૦ ૧૧૦ પ્રેમગીતા સંસ્કૃત
૦-૬-૦ સંઘે મળવાનાં ઠેકાણુ – (૧) વકીલ મેહનલાલ હીમચંદ-પાદરા (૨) શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર-વિજાપુર (ઉ. ગુ)
* આ નિશાનીવાલા ગ્રંથે શિલકમાં નથી. * આ ગ્રંથે બ્રિટિશ કેળવણીખાતાએ મંજુર કરેલા છે. + આ ગ્રંથ શ્રીમતિ ગાયકવાડ સરકારના કેળવણી ખાતાએ મંજુર કરેલા છે.
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
આાસાણ યાન
તીર્થ કુંભારીયાજી
यदुवंशसमुद्रेन्दुः, कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान्, भूयाद् वोऽरिष्टनाशनः ॥
યદુવ’શરૂપી સમુદ્રને વિષે ચદ્ર સમાન, ક્રમ'રૂપી વનને દગ્ધ કરવામાં અગ્નિ સમાન એવા ભગવાન શ્રી અરિષ્ટનેમિ (નેમિનાથ) તમારા અરિષ્ટો-દુઃખાના નાશને માટે થાઓ !
कुन्दिन्दुगोक्खीर तुसारखन्ना, सरोजहत्था कमले निसन्ना | वासिरी पुत्थयवग्गहत्था, सुहाय सा अम्ह सया पसत्था ||
ડૉલરનુ' ફૂલ, ચ'દ્ર, ગાયનુ'દૂધ, બરફના જેવા શ્વેત વણુ વાળી, જેના (એક) હાથમાં કમળ છે તેવી તેમજ કમલને વિષે બેઠેલી, (બીજા) હાથમાં પુસ્તકના સમૂહવાળી એવી ઉત્તમ શારદાદેવી (શ્રુતદેવતા) અમારા સુખને માટે થાઓ,
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
પ્રાચીન ઇતિહાસ ગુજરાતની ઉત્તરે આબૂ પર્વત ગુજરાતને મારવાડથી અલગ પાડે છે. તે આબૂ પર્વતથી દક્ષિણ પૂર્વ દિશામાં આરાસાણના પહાડ આવેલા છે. આબૂ પહાડથી દસ ગાઉ દૂર આરાસાસુના પહાડોની વચમાં પહેલાં આરાસાણ નામે નગર હતું. તેમાં અઢારે જાતિના લોકો વસતા હતા. આ નગર ચંદ્રાવતીના રાજાઓના તાબામાં હતું. ચંદ્રાવતી નગરી, આબૂ પહાડની તળેટીમાં હતી. ત્યાંના રાજાએ આરાસણ ઉપર હકુમત ચલાવતા હતા. આરાસાણ નગરની ચારે બાજુ નાના મોટા પહાડ આવેલ હતા. તે વનરાજીથી ભરપૂર હતા. અસંખ્ય જાતિની ઔષધિઓ તેમાં થતી હતી અને હાલ પણ થાય છે. આ પહાડોમાં ખનીજ ભરપૂર છે. નાની મોટી નદીઓ અને ઝરણાં ખળખળ વહે છે. ચોમાસાના દિવસમાં પર્વત ઉપર
જ્યારે વાદળાં જામે છે ત્યારે જાણે બરફ જામે હોય તે સુંદર દેખાવ નજરે પડે છે. હવાપાણ ઉત્તમ છે. આ આરાસાણ નગરની પશ્ચિમે પ્રખ્યાત શ્રી અંબાજી માતાનું દેવું છે. તે પ્રખ્યાત હોવાથી દેશવિદેશના ઘણ જાત્રાળુ ત્યાં જાત્રા કરવા આવે છે.
આરાસાણ નગર પાસે ટેકરીઓની વચમાં ખુલ્લું મેદાન છે. ત્યાં વડ, પીપળા, આંબા, ખાખરા, ખજુરી વગેરે વૃક્ષ પુષ્કળ છે. આ નગરને મુસલમાની વખતમાં વિ. સં. ૧૩૫૩ની સાલમાં અલ્લાઉદ્દીનના લશ્કરે ઉજજડ કર્યું અને વરતી સ્થળાંતર કરી જવાથી નગરને સ્થાને જંગલ જેવું થઈ ગયું. ત્યારપછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
જ્યારે અકબર બાદશાહે મેવાડ ઉપર ચઢાઈ કસે તે સમયમાં મેવાડમાંથી કેઈ કુંભે નામને ગરાસ (કુભા રાણું નહીં) પિતાના પરિવાર સાથે અહીં આવીને વસ્યા અને તેના નામ ઉપરથી ગામનું નામ કુંભારીયા પાડયું. અત્યારે પણ કુંભારીયા નામે પ્રસિદ્ધ છે. આ ગરાસીયાના વંશજો હાલમાં ટેકરીઓ ઉપર છૂટાંછવાયાં છાપરાં બાંધીને રહે છે. આ ગરાસીયા સીયા વંશના કહેવાય છે. આ લોકોના વહીવંચા ચાર પાંચ વરસે આવે છે અને તેઓના કથનથી આ વાતને ટેકે મલે છે. કુંભારીયાની આજુબાજુ બીજા ગામડાં છે તેમાં પણ ગરાસીયા લેકે રહે છે. આ પ્રદેશ અત્યારે દાંતા ભવાનગઢ રાજની હકુમતમાં છે. આ લેકે અજ્ઞાની, વહેમી અને ઝનૂની છે.
આરાસણ નગર જૂનું હતું તે હકીકત ન ધર્મના પ્રાચીન પુસ્તકમાં મળી આવે છે. જૂની તીર્થમાળાના સ્તવનમાં આરાસાતીનું નામ છે. તેમજ વિમળ પ્રબંધમાં પણ આરાસાણ લખેલું છે. વળી આ તીર્થમાં દેરાસરમાં મૂળનાયકની પ્રતિમાઓ સં. ૧૯૭૫ માં ફરી પ્રતિષ્ઠિત થએલી છે. તેમાં આરાસાણ નગર લખેલું છે. જિનાલમાં દેરીઓ ખાલી છે તેના પબાસણ ઉપર
૧. અમદાવાદથી નીકળતાં “ જૈન ધર્મ સત્ય પ્રકાશ”માં સં. ૨૦ની સાલમાં રાણકપુર તીર્થનું વર્ણન છે તેમાં આરાસાની હકીકત છે. વિમળપ્રબંધમાં પણ આરાસાણની હકીકત છે. જુએ, વિમળપ્રબંધ બંડ ૪, ચા પાઈ ૭૦, ખ ડ ૬, ૮ળ ૮, ખંડ ૮ મે, ચોપાઈ ૫૮ )
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી ૧૨, ૧૩, ૧૪ મા સકાના લેખ છે તેમાં પણ કેઈક જગાએ આરાસાણ નગરનો ઉલ્લેખ કરે છે. ઘણા લેખમાં નગરનું નામ નથી. જે લેખો છે તે બધા ઉપરથી ચોક્કસ થાય છે કે અહીં આરાસાણ નામનું ભવ્ય નગર હતું અને પશ્ચિમ તરફ અંબાજી માતાજીનું સ્થાનક હતું.
વિમળશાહ વિમળશાહ પિરવાડ વાણી આ હતા. તેમના વડવા શ્રીમાલનગરમાં રહેતા. તેમાં નીન મંત્રી નામે કેટિવજ પુરુષ થયા. સંજોગવશાત તેમની સ્થિતિ નરમ થવાથી તે શ્રીમાળનગરથી ગુજરાતમાં ગાંભુ ગામે આવી વસ્યા ને પુરુષાર્થથી ધન મેળવ્યું.
સં. ૮૦૨ માં વનરાજ ચાવડાએ અણહીલપુર પાટણ વસાવ્યું અને તેને રાજધાનીનું શહેર બનાવ્યું. પાટણની પ્રખ્યાતિ સાંભળી નીન મંત્રી પાટણ આવીને રા, તેના વંશમાં લહિર નામે પુરુષ થયે. તે ઘણે
૧, પારવાડ વાણીયા શી રીતે થયા તે હકીક્ત વિમળપ્રબંધમાં વિસ્તારપૂર્વક જણાવી છે. આ પુસ્તકના છેવટના ભાગમાં વાણયાની ઉત્પત્તિની હકીક્ત ટૂંકમાં આપી છે.
૨. વિમળશાહ અને તેના વાવાઓની હકીક્ત, વિમળશાહની બધી હકીકત, વિમલપ્રબંધ, જે જૈન મુનિમહારાજ વાવણ્યસમય ગણિ મહારાજે સં. ૧૫૬૮ માં રચેલ છે તેમાં વિરતારથી આપી છે. તેમાંથી ટૂંકમાં અહીં જાણવા પૂરતે સારભાગ આપેલો છે. વિમળ મંત્રી સંબંધી રસિક ને સંપૂર્ણ ઇતિહાણ જાણવાના જિજ્ઞાસુએ • વિમલપ્રબંધ ” વાંચવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
હોંશિયાર અને શૂરવીર હોવાથી પાટણને દંડનાયક થશે. તેને વીર નામનો પુત્ર થયો. તેમને વીરમતી નામની પત્ની હતી. આ વીરમતીને એક દિવસ રાત્રે વપ્ન આવ્યું તેમાં તેણે દેવે આપેલાં કમળનાં ફૂલથી શ્રી વિમળનાથ તીર્થકરને પૂજ્યા એમ જાણ્યું. આ વાત તેણે તેના પતિ વીરને કહી. વીરે તેણીને સ્વપ્નનું શુભ ફળ સૂચવ્યું. ભાગ્યયોગે વિરમતીને ગર્ભ રહ્યો અને તેને શ્રી દેવગુરુની ભક્તિ કરવાના દેહદ થયા તે વીરે પૂરા કર્યા. સમય પરિપકવ થયે વીરમતીએ પુત્રને જન્મ આપે. તેનું નામ વિમળશાહ પાડ્યું. વિરે જ્યોતિષીએને બોલાવી જન્માક્ષર કરાવ્યા. જન્મ લગ્ન ઉત્તમ હોવાથી અને તેમાં રાજગ હોવાથી પંડિતએ કહ્યું કેઆ પુત્ર કાં તે મંત્રીમુગટ થશે અથવા રાજા થશે.
વિમળ દિવસે દિવસે મોટો થશે. પાંચ વરસને થતાં ભણવાનો પ્રબંધ કરવામાં આવ્યો. વિમળે સારી રીતે વિદ્યા સંપાદન કરી. વર ધાર્મિક વૃત્તિવાળા હતો. તેમનું હૃદય હંમેશાં વૈરાગ્યભીનું રહેતું. પુત્રને ઉચિત સમજી ગૃહભા૨ ને વિમળની રક્ષાનું કાર્ય વિરમતીને સેંપી તેમણે દીક્ષા લીધી.
વિમળશાહ બહાદુર, હોંશિયાર અને તેજસ્વી હેવાથી દિવસે દિવસે વધારે દીપવા લાગે, તેથી કેટલાક અદેખા માણસે તેની વિરુદ્ધ ખટપટ કરી પ્રપંચ ૨થવા લાગ્યા. વીરમતીથી આ સહન થયું નહી તેથી તે વિમળશાહને લઈ પોતાના પિયર ચાલી ગઈ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૬
કુંભારીયાજી
સાથેની ઘેાડી લઈ જંગલમાં ઘેાડીને આરામ લેવા બેઠા છે
મામાને ત્યાં રહી મળે વછેરા જ'ગલમાં ફરવા માંડયુ., એક વખત ચરવા માટે છૂટી મૂકી તે જંગલમાં ત્યાં એક સુ ંદર નવયૌવના શ્રી આવી અને વિમળની પરીક્ષા કરવા તેને ચળાયમાન કવા યુક્તિ રચી પણ વિમળશાહે જરા પણુ ચળાયમાન થયા નહી અને તેને કહ્યું કે-મારે પરસ્ત્રીના નિયમ છે. આ જવાઞ સાંભળી તે સ્ત્રી કે જે આાસાણની અધિષ્ઠાત્રી અંબાજી હતા અને વિમળશાહની પરીક્ષા માટે નવયોવના સ્ત્રીનું સ્વરૂપ ધારણ કરેલું હતું તે પેતે પ્રગટ થયાં અને વિમળશાહે ઉપર સ ંતુષ્ટ થઈ વરદાન આપી અંતર્ધ્યાન થઈ ગયાં.
પાટણમાં શ્રીદત્ત નામના કન્યા માટી થઇ. તે કન્યાનું માટે લાયક અને સારા વરની
શ્રીમતના ઘેર તેમની નામ શ્રી હતુ. શ્રીદત્ત તેના શેાધમાં હતા. તેણે વિમલપદ્માક્રમ જાણ્યું હતુ. તેના ગુણાથી પણ તે આકર્ષાયેલ હતા એટલે પેતાની કન્યા તેને આપવા માટે તેણે વીરમતી સાથે નક્કી કર્યુ, વિમળશાહ અને તેની માતાને આવા સગા મળવાથી બહુ આનંદ થયે પશુ પાસે જોઇતા પ્રમાણમાં ધન ન હાવાથી જ્યારે તે પ્રાપ્ત થાય ત્યારે વિમળશાહને પરણાવવા એવા નિર્ણય કર્યો.
વિમળશાહ હવે શસ્ત્ર વાપરવામાં અને તેની ઉપાગિતા શીખવાના કામમાં લાગ્યા. એક વખત તે ફરતે કરતે એક ઉજ્જડ થઇ ગએલા ગામમાં ગયા. એક સ્થળે પોલાણુ જેવુ જોઇ તેણે પેાતાની લાકડી તેની અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી નાખી અને તેને આઘીપાછી કરતે આજુબાજુથી માટીનાં ઢેફાં ઉખડ્યા તે દૂર કરી દેતાં નીચે કાંઈક નક્કર વસ્તુ હોય એમ માલૂમ પડ્યું. વધારે ખેદતાં અંદરથી સેના મહેરોને ભરેલે કળશ નીકળે તે ઘેર લઈ જઈ પોતાની માતા વીરમતીને આપે. વીરમતી ખુશી થઈ અને વિમળશાહને પરણાવવાનું નકકી કરી પાટણ વેવાઈ શ્રીદતને ખબર મોકલી. બંને બાજુ લગ્ન માટે તૈયારી થઈ અને વિમળશાહની જાન પાટણ આવી અને શ્રી જોડે વિમળશાહના ધામધુમથી લગ્ન થયા. જન પછી ગઈ. કેટલેક વખત માતા જોડે વિમળશાહે મોસાળમાં વખત વિતાવ્યો. બાદ બધાને સાથે લઈ તેણે પાટણ આવી નિવાસ કર્યો
શ્રી ધર્મઘોષસૂરિ આ સમયે શ્રી ધમષસૂરિ મહાન આચાર્ય હતા. તેઓ દેશે દેશ વિચરતા પિતાના સાધુ સમુદાય સાથે આબૂ પર્વતની તળેટીમાં ચંદ્રાવતી નગરીમાં આવ્યા. ગુજરાતના મસ્તકે આબુ પહાડને જોઈ આનંદ ઉપજો પણ આ વખતે તે પહાડ ઉપર જૈનોનું એક પણ જિનાલય ન હતું એટલે મનમાં કલાનિ પામ્યા. આ પવિત્ર સ્થળે તીર્થ થાય તે સારું તે મનસૂબો કરી શ્રી અંબાજી માતાજીનું ધ્યાન ધરી સ્મરણ કર્યું, તેથી શ્રી અંબિકા દેવી પ્રસન્ન થયાં. તેઓ પ્રત્યક્ષ થતાં ગુરૂએ કહ્યું કે-આબૂ
પર્વત ઉપર જૈનોનું તીર્થ થાય એવી મારી અભિલાષા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
પાટણ પધારો પ્રમાણે કહી
મહારાજ પણ
દેવીએ પ્રસન્નમુખે કહ્યું કે-પાટણમાં વીરમતીનેા પુત્ર વિમળ છે તેનાથી આ કામ બને તેમ છે માટે અને તેને આ સંબંધમાં ઉપદેશ કરી. આ દેવી અંતર્ધ્યાન થઈ ગયા. આચાય ચંદ્રાવતીથી વિહાર કરી વિચરતા વિચરતા પાટણુ આવ્યા. સ'ઘે સુર સામૈયું કર્યુ. વિમળશાહ આચાય'મીને વંદન કરવ: આવ્યા. વિમલશાહને જોઇ આચાય મહારાજને આનંદ થયા. તેનુ લભ્ય લલાટ અને સપ્રમાણ અંગેાપાંગ જોઇ આચાય મહારાજને ખાત્રી થઈ કે, આ પુરુષ આગળ જતાં મહાપરાક્રમી શે અને ધારેલુ કામ સિદ્ધ થશે. આવુ સ્વગત વિચારીને વિમળશાહને ચેાથ્ય ઉપદેશ આપી, આબૂ પહાડ ઉપ૨ જૈનો માટે તીય' સ્થાપનાનું ગ્રામ કરવા સૂચના કરી. વિમળશાહે વિનંતિ કરી કે-તીથ'ના કામ માટે પુષ્કળ ધન જોઇએ અને તે હાલમાં ના મારી પાસે નથી. ગુરુએ કહ્યું કે-ષનની ચિ'તા કÀા નહિ. આરાસાણ જઇ અંબિકા દેવીની આરાધના કરી તેથી તમારા સર્વે મનેરથા પૂર્ણ થશે. ગુરુનુ વચન પ્રમાણુ ગણી વિમળશાહે સઘ સમુદૃાય સાથે, શ્રી
મતા
આરાસણ જઈ, અન્નજળના ત્યાગ કરી, ગુરુએ વેલ વિધિ અનુસાર અટ્ઠમના તપ કર્યાં અને દેવીનું ધ્યાન ધરી આરાધના કરી. ત્રણ ઉપવાસના તપ પૂરા થતાં દેવીશ્રી અંબિકાજી, દેવીશ્રી ચકઢેશ્વરી અને દેવીશ્રી પદ્માવી પ્રત્યક્ષ થયાં અને અભિકાજીને સિંહનાદ આપ્યું, પદ્માવતીએ અથાગ બળ આપ્યુ અને ચકરી માતાએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
પુષ્કળ લક્ષમી આપી કામના પૂર્ણ કરી. વિમળશાહ સંઘ સહિત પાછા પાટણ આવ્યા અને આચાર્ય મહારાજશ્રી ધર્મષસૂરિ પાટણથી વિહાર કરી અન્યત્ર ચાલ્યા ગયા.
વિમળને ઉદય પાટણમાં વિમળશાહે વેપાર વધારવા માંડ્યો. અને દિવસે દિવસે વધુ વધુ પ્રખ્યાતિ પામે. આ વખતે પાટણની રાજગાદી ઉપર સોલંકી વંશને પહેલે ભીમદેવ રાજ કરતું હતું. તેણે વિમળ શાહની પ્રખ્યાતિ, બુદ્ધિબળ અને શૂરવીરતાનાં વખાણ બીજા લોકોના મુખથી સાંભળ્યાં હતાં. તેણે વિમળ શાહને બેલાવી સન્માન કર્યું અને તેની શૂરવીરતા અને બુદ્ધિ જોઈ, તેને પાટણના દંડનાયકના પદથી વિભૂષિત કર્યો. આ રીતે રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ વિમલે પિતાની ચાણાયબુદ્ધિને ખીલવી. ધીમેધીમે તેણે મહામંત્રી દાદર તેમજ રાજવી ભીમદેવને વિશેષ ચાહ મેળવી લીધે. કેટલીક લડાઈઓમાં સાથે રહી વિજય પણ અપાવ્યું. ઈરવી૧૦૨૪ માં મહમુદ ગીઝનીએ જ્યારે સોમનાથ પાટણ ઉપર ચડાઈ કરી ત્યારે વિમળશાહ ભીમદેવની સાથે હતે. આ લડાઈમાં ભીમદેવ મહમદના અતુલિત બળ અને પ્રપંચને લાધે ફાળે નહેાતે પણ આખરે મહમદ ગઝનીને હેરાન પરેશાન કર્યો.
વિમળશાહની આ પ્રમાણે ચડતી જોઈ, ઈર્ષાર માણસો ને રાજાના કાન ભંભેરવા માંડ્યા. આ બાજુ * વિમળશાહે દંડનાયકના ૫દ સાથે, પિતાને વેપાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૦
કુંભારીયા
બાહ વધાર્યો. મેટાં સારાં મકાને બંધાવ્યાં. ઘેર હાથી ઘોડા રાખ્યા. પવિત્ર ઘર દેરાસર કરાવ્યું અને ત્યાં હંમેશા શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરવા લાગ્યા. તેને એક નિયમ હતું કે શ્રી જિનેશ્વર ભગવાન સિવાય બીજાને નમન કરવું નહીં, તેથી પિતાના હાથમાં શ્રી જિનેશ્વર ભગવાનની છબીવાળી વીંટી રાખતા અને રાજદરબારમાં જાય ત્યારે વીંટી સન્મુખ રાખી રાજા તરફ જોઈ નમન કરતે. આ વાત ખટપટી માણસેએ રાજાને કહી, તેમજ પાછલું લેણું કાઢી રાજાને તે વસુલ કરવા સમજાવ્યું. શ્રેષીઓના કહેવાથી રાજા ભંભેર અને વિમળશાહ પ્રત્યે શંકાની નજરથી જેવા માંડયું. વિમળશાહને આ બધી ખબર પડી. હવે આ રાજમાં રહેવું તેમને ઠીક લાગ્યું નહી તેથી પિતાનું ધન, હાથી, ઘોડા, ઘરદેરાસર વિગેરે લઈ શકાય તેટલું લઇ તેણે પાટણથી પ્રયાણ કર્યું. જતાં પહેલાં રાજા પાસે જઈ કહ્યું કે મારા દુશ્મનોએ ખટપટ કરી, તમને ભંભેરી, મને હેરાન કરવાના પ્રયત્ન કર્યો અને તે તમે સાચું માન્યું તેથી મારું ભાગ્ય અજમાવવા હું પાટણ છોડું છું પણ હવે કેઈના માટે આવી રીતે ભંભેરાશ નહીં એમ કહી ચાલી નીકળ્યા.
ચંદ્રાવતીમાં આ વખતે પરમાર રાજા રાજ કરતા હતે. વિમળશાહ માલવણ સુધી આવેલ છે અને હવે ચંદ્રાવતી આવવાના છે તેવા સમાચાર પરમાર રાજાએ જાણ્યા. વિમળશાહ સાથે હાથી, ઘોડાસ્વાર, પાયદળ વિગેરે પૂરતે લડાયક
૧. આ ચંદ્રાવતી નગરીનાં ખંડેર હાલમાં આબૂની તળેટીમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા
૧૧
સામાન હતો. તેથી વિમળશાહ ચંદ્રાવતી આવવાને છે એમ જાણી પરમાર રાજા પિતાના કુટુંબ સાથે નાસી ગયે, અને માળવણથી નીકળી વિમળશાહે ચંદ્રાવતી વગર હરકતે કબજે કરી અને ભીમદેવની આણ ફેરવી. પિતે રાજ કરવા લાગ્યા. આજુબાજુના સરદાર સામંત આવીને મળી ગયા અને પિતાના બળવાન લશ્કરથી બીજા કેટલાકને જીતી લઈ ખંડિયા બનાવ્યા. ઠઠ્ઠાના રાજાને જીતી લીધું. તેને કેદી બનાવી ચંદ્રાવતી લાવ્યા, તેને ભારે દંડ લઈ છોડી મૂક. ચંદ્રાવતીની પુનરરચના કરી કેટકિલ્લા તથા બજાર બનાવ્યા. દેરાસરો બંધાવ્યા. ધીમે ધીમે ચંદ્રાવતી ચંદ્રકલાની જેમ ખીલતી ગઈ. વેપાર વણજ વધવા લાગ્યા. ચંદ્રાવતીની ચડતી કલા જોઈ આજુબાજુના ઘણા લોકે ચંદ્રાવતીમાં આવી વસ્યા. ચંદ્રાવતી એક સુંદર સમૃદ્ધ નગરીની ગણત્રીમાં આવી. વિમળશાહ ત્યાં હવે મુખે રાજ અમલ ચલ વે છે અને માગણ-ભાટ-ચારણેને ઈચ્છિત દાન આપી સંતે છે તેથી તેની કીતિ સર્વ સ્થળે ગવાવા લાગી.
શ્રી સિદ્ધગિરિ અને ગિરનારજી તીર્થના સંઘ કાઢયા અને સંઘપતિની માળ વિમળશાહે પહેરી. ચંદ્રાવતી આવ્યા અને સુખશાંતિપૂર્વક યથાયેગ ધર્મધ્યાન-પૂજા-સેવા કરી રાજ અમલ ચલાવવા લાગ્યા.
આચાર્ય મહારાજશ્રી ધમૉષસૂરીશ્વરજી વિચરતા વિચરતા ચન્દ્રાવતી પધાર્યા. તેમણે વિમળશાહની કીતિ સાંભળી હતી. તેથી આબૂ ઉપર તીર્થ બંધાવવાની વાત યાદ કરાવવા ચંદ્રાવતી આવ્યા. સંઘે અને વિમળશાહે ઘણા જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
ઉત્સાહથી સામૈયું કર્યું અને ચાતુર્માસ રહેવા વિનંતિ કરી. ગુરુએ તે માન્ય રાખી. વિમળશાહ હમેશાં આચાર્ય મહારાજ પાસે જાય, વંદન કરી બેસે અને ઉપદેશ સાંભળે. ગુરુએ પાટણમાં કહેલા વચન યાદ કરાવ્યાં. ગુરુએ તેને આબૂ ઉપર તીર્થ બંધાવવા આદેશ આપ્યો તેથી તેણે કરોડો રૂપીઆ ખર્ચ કરી આબૂ ઉપર શ્રી રૂષભદેવ ભગ વાનનું મોટું અને કરણીવાળું ભવ્ય દેરાસર બપાવી તેમાં વિક્રમ સંવત ૧૦૮૮ માં શ્રી રૂષભદેવ ભગવાનની પ્રતિષ્ઠા કરી.
આ દેરાસર માટે આરાસણમાં માણેસરના પહાડ પાસે જરી વાવ નામે વાવ છે ત્યાં આરસની ખાણ છે અને મેટા પ્રમાણમાં આરસ નીકળે છે ત્યાંથી આરસ કઢાવીને વાપરવામાં આવ્યો છે.
૧. આબૂ સંબંધીની હકીકત ઘણા પુસ્તકે મા છે. હાલમાં “કારાજ સાહેબ શ્રી જયંતવિજયજીએ આખૂની હકીકતનું પુસ્તક થે વખત ઉપર પ્રસિદ્ધ કરેલ છે. તેમાં ખાબૂ તીર્થની હકીકત વિસ્તારથી જણાવેલી છે. દેરાસર બંધાવતાં વિમળશાહને બ્રાહ્મણોએ રંજાડેલા પણ બ્રાહમણને શાન્ત પાડી સંતોષી કેવી રીતે કામ લીધું તે તેમજ વાલી નામના યક્ષને સામને કરી પોતાના બાહુબળથી તેને મહત કર્યો તે વિગેરે હકીકત તેમાં છે તેમજ આબુ પર્વત ઉપર દેલવા અને ખચળગઢના જિન દેરાસરોની વિસ્તારથી હકીકત છે. બીજા સ્થાનની પણ માહિતી મળે તેવી હકીકત છે. જેને આ હકીકત જાહવાની ઇચ્છા હોય તેમણે તે પુસ્તક વાંચવું.
૨. આરસની ખાણ હાલ પણ જારી વાવ પાસે છે અને તેમાંથી પારસ નીકળે છે. તે બાર સફેદ ને ચળકતા છે. આ આરસના થાંભલા, પાટડા ને મોટી મોટી શિલાઓ ઉપયોગમાં બાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા
ધનપ્રાપ્તિ વિમળશાહે ચંદ્રાવતી આવ્યા બાદ લડાઈમાં ઘણું ધન પ્રાપ્ત કર્યું અને તે પ્રમાણે ખરચ પણ ઘણે કર્યો. તેણે ભાટ, ચારણ, માગણને પણ દાન-શિરપાવ આપી રાજી કર્યા. આ પ્રમાણે ધનને વ્યય થતા તદુપરાંત વિમળશાહની પત્ની પણ તેમના પતિની ગેરહાજરીમાં દાનને પ્રવાહ ચાલુ રાખતી. વિમળશાહ એક પ્રસંગે અબૂ ગએલા. તે સમયે પાંચ સો ભાટ વિમળશાહની કીર્તિ સાંભળી આવ્યા. તેમને વિમળશાહની પત્ની શ્રીએ પાછા ન જવા દેતાં પુષ્કળ દાન આપી સંખ્યા. આવી રીતે દાનાદિકમાં દ્રવ્ય વપરાતાં દેરાસરો બાંધવા અને તેમાં કરોડો ખચવા માટે ધન મેળવવાની જરૂર હતી. વિમળશાહને દેવીનું વરદાન હતું અને આરાસાણના પહાડોમાં પુષ્કળ ખનીજ હતું. વિમળશાહની દષ્ટિ એ તરફ ગઈ. તે કામને આરંભ કર્યો. ખનીજવાળા પત્થર કઢાવ્યા અને
રાસાણના દેરાસરેનો પૂર્વની ટેકરીઓ ઉપર કારીગરે અને મજૂર રાખી, પત્થર અને મારી ગળાવી તેમાંથી તેનું કઢાવ્યું અને તેથી આબૂ અને આ રાસાણનાં દેરાસરે બંધાવ્યાં. આ સેનું અને ખનીજ દ્રવ્ય કાઢવા માટે જે ભટ્ટોએ કરવામાં આવેલી તેને ભઠ્ઠીઓમાંથી નીકળેલ લાખ મણ કચરે હાલ પણ ત્યાં જમીનમાં દટાએલા પડે છે અને તેને કેટલેક ભાગ બહાર પણ પડે છે. વળી ધમણમાં બેસાડવાના માટીનાં ભુંગળા તે વખતનાં બનાવેલાં તે પણ કાટડામાં ઘણી જગ્યાએ ભાંગીતૂટી હાલતમાં નજરે પડે છે. આ કચરાને ઘણા લોકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
૧૪.
કુંભારીયા કાટડો કહે છે. આ કાટલાનો ટુકડે હાથમાં લઈ નિરીક્ષણ કરતાં સામાન્ય બુદ્ધિને માણસ જાણી શકે કે ભઠ્ઠીમાં નાખેલા પદાર્થમાંથી સારભાગ (ખનીજ) નીકળી જઈ આ કચરો છિકોવાળે રહે છે. હાલ પણ આ ટેકરીઓ અને તેની આસપાસના ભાગમાં ખનીજવાળા પત્થરે છૂટાછવાયા પડેલા છે તેમજ સેનાના રજકણવાળા ટુકડા પણ મળે છે. દેરાસરો અને ટેકરીઓ ફરતે આરાસણમાં જે કેટ ભાંગીતૂટી હાલતમાં હાલ પણ જણાય છે તે કેટ આ કાટડાથી બનાવેલો છે.
આરાસાણ તીર્થ આરાસાણમાં જ આરસની ખાણ હતી અને દેવીના વરદાનના પ્રતાપે પુષ્કળ સેનું મળ્યું તેથી આરાસાણમાં જિનાલયે બાંધવાનું અનુકૂળ થયું. આબૂ ઉપર સં. ૧૦૮૮માં પ્રતિષ્ઠા થઈ તે પછી આરાસણમાં કામ શરૂ થએલું જણાય છે, કારણ કે આ દેરાસરોમાં સં. ૧૧૧૪, ૧૧૨૮, ૧૧૭૬ના કેટલાક લેખ છે તેથી આબૂ ઉપર જે કારીગરોના હાથથી કરણનું કામ થયું હોય તે જ કારીગરોએ અહીં પણ કામ કરેલું જણાય છે, કારણ કે આબુના દેરાસરની કારીગીરી અને આરાસાણના દેરાસરની કારીગીરી ઘણીખરી મળતી આવે છે.
આરાસાણના દેરાસરો અને દેરીઓમાં જે પ્રતિષ્ઠા દેરાસર તૈયાર થતાં થએલી તે પ્રતિમાજી હાલમાં દેરાસર અને દેરીઓમાં નથી. કારણ કે જ્યારે સં. ૧૩૫૩માં બાદશાહનું આ પ્રદેશ ઉપર આક્રમણ થયું તેની અગાઉ આરાસાણના જૈનોએ બીકના લીધે તમામ પ્રતિમાજીને ઉત્થાપન કરીને કેઈ ઠેકાણે ભંડારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
-
૧૫
રિધા છે, તે હજુ સુધી કયાં છે તે જાણવામાં આવ્યું નથી, પણ
જ્યારે આ પ્રતિમાજી પ્રગટ થશે ત્યારે આ તીર્થના ઈતિહાસ ઉપર નવું અજવાળું પડશે. હાલ તે કાઉસગીઆઇ અને દેરાસરની અંદરની દેરીઓના પગાસને ઉપરના જે જૂના શિલાલેખ છે તેથી સંતોષ માનવાને છે.
દેરાસર આ આરાસાણ તીર્થમાં પાંચ દેરાસરે છે. તેમાં મેટું દેરાસર શ્રી નેમિનાથ પ્રભુનું છે. આ દેરાસરની અને શ્રી પાશ્વનાથ પ્રભુના દેરાસરની બાંધણને ઘાટ એકસરખો છે. શ્રી મહાવીરસ્વામીના દેરાસર અને શ્રી શાંતિનાથ પ્રભુના દેરાસરને ઘાટ એકસરખે છે. પાંચમું દેરાસર જે તેમનાથ પ્રભુના દેરાસરથી દક્ષિણ તરફ બસ વાર દૂર આવેલું છે તેની બાંધણી ઉપરના ચાર દેરાસરો કરતાં જુદી અને સાદી છે. આ દેરું નાનું છે અને મૂળ આરાસા ગામનું હોય તેમ જણાય છે. જો કે તેમાં પાછળથી સુધારાવધારા થયા છે. આ પાંચે દેરાસર શિખરબદ્ધ છે અને પાયામાંથી શિખર સુધી તમામ , , આરસ વપરાએલે છે, જે આરસ પહાણ આરાસાણની આરસની ખાણને છે. છેલ્લા દેરાસર સિવાયના ચારે દેરાસરોમાં ચાવીસ ચોવીસ દેરીઓ છે. બધા દેરાસરો ફરતે કોટ છે અને તે બધા દેરાસરો ઉતરાદા બારના છે.
૧. આ દેરાસરમાં ઘણા લખે છે. અમદાવાદ શેઠ આણંદજી દિપાલી પેઢી તરફથી હાલમાં આખા હિન્દુસ્તાનનાં જન મંદિર વિગેરલ ડીરેકટીનું કામ ચાલે છે. અહીંના મંદિરાના તમામ લેબે તે પુસ્તકમાં પ્રસિદ્ધ થશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા ૧. આ તીર્થમાં મુખ્ય અને મોટું જિનાલય શ્રી નેમિનાથ ભગવાનનું છે. તે વિશાળ અને ઊંચું છે. દેરાસરને ફરતી નીચે હાથીની હાર છે તેથી તે ગજસર કહેવાય છે. તે ઉપ૨ નરનારીનાં જેડકાં છે તેથી નરસર કહેવાય છે. તે ઉપરાંત દેવ, દેવી, યક્ષ-ક્ષિણનાં મોટાં પૂતળાં ફરતાં બેસાડેલા છે અને તેની વચમાં કેટલાક કામશાસના જોડકાં છે. દેરાસરના પાછલા ભાગમાં ગોખની અંદર સમળી વિહારને અડધે પટ ચોડેલો છે તેમાં લંકાના રાજા, તેમના ખેળામાં રાજકુંવરી, ભેણું ધરતાં જન ગૃહસ્થ પગલાં, ઘોડે વિગેરે આરસમાં કોરેલાં છે અને નીચે લેખ છે. આ સમળી વિહારને બાકીને અડધો ભાગ જેમાં સમુદ્ર, નર્મદા નદી, ઝાડી, સમળી, પારધી, જૈન સાધુમહારાજ, વહાણ કેરેલાં છે, તે પટ દેરીઓ પાસે જ્યાં દેરીઓનાં પબાસન કાઢી નાખેલાં પડ્યાં છે ત્યાં દીવાલ પાસે મૂકેલે છે. તેને સારા સ્થાન ઉપર ચડાવવાની જરૂર છે.
આ દેરાસરમાં ગભારે, સભામંડપ, ચોકી, ચેકી ઉપર નીચે અંબાજી માતાની દેરી, ગોખલા, વિશાળ રંગમંડપ, ચોવીસ દેરીઓ, રંગમંડપમાંથી બહારની કમાનના પગથિયાં અને પગથિયાં ઉપર ટકોરખાનાને ઝરુખે છે. ગભારામાં મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની મેટી અને ચમત્કારિક પ્રતિમાજી બિરાજમાન છે. આ પ્રતિમાજી પરમપૂજ્ય શ્રી હીરવિજયસૂરિના પટ્ટધર આચાર્ય શ્રી વિજયદેવસૂરિના સમયમાં સં. ૧૯૭૫ માં શ્રી કુશળ સાગર ગણિના હાથે પ્રતિષ્ઠિત એલાં
છે, તે સંબંધીને લેખ ભગવાનના પબાસન ઉપર સ્પષ્ટ વાંચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૭
કુંભારીયા શકાય તેવું છે. ગભારામાંથી બહાર નીકળતાં બારણુ પાસે બે મોટા કાઉસગીયાજી છે અને તેમની પાસે બને બાજુના ઓટલા ઉપર સાત પ્રતિમાજી પણ દાખલ બિરાજે છે. તેની આગળ સભામંડપની દીવાલમાં બે મોટા કાઉસગીયાજી છે. તેમના નીચે સં. ૧૧૧૪ના લેખ છે. આ બે કાઉસગીયાજીની પડખે એક નાના પ્રતિમાજી ભીંતમાં બેસાડેલ છે. સભામંડપના મુખ્ય દ્વાર પાસે સભામંડપમાં આથમણું બાજુની દીવાલમાં ૧૭૦ પ્રતિમાજીનું ગ્રપ બેસાડેલું છે. તેના ઉપર લેખ છે, પણ તે વાંચવામાં આવી શકે તેવો નથી. આ સિવાય સભામંડપમાં નાના કાઉસગીયાજી અને ઈન્દ્રની પાષાણુની શ્રી પ્રતિમાઓ છે અને ધાતુની પંચતોથી તથા સિદ્ધચક્ર અને દેવીની મૂર્તિઓ તે પણ છૂટાં છે. સભામંડપમાં ઘુમટમાં ત્રણ સો વરસ પહેલાં રંગનું કામ કરેલું છે તે જાણે હમણા જ થએલું હોય તેવું દેખાય છે. સભામંડપમાંથી બહાર નીકળતાં ચેકી છે તેના એટલા ઉપર કેશર ઘસાય છે. તેની જ પાસે અંબાજી માતાજીની દેરી છે. આ દેરીમાં અંબાજી માતા
-
-
-
-
-
- -
જન ધર્મ માં શ્રી નેમિનાથ પ્રભુના શાસનદેવી અંબાજી છે. જેના માન્યતા પ્રમાણે માતાજી અંબાજીની મૂર્તિ શાંતિ સ્વરૂપની છે. તેમના હાથનાં કરીની લુંબ, અંકુશ હેય છે અને બાળક હોય છે. તેવી
આ મૂર્તિ છે. તેમના ડાબા ભાગ ઉપરની મનુષ્યાકૃતિ બે હાથ જોડી ઉભી છે. તે વિમળશાહ હેય એમ કહે છે. આવી મૂર્તિ ના મહાવીરસવામીના દેરાસરના મણારામાં તેમજ શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરબરના ગભારામાં છે. તે ઉપરાંત મહુડીયાપાર તથા દાંતાથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
૧૮
કુંભારીયાજી
શાસનદેવીની માટી મૂર્તિ છે. ખીજી માજી ગેાખલા છે તેમાં એક માટા ગેાખલામાં પ્રતિમાજીને ગ્રુપ, નંદીશ્વર ક્રીપના દેખાવ છે અને એટલાના છેડા ઉપર એક ક્રાઉસગીયાજી, તેમની ઉપર પ્રતિમાજી ને કાઉસગીયાજીની બાજુમાં નાના પ્રતિમાજી છે. ચાકીથી નીચે ઉતરતાં રંગમડપ છે. ચેાકીની ઉપર અને રંગમંડપમાં કાતરણી કામ સુંદર છે. ર'ગમ'ડપમાં કોતરણી ઉપર રંગ કરેલે છે. ર'ગમંડપની આસપાસ ચાવીસ દેરીઓ છે તે ( માં ( ૨૨ ) ખાલી છે અને જર્ણોદ્ધાર વખતે તેમાંથી પખાસન તથા પરઘર કાઢી નાખેલાં. તેના ઢગલા મને ભાજી એટલા ઉપર પડેલા છે. ચેાવીસ દેરીમાં પૂર્વ પશ્ચિમ વચલી એ ડેરીઓમાં જે માટી છે તેમાં પૂર્વ તરફ શ્રી રૂષભદેવ ભગવાનની માટી મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપર સ. ૧૬૭૫ ના લેખ છે. સામેની આચમણી દેરીમાં શ્રી. પાર્શ્વનાથ ભગવાનનું મ।ટુ મિત્ર'મ છે. તેના ઉપર લેખ નથી. આ હિંમ એટલુ` મેટું છે કે નીચે
આવેલી જે મૂર્તિ શ્રી મહાવીરસ્વામીના દેરાસરમાં બેસાડેલ છે, તેમાં આરસની છે તથા ધાતુની ખે મૂર્તિ તથા સરસ્વતીની એક કૃતિ એક ડેરીમાં છે. તે પણ તેવા જ ઘાટની છે. ધાતુની મૂર્તિ પાછળ શ્રી અભયદેવસાર અને હેમચંદ્ર મહારાજના નામ ખીજા ક્ષેખે। સાથે ઊતરેલાં છે.
જૈનેતરા જે અંબિકામાતાજીને પૂજે છે. તેમના હાથમાં ખડ્ગ, ત્રિશૂળ વિગેરે આયુધ હોય છે. અને એક હાથમાં રાક્ષસનુ મથુ હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી.
૧૯
ઊભા રહી, લલાટમાં ચાંદલે કરી શકાતું નથી એટલે બાજુમાં લાકડાંની ઘડી મૂકેલી છે. આ તરફના જંગલી લોકો શ્રી પાર્શ્વનાથ ભગવાનને ભીમાદાદા, શ્રી આદીશ્વર ભગવાનને અર્જુન અને શ્રી નેમિનાથ ભગવાનને યુધિષ્ઠિર કહે છે. આ દેરાસરમાં ૯૪ થાંભલા છે. તેમાં વચ્ચેના ૨૨ થાંભલા કારીગરી અને કોતરણીવાળા છે. તેના ઉપર દેવ, દેવીઓ અને વિદ્યાધરીની મૂર્તિઓ છે. બીજી થાંભલા સાદા છે. દેરાસરના છોડની પાછળને તથા આજુબાજુનો ભાગ ખાલી છે. રંગમંડપમાં ઉપર પૂજા મોત્સવ વખતે બરાઓને બેસવાના ઝરુખાં છે. આ દેરાસરમાં તેિ ચડેલે એક લેખ છે તેમજ થાંભલા ઉપર લખ છે. દેરાસરની બાંધણી એવી સરસ છે કે બહાર ઊભા રહીને શ્રી નેમિનાથ પ્રભુના દર્શન કરી શકાય છે.
૨. બીજુ દેરુ શ્રી મહાવીર સ્વામીનું મોટા દેરાસરની પુર્વ બાજુની ટેકરીએથી નીચા ભાગમાં-ઓતરાદા બારનું છે. આ બારણ સિવાય તેને પૂર્વ-પશ્ચિમ બારણાં છે. પશ્ચિમ તરફનું બારણું હાલ બંધ રહે છે. પૂર્વ બાજુનું બારણું પઢી આગળના ચેકમાં પડે છે. દેરાસરના છેડ ઉપર આમરણનું કતરકામ છે. સભામંડપ અને સમવસ૨ણની દેરી ઉપરના ઘુમટે સામરણ ગોઠવેલા છે. ગભારામાં શ્રી મહાવીરસ્વામી ભગવાનની ભવ્ય અને સુંદર મૂર્તિ છે. તેમના પબાસન ઉપર સં. ૧૭૫ ને લેખ છે અને તે પ્રતિષ્ઠા શ્રી કુશળસાગરગણિએ કરેલી છે. ભગવાનના પબસનની નીચે દેવી છે. તેમના પબ સન ઉપર સ, ૧૧૨૮ ની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
૨૦
કુંભારીયાજી સાલને લેખ છે. ભગવાનની ઉપર અને આજુબાજુ આરસનું સુંદર પરઘર છે. ગભારામાં એક તરફ શ્રી અંબિકા માતાજી અને બીજી તરફ યક્ષની મૂર્તિ છે. ગભારાની બહાર સભામંડપ છે. તેમાં મોટા બે કાઉસગીયાજી છે. તેમની ઉપરના લેખ વંચાતા નથી. તે સિવાય ગભારામાં ત્રણ નાના કાઉસગીયાજી છૂટા છે. સભામંડપમાંથી નીકળતાં ચોકી આવે છે તેમાં બે ગોખલા છે અને ઉપર નાના છ ઘુમટ છે. તેમાં સભામંડપમાંથી નીકળવાના બારણા પાસેને ઘુમટ અલૌકિક કારીગરીવાળો છે. તેની અંદર પડદા આરસમાં એવા સરસ કતરેલા છે કે અત્યારે તે કામ કાગળ ઉપર પણ બની શકે નહી તેમજ આ ઘુમટને જેટે બીજે કયાંય હોય તેમ જણાતું નથી. તે સિવાયના પાંચ ઘુમટનું કામ પણ બહુ જ ઉત્તમ પ્રકારનું છે. લટકતાં કમળ લેલક અને પડદાવાળા છે. ચેકીથી નીચે ઉતરતાં રંગમંડપ છે. તેના ઘુમટની કેરણી અલૌકિક અને ચકિત કરે તેવી છે. તેની અંદર જાણે દરિયાની છીપો જ હોય તેવું દેખાય છે. ઘુમટની વચમાં કમળ આકારનું મેટું આરસનું ઝુમર લટકહ્યું છે. ઝુમરમાં નીચેની પાંખડીને છેડે ભાગ તૂટી ગયો છે જે અત્યારે કઈ કારીગરથી દુરસ્ત થાય તેમ નથી. ચેકી અને રંગમંડપ તથા દેરીઓની વચ્ચે બે બાજુ આરસની છત છે. તેમાં જૈન ધર્મને ઈતિહાસ કેતરેલા છે. પૂર્વ તરફની છતમાં સાત ભાગ પાડેલા છે તેમાં એકમાં આચાર્ય 'મહારાજ વ્યાખ્યાન વાંચે અને ચતુર્વિધ સંઘ આવે છે, બેસે
છે અને વ્યાખ્યાન સાંભળે છે તે દેખાવ છે, બીજામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાછ
આચાર્ય મહારાજ સાધુએને વાચના આપે છે તે દેખાવ છે. ત્રીજામાં દેવીએ કારેલી છે, તેની જોડેના ભાગમાં દેવતાઈ નાચના દેખાવ છે અને છેલ્લા સાતમા ભાગમાં શ્રી મહાવીરસ્વામી ભગવાન દેશના દે છે અને ગણધા બેઠા છે અને સધના માણસે જુદા જુદા જુદા વાહન ઉપર સ્વારી કરી આવતા હોય તેવા દેખાવ છે.
૨૧
પશ્ચિમ તક્ની છતના ભાગમાં સાત ભાગ છે તેમાં પહેલા પાટમાં ગઈ ( અતીત ) તેમજ આવતી ( અનાગત ) ચેાવીશીના તીર્થંકર બાળસ્વરૂપે માતાના ખેાળામાં છે. બીજા ભાગમાં વચ્ચે વમાન ચાવીશી શ્રી રૂષભદેવ ભગવાનથી શ્રીમહાવીરસ્વામી ભગવાન સુધીના છે ! અને ક્રતુ શ્રી પાર્શ્વ નાથ ભગવાનનું જીવનચરિત્ર છે. તેમાં વામા માતાનું શયનગૃહ, ચૌદ સુપન, પ્રસૂતિગૃહ, પ્રભુને ઇંદ્ર મહારાજ મેરુપર્વત ઉપર અભિષેક માટે લઇ જાય! છે તે દેખાવ અને બીજ' કલ્યાણક, કમઠના ઉપસર્ગ તેમજ પાછલા ભવને દેખાવ છે. આ બધું આરસમાં કાતરેલું છે. ત્રીજા ભાગમાં અઢધામાં શ્રી શાંતિનાથનુ અને અડધામાં શ્રી નેમિનાથનુ ચરિત્ર, પંચ કલ્યાણુક અને ચરિત્રના બીજા દેખાવા સાથે કાતરેલું છે. ચેાથા. અને પાંચમા ભાગમાં દેવી છે. છઠ્ઠા ભાગમાં શ્રી મહાવીસ્વામી ભગવાનનું ચરિત્ર કાતરેલું છે. તેમાં પાછલા સત્તાવીસ ભત્ર, જન્મ વિગેરે પાંચ કલ્યાણક, તપસ્યા, કાનમાં ખીલા ઠોકયાના તથા વૈદ્ય તે કાયાના
પ્રંગા, ચડકેશિયાના તથા ચંદનબાળા સાથેના પ્રસંગે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
આબેહુબ કાતરેલા છે. સાતમા ભાગમાં શ્રી રૂષભદેવ ભગવાનનુ' મિત્ર પ’ચકલ્યાણક સાથેનુ છે.
આ કાતરકામ નીચે તે શું કેાતરેલું છે તે સમજી શકાય તે માટે દરેકની નીચે આરસમાં અક્ષરા ખાદી હકીકત જણાવેલી છે ને તેમાં શાહી પૂરેલી છે. તેથી જરા મહેનત લઈ વાંચવામાં આવે તે તુરત સમજી શકાય છે. આવી રીતે હજાર વરસ પહેલાંની ઐતિહાસિક કારણીનુ કામ મીજે સ્થળે ભાગ્યે જ જોવામાં આવે છે.
ટ્ર
ચેાકી અને રંગમ’ઢપ કરતી ચેાવીસ દેરીઓ છે તે બધી ખાલી હતી. તેમાં બે ત્રણ સિવાય બીજી દેરીઓમાં પખાસન અને પરધર છે. તેના ઉપર ૧૨ મા, ૧૩ મા સૈકાના લેખ છે. આ બધી દેરીએ તથા ચેકી ઉપરના ગેાખલામાં સ ૨૦૦૧ ના જેઠ સુદ ૧૦ ના દિવસે પ્રતિમાજી પરાણા દાખલ બિરાજમાન કરેલાં છે. આ પ્રતિમાજી કુંભારીયાજીથી આસરે વીશ ગાઉ ઉપર દક્ષિણમાં દાંતા રાજ્યની હદમાં મહુડીયાપાદર નામનું ગામ છે તેની પાસેના જંગલમાં લગભગ અઠવા માઈલ જેટઠ્ઠી જગ્યામાં પડી ગયેલા દેરાસરનાં ખડિચેરી છે, તે ખ'ડિયેરમાંથી સ', ૧૯૯૯ માં કઈ માણસને જરૂર ઢાવાથી પત્થર ઉખાડતા હતા તેને ભેાંયરુ` માલૂમ પડયું. આ હકીકત્ત દાંતા રાજ્યના જાણવામાં આવતા ચેાગ્ય બદામસ્ત કરી ચાકી બેસાડવામાં આવી અને સ'. ૨૦૦૦ ના માહ માસમાં રાજના અધિકારીઓને માકલી જંગલ સાફ કરાવી ભેાંચરૂ મેાલાવ્યુ. આદરથી પ્રતિમાજી નીક્રત્યા. તે દાંતે લાવવામાં આવ્યા. આ પ્રતિમાજી જૈન
.
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૨૩ શ્વેતામ્બર આસ્નાયના હોવાથી દાંતાના સંઘને રાજ્ય સુપ્રત કર્યા અને કુંભારીયાકના જિનાલયમાં તેને સ્થાપવા માટે સૂચના કરી. દાંતાના સંઘે અમદાવાદ શેઠ આણંદજી કલ્યાણજીને તારથી ખબર આપી અને કુંભારીયા પેઢી ઉપર સમાચાર મલ્યા તેથી કુંભારીયા પેઢીને મુનીમ દાંતે જઈ સં. ૨૦૧૦ના માહ વદિ ૧૩ ના રોજ તે પ્રતિમાને ગાડામાં સારી રીતે પધરાવી કુંભારીયાજી લાવ્યા તેમ જ દાંતાના દેશસરમાં કેટલાક વધારાનાં પ્રતિમાજી હતાં તે પણ કુંભારીયાજી લાવવામાં આવ્યાં. સં. ૨૦૦૧ માં કારીગરે બેસાડી તમામ પ્રતિમાને એટીપણું કરાવી ચક્ષુ ટીકા વિગેરેથી વિભૂષિત કરવામાં આવ્યાં અને ૨૦૦૧ના જેઠ સુદિ ૧૦ મે અઢાર અભિષેક મહોત્સવ કરી આ શ્રી મહાવીર સ્વામીના દેરાસરમાં દેરીઓમાં પણ દાખલ બિરાજમાન કરવામાં આવ્યા તેથી આ દેરાસરની બધી દેરીઓ પ્રતિમા બિરાજમાન થવાથી ભરાઈ ગઈ. પૂજન ચાલુ થયું. દેરાસરની શોભામાં વધારે છે.
આ દેરાસરના પૂર્વ તરફના બારણા પાસે જમણા હાથ ઉપર સમવસરણની દેરી છે. તેમાં પ્રતિમાજી નથી. સમવસરણની રચના પીળા આરસ ઉપર સુંદર કારીગરીવાળી છે. સમવસરણના ઉપરના ભાગમાં બહુ જ ઝીણ કારીગરી છે.
આ દેરાસરની કારણ વણી જ ઉત્તમ છે. છતાર વખતે આ દેરાનું ઘણુંખરૂં કામ સફાઈબંધ થવાથી બધું બરાબર સ્પષ્ટ જોઈ શકાય છે. દેરાસરને પાછળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
: ૨૪
કુંભારીયા ભાગ કેટ સુધી ખાલી છે. આથમણી બાજુ, દેરીઓ પાસે, પાછળના ભાગમાં ઓરડી છે તેમાં બે ખંડ છે. તેમાં ભેંયરું હોય તેમ જણાય છે. દેરાસરના પૂર્વ તરફના બારણામાંથી બહાર નીકળતા જમણું બાજુ આરસનું ઝીણી કારીગરીવાળું પરઘર કમાન સાથે છે. અને તે આ દેરામાં શ્રી મહાવીર સ્વામી ભગવાન આગળ એટલા ઉપર હતું અને જીર્ણોદ્ધાર વખતે કારીગરેએ બહાર કાઢેલું ત્યાં જ પડી રહ્યું હોય એમ જણાય છે. આ પરઘરને ચગ્ય જગ્યાએ મૂકવાની જરૂર છે, કારણ કે હજારે રૂપીઆ ખરચતાં પણ આવું કામ બની શકે તેવું નથી.
૩. શ્રી મહાવીર સ્વામીના દેરાસરની પૂર્વ બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું દેરાસર છે તે મેટું અને ભવ્ય છે. આ દેરાસરનું આથમણે બાજુનું બારણું પેઢી આગળના ચોકમાં પડે છે અને અવરજવર તે જ બારણે વિશેષ હોવાથી હાલમાં મુખ્ય બારણું ઓતરાદું છે તે બંધ રહે છે. આ દેરાસરમાં ગભારે, સભામંડપ, ચેકી, રંગમંડપ, દેરીઓ અને ટકોરખાનાને ઝરુખે છે. તે ઝરુખા નીચે પગથિયાં ઉતરી મુખ્ય દ્વારથી બહાર નીકળવાનો રસ્તો છે. ગભારામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી બિરાજમાન છે. તેના પબાસન ઉપર સં. ૧૬૭૫ ને લેખ છે અને કુશળસાગર ગણિએ પ્રતિષ્ઠા કરાવેલી છે. સભામંડપ માં બે મોટા કાઉસગીયાજી છે. તેમના પબાસન ઉપર સં. ૧૧૭૬ ને લેખ છે. તે સિવાય ત્રણ નાના કાઉસગીઆઇ છૂટા છે અને એક મૂર્તિ શ્રી
અંબિકાદેવીની છૂટી છે. સામંડ૫થી બહાર નીકળતાં ચેકી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
છે. તેના ઉપર છ ઘુમટ નાના છે. તેની અને સભામડપના બારણાની કારીગરી બહુ જ ઊંચા પ્રકારની છે. ચેાકીના આટલેથી ઉતરતાં રગમ'ડપ છે. તેમાં પણ ઉમદા કારીગરી છે. દેરીએ ચાવીસ છે તે ખાલી છે. તેમાં ઘણી દેરીઓમાં પરવર પબાસન સાથે મેાજુદ છે. પમાસનમાં લેખ છે તે ૧૨ મા અને ૧૩ મા સૈકાના છે. દરેક દેરીનો ભાગળના ઘુમટ પણ કારીગરીવાળા છે. દેરીઓમાં પૂર્વ પશ્ચિમ માજીની વચલી દેરીઓના બારણાં અને પરધર કલામય કાતરણીવાળા છે. થાંભલા ઉપર પણ દેવીએ અને વિદ્યાપરીએ તેમજ કોતરણી કરેલી છે તેમજ થાંભલાઓની વચ્ચે કમાના પણ કારણીવાળી છે. દેરાસરના પાછળના ભાગ ફાટ સુધી ખાલી છે. આથમણી બાજુ બે ખંડની એરડી છે તેમાં પેઢીને પરચુરણ સામાન પડી રહે છે. આ એરડીના અ ંદરના ખંડમાં બંધ કરેલું ભાંયરું' છે.
૫
૪. શ્રી મહાવીરસ્વામીના દેરા આગળ રસ્તા મૂકી શ્રી શાન્તિનાથ ભગવાનનું દેરાસર છે. તેની બાંધણી મહાવીરસ્વામીના દેરાસરને મહતી છે. આ દેરાસરને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ તરફ બારણા છે. પશ્ચિમ તરક઼નું બારણું બંધ રહે છે, જાત્રાળુની અવરજવર પૂર્વ તરફના બારણે થાય છે.ઉત્તર તરફનું બારણું ખાસ કામ સિવાય બંધ રહે છે. ગભાશમાં શ્રી શાન્તિનાય ભગવાનની મૂર્તિ બિાજમાન છે. તેના પગાસન ઉપર સ. ૧૩૦૨ના લેખ છે. ગભારામાં મૂળનાયક ઉપરાંત નાના કાઉસગીયાણ, ઇંદ્ર વિગેરેની છૂટી મૂર્તિ છે. ગલાશ મહાર સલામ'ડપ છે. સભાસાપની ભાગળ ચાકી છે. તેના ઓટલા ઉપર છ ઘુમટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા, કારીગરીવાળા છે અને બારણું પણ કારીગરીથી ભરપૂર છે. ચેકની નીચે રંગમંડપ છે, તેમાં કારીગરી ભરપૂર છે. રંગમંડપ અને દેરીઓની વચ્ચે છ તછે. બે બાજુની છત જે રંગમંડપની બને બાજુએ છે, તે છતમાં જ ધર્મને ઈતિહાસ આરસમાં કોતરેલે છે. પંચકલ્યાણક સાથેનાં તીર્થકર ભગવાનનાં જીવનચરિત્રે, કલ્પસૂત્રમાં આવતા કેટલાક પ્રસંગે, સ્થલિભદ્રના પ્રસંગ વિગેરે કેતરકામ છે. અને દરેકની નીચે લખેલું છે પણ સાહી પૂરેલી નથી તેથી બરાબર જણાતું નથી. આ દેરાસરનું સફાઈનું કામ જીર્ણોદ્ધાર વખતે બરાબર થએલું નથી, એટલે તેમજ દેરાસરની આગળ ઝાડી હેવાથી પ્રકાશ બરાબર આવતે નથી તેથી અંધારું રહેવાથી પૂરેપૂરું જોઈ શકાતું નથી. દેરીઓ એવી છે તે ખાલી છે. ઘણીખરી દેરીઓમાં પરઘર અને પબાસન છે. પબાસન ઉપર ૧૧મા, ૧૨માં અને ૧૩મા સૈકાના લેખ છે. થાંભલાઓની કેરણી તથા બારણાની કરણ બીજા દેરાસરેને મળતી છે. પાછળના ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરદ્વીપની રચના છે. મૂર્તિએ નાની નાની પણ બધી ખંડિત છે. તેની બહાર એટલા ઉપર ગોખલામાં સૂર્ય યક્ષની મૂર્તિ છે, તેને બીજા લેકે ગણપતિ કહે છે, તે ભીંતમાં જ બેસાડેલી છે. તેની બને બાજુ બીજી મૂતિએ ભીંતમાં ચડેલી છે તેમાં એક ચામરધારી છે. બીજી બાજુએ બે ખંડની ઓરડી છે. આ દેરાસરમાં, રંગમંડપની આગળ થડા વખતથી લેખંડની જાળી નાખેલી છે, તેથી ઘુમટ વિગેરેમાં જાનવર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
માળા નાખી શક્યાં નથી પરંતુ તેથી પ્રકાશમાં ઘટાડા થયા છે. દેરાસરના શિખરને ઘાટ આમરણની કોતરણીવાળા છે, સલામ'ડપ અને કેરીના ઘુમટ સામરણથી વિભૂષિત છે. ૫. ઉપરના ચાર દેશસરા ઉપરાંત પાંચમુ' દેરું' મોટા દેશસરની દક્ષિણે મસા વાર દૂર આવેલુ છે. તેને સ’ભવનાથનુ દેરાસર કહેવામાં આવે છે. આ દેશસર્ ઉપરનાં ચાર દેરાસર કરતાં નાનું છે, તેમજ બીજા દેરાસરે કરતાં ઘેાડુ' દૂર છે. ઘાટ પણ જુદા છે, તેથી મૂળ આરાસાણ ગામનું દેરાસર હાય એમ જણાય છે. ગભારામાં એક પ્રતિમાજી છે. તેના ઉપર લેખ નથી. લછન જોતાં સિંહનું જણાય છે, તેથી શ્રી મહાવીરસ્વામીની મૂર્તિ હોય એમ માનવામાં આવે છે. સાધુ મુનિ મહારાજ પણ એમ જ ધારે છે. સિંહને ઘેાડા માની સ’ભવનાથની પ્રતિમાજી જાણ્યાં ઢાય અને તે નામ પ્રચલિત થયુ' હોય એમ જણાય છે. ગભારા બહાર બારણામાંથી નીકળતાં ડાબી બાજુના ગાખલામાં બે મૂર્તિ સ્રીપુરુષની છે. તે કોઈ ગૃહસ્થની હોય એમ જણાય છે. પૂર્વ તરફના બારણા પાસે દીવાલમાં ગોખલામાં એક નાની ખંડિત પ્રતિમાજી છે. સલામ'ડપમાં મૂર્તિએ બેસાડવાના નાના ગેાખલા પરધર સાથેના છે. સભામ ́ડપની બહાર છૂટા માટલા ઉપર રંગમંડપ ઘુમટ સાથે છે. ડેરા ફરતા કાટ છે.
૨૭
ઉપર બત ૦૫ મુજબ દેશસરા પાંચ છે તે એકબીજાથી જુદાં અને છૂટાં છે. નેમિનાથ ભગવાનના મોટા દેરાસરના રંગમ’ડપમાં એક બાંયરું' છે. તે મેટુ છે. તેનુ' મેઢું ખુલ્લું છે અને
અંડર ઉતરી શકાય છે. તેમાં એકાદ બે ખડિત પ્રતિમા છે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
૨૮
કુંભારીયાજી હાલમાં પંદર ફુટના આશરે છે અને પછી પત્થરની દીવાલ આવે છે. આ યરા માટે એવું કહેવાય છે કે-આ ભેંયરામાં આબૂ પર્વત ઉપર જઈને નીકળતું હતું અને આબૂ પર્વત ઉપર અદ્ધર દેવી છે ત્યાં બહાર નીકળવાને રસ્તે હતે. તે વાત માનવામાં આવે તેવું કંઈ નિશાન જણાતું નથી. ડુંગરે, નદીઓ, પહાડોમાં લગભગ ૨૫ થી ૩૦ માઈલ સુધી ભેંયરું સળંગ હોય તે ગળે ઊતરે તેવી હકીકત નથી.
આ દેરાસરમાં તેની ભવ્યતા અને બારીક કારણે જોતાં કરોડો રૂપિયાને ખર્ચ થએલે જણાય છે. થાંભલા, બારણાં અને ઘુમટેની કેરણ આબૂ ઉપરના દેલવાડાના શ્રી આદીશ્વર ભગવાનના દેરાને મળતી છે. કેટલેક ઠેકાણે તેનાથી ચડી જાય તેવી છે. દેરીઓ ઉપરના લેખ જોતાં દેરાસર તૈયાર થયા બાદ જુદા જુદા સમયે તેમાં પ્રતિષ્ઠાઓ થએલી હોય તેમ જણાય છે. આ દેરાસર બંધાયા તે વખતે આરાસાણ, ચંદ્રાવતી, હડાદ, પિસીના વિગેરે નગર જૈન વસ્તીથી ભરપૂર હતા, અને તેથી તેઓ તથા બીજા લેકે જરૂર જાત્રા કરવા આવતા અને આરાસાણના જેનો સંભાળતા. ભીમદેવ સોલંકી પછી સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ તથા વસ્તુપાળ તેજપાળના સમયમાં જૈન ધર્મની સોળે કળાએ ચઢતી હતી અને જૈન મંદિરનું સારી પેઠે રક્ષણ થતું. અને તે સમયે આ મંદિરો પણ સુંદર સુરક્ષણ નીચે હતા.
| મુસલમાની કાળમાં નુકસાન
પાટણમાં વાઘેલા વંશને છેલે રાજા કરણ વાઘેલે થશે. તેના રાજમાં માધવ અને કેશવ નામના બે ભાઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા
પાટણના પ્રધાન હતા. કેશવની આી બહુ જ રૂપાળી હતી. તેના પ્રત્યે રાજા કરણની બૂરી દાનત થઈ અને કેઈ પણ પ્રકારે તેને મેળવવાના પ્રયાસ કરવા માંડ્યો પણ બન્ને પ્રધાને પાટણમાં હોય ત્યાં સુધી કંઈ બની શકશે નહિ, એમ વિચારી માધવને કામ બતાવી દેશવર મોકલે. તેના ગયા પછી કેશવની સ્ત્રીને રાજમહેલમાં આણી લાવવા પ્રપંચ કરી માણસે મોકલ્યા. કેશવે પિતાની આબરૂ બચાવવા પ્રયાસ કર્યો પણ સત્તા આગળ શાણપણ નિષ્ફળ નીવડયું. છેવટે કેશવ મૃત્યુને આધીન બને અને તેની પત્ની કમળાદેવીને દરબારમાં લાવવમાં આવી. માધવ બહાર ગામથી આવ્યું ત્યારે તેના જાણવામાં આ બધી હક્ત આવી અને તેને બહુ જ ગુસ્સો ચડ્યો પણ એકલાથી રાવની સામે બાથ ભીડાય એમ ન હતું અને બીજી બાજુ વેરની જવાળા ભભુકી રહી હતી. પિતાના અવિચારી પગલાથી રાજ્યને, કરણને અને દેશને નાશ થશે તેને કંઈ પણ વિચાર કર્યા સિવાય તે પાટણથી નીકળી દિલ્લીના બાદશાહને ગુજરાત ઉપર ચઢાઈ કરવા સમજાવવા માટે દીલી ગયે.
આ વખતે દિલ્હીની ગાદી ઉપર અલ્લાઉદીન ખૂની બાદશાહ હતું. તે બહુ જ કૂર અને ધર્મઝનૂની હતે. માધવે તેને મળી બધી હકીકત કહીને ગુજરાત જીતવા સમજાવ્યું. બાદશાહને તે એટલું જ જોઈતું હતું. તેણે ગુજરાત જીતવાની તૈયારી કરી અને સં. ૧૩૫ માં
: શી જિનાભસરિએ તીથકમાં લખ્યું છે. જે એકसब इपण विक्रमरिसे मलामीण मुरताजस्म कणिट्टो Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
૩૦
કુંભારીયાજી
બાદશાહી મેલું લશ્કર લઈ તેના ભાઈ ઉલુમાનને ગુજરાત જીતવા રવાના કર્યો. આ લશ્કરે રસ્તામાં ગામા ઉજજડ કર્યાં, ખેતીવાડીના નાશ કર્યાં, દેવળા તેડી નાખ્યાં અને ગુજરાત તરફ કૂચ કદમ કરતા ચાલી નીકળ્યે,
!
દીઠ્ઠોથી ગુજરાતમાં આવવાના માર્ગ મારવાડ, મેવાડની વચ્ચે થઇને હતા. અને લશ્કર આવવાની અને તેનાથી થતા નાશની · હકીકત આગળથી સંભળાતી તેથી આરાસાણના જૈનોએ પ્રભુની મૂર્તિઓ જે દેરાસરા અને દેરીઓમાં હતી તે તમામ ઉઠાવી લઈ કાઈ સ્થળે ભંડારી દીધાં. ફક્ત કાઉસગોયા જે ન ઉઠાવી કે ઉખેડી શકાય તે દેરાસરામાં રહેવા દીધા. લડારેલી પ્રભુની પ્રતિમાજી કયાં છે તે હજી સુધી જાણવામાં આવ્યું નથી.
બાદશાહના ભાઈ લશ્કર લઈ મારાસાણ આવ્યા. મંદિરમાં મૂર્તિએ નહેાતી. કાઉસગીજીને ખંડિત કર્યાં. કારીગરી કે જેને તૈયાર કરતા વરસે લાગેલા, તેને અકેક भाषा उलुखान नामधिजा दिलापुराओ मतिमाह पेरिया ત્તરપદું ટ્ટિો ''
તેનેા ભાવાર્થ એવા છે કે-વિક્રમ સુંવત ૧૩૫૬ ના વરસમાં અલાઉદ્દીન સુલતાનને! ભાઈ લુખાન મંત્રી માધવની પ્રેરણાથી દીલ્લીથી ગુજરાત આબ્યા. ગુજરાતની જૂની પાઠમાળામાં એક કવિતા છે તેમાં એમ જણાવવામાં આવ્યું કે “ સું. ૧૩૫૩ સાત્ર વિક્રમની જ્યારે અલ્લાઉદ્દીન દીલ્લો તખ્ત પર એ ત્યાં આ ઉપરની કવિતાની બે લીટીથી એમ સમજાય છે –મલાઉદ્દીન માન્યા અને તે પછી ત્રણ વરસે ગુજરાત ઉપર
13
૧૩૫૩ માં ગદીએ ચડાઇ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૩૧
ઘાએ તેડી નાખી. જે પાંખડી બનાવવામાં કારીગરે એ પેાતાની કળા વાપરેલી તેને એક ક્ષણમાં નાશ કર્યાં. આારાસણના નગરજના ભયભીત થએલા હતાં તેમને લૂટી લીધા, મારી નાખ્યા અને કેટલાક નાસી ગયા. ગામને લૂટી માળી નાખ્યું' અને આગળ ચાલ્યા ગયા. ચંદ્રાવતીના પશુ સા સમયમાં નાશ થયેા. આમૂના મંદિરને નુકશાન કર્યુ. સર્વત્ર હાહાકાર વ્યાપી ગયે અને મુલક ઉજ્જડ થઈ ગયા, વસ્તી રહી નહીં. દેરાસરા ખાલી જ'ગલ વચ્ચે ઊભાં રહ્યાં.
હિન્દુસ્તાનને મુસલમાની વખતમાં બહુ જ સહન કરવું પડયું છે. હિન્દુસ્તાનના રજપુત રાજ્યે અંદરઅંદરના ઝઘડાએને લઇ અરસપરસ : લડી-ઝઘડી બહુ જ નબળા પડી ગયા હતા તેથી સામે થવાની હીમ્મત રહી નહાતી તેથી કાઈ સામે થઇ શકયુ નહી. કેઈ એકાદ શૂરવીર રાજા સામે થાય તે બાદશાહુના બળે આગળ તેને નાશ થતા અગર તાબે થવુ પડતુ એમ ઇતિહાસ કહે છે. મુસલમાનોએ આ સ્થિતિના લાભ લઈ સ ંસ્કૃતિ અને કળાના નાશ કર્યો. લૂંટફાટ કરી ગામે સળગાવ્યાં. ખેતીવાડી પાયમાલ કરી લેાકેાનો નાશ કર્યો અને જે હાથમાં આવ્યા તેમને જબરજસ્તીથી વટલાવી મુસલમાન કર્યા. આ આફતમાંથી આરાસણ પણુ બચી શકયું નહીં.
આરાસાણમાં ચારે તરફ ટેકરીએ, ડુંગરા અને પહાડા છે. વસ્તી રહી નહેાતી. દેરાસરા ખાલી ઊભા હતાં. ત્યાં દિવસે દિવસે ઝાડી જામી ગઈ ને જગă થયું. તાપ, વરસાદ અને જગલમાં જે કુદરતી માગ લાગી તેના ધૂમાડા લાગવાથી તેમજ જંગલી લેાકાએ સૂના પડેલા દેરાસરમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
૩ર
કુંભારીયાજી
વસવાટ કર્યો હાય તેથી દેરાસરા અંદર અને બહાર કાળાં થતાં ગયાં અને સ્ત્રાવી સ્થિતિમાં સં. ૧૩૫૬ થી ૧૬૭૫ સુધી ઊભાં રહ્યાં અને કાળાશના થર ઉપર થર જામતા ગયા. આ મદિરાથી એક માઈલ દૂર અખાજીનું સ્થાનક છે અને ગુજરાત મારવાડના ઘણા જાત્રાળુઓ ત્યાં આવે છે, અલાઉદ્દીન માદશાહની પછી કેટલાક માદશાહના વખતમાં કઈક શાંતિને સમય આવેલા અને અકબર બાદશાહના વખતમાં સારી રીતે શાંતિ હતી. તે વખતમાં અંબાજીની જાત્રાએ સારી રીતે યાત્રાળુ માવવા માંડ્યા. તે અને માતાજીમાં જે જનેતા રહેતા તેમણે અંબાજીને મહિમા વધારવા આ દેરાસરા સંબંધી ખાટી વાત વહેતી મૂકી, જો કે અંબાજી માતા શ્રી નેમનાથ પ્રભુની શાસનદેવી છે, આચાય મહારાજ શ્રી ધમઘાષસૂરિને તે દેવી પ્રત્યક્ષ હતાં, અને સૂરિમહારાજના ઉપદેશથી વિમળશાહે આરાસણ આવી તપ કરેલુ' અને દેવી પ્રસન્ન થયેલાં એટલે નીચેની વાત લેાકેાની ઉપજાવી કાઢેલી છે એમ ચાસ મનાય છે. માતાજીને મહિમા જગતમાં જાણીતા છે, પણ જનેતર અજ્ઞાની અને વહેમી માણુસાએ એવી વાત ચલાવી કે-વિમળશાહને માતાજી પ્રસન્ન થયાં અને એક રાતમાં ૩૬૦ દેરાં બધાવ્યાં, પછી વિમળશાહને કાના પ્રતાપે દેરાં બંધાયાં એમ માતાજીએ પૂછ્યુ. ત્યારે વિમળશાહે જવાબ દીધા કે ગુરુના પ્રતાપે. આવી રીતે દૈવીએ ત્રણ વાર પૂછ્યું. તેના તેવા જ ઉત્તર મળવાથી માતાજીએ દેરાં ખાળી નાખ્યાં અને નમૂનાનાં સાડાત્રણ દેશં રાખ્યાં. વિમળશાહ ભેાંયરામાં થઈ નાસીને ખબૂ ઉપર
ચાક્કસ
જતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૩૩
હૃા. આવી વાત પ્રચલિત કરી અને તે વાત માતાજીના ગરબામાં વણી લીધી તેથી હાલ આ દેરાં જેવા આવનાર હજુ પણ સંભારે છે પણ વિમળશાહ ૧૧મા, ૧૨મા સૈકામાં થયાં. ૧૯૮૮માં તેમણે આબૂ ઉપર પ્રતિષ્ઠા કરી અને આરાસાણના દેરા બંધાવ્યા પછી થોડા વખતમાં એટલે બારમા સિકાની અધવચ એટલે સં. ૧૧૫૦માં તેની હયાતિ નહતી, આરાસાણના દેરાસરમાં ૧૨મા, ૧૩મા ને ૧૪મા સંકામાં ટેરીઓમાં પ્રતિકાઓ થએલી છે અને અલાઉદ્દીન સં. ૧૩૫૬માં આવ્યું ત્યાં સુધી દેરાસરની જાહેરજલાલી હતી. વિમળશાહ તે વખતે નહેતા તે પછી ઉપરના દેરાસરો બાળી નાખ્યાની વાત બીલકુલ બેટી અને ઉપજાવી કાઢેલી છે એમ ચેક્સ મનાય છે. હાલ તે જાત્રાએ આવનાર ઘણા જૈનતર ગૃહસ્થને જ્યારે હકીકત સમજાવી સમજણ પાડવામાં આવે છે એટલે તે તરત જ માતાજીએ દેરા બાળી નાખ્યાની વાત ખોટી છે એમ સમજે છે. વળી અત્યારનાં પાંચ દેરાસર માટે જે જગ્યા રોકાએલી છે. તેના પ્રમાણમાં જે ૩૬૦ દેરાની વાત કહેવામાં આવે છે. તેના માટે કેટલી જગ્યા રોકાય તે પણ સમજુ માણસે વિચારી શકે છે.
કેટલાક માણસે સેનું કાઢી લીધા પછી જે કચરો રહે છે તેને દેરાં બળી ગયાના નિશાન તરીકે બતાવે છે પણ તે વાતને સમજુ માણસે ગ૫ માને છે. જેનેતરો અંબાજી પ્રત્યે સારો ભક્તિભાવ દર્શાવે છે, આસ્થા રાખે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી છે અને પૂર્ણ ઉદારતાથી તેમનું સન્માન કરે છે. વળી યાત્રાએ પણ વારંવાર આવે છે, જ્યારે જનોએ આ બાબત ઉદાસીનતા સેવી. આનું પરિણામ એ આવ્યું કે જેનેતર સારા વિદ્વાન માણસને પણ ઊંધે રસ્તે દોરેલા છે. ડોકટર ભંડારકર, ફારબસ સાહેબ અને મહીકાંઠા ડીરેકટરીના બનાવનાર પણ આ મંદિરની બાબતમાં અવળે રસ્તે દેરાયા છે. તેમણે મન ફાવે તેમ લખી નાખ્યું છે. તે વખતના દેરાંની સ્થિતિ અને
નેતએ જે વાત સમજાવી તે પ્રમાણે નેંધ કરી લખ્યું છે પણ જે ઊંડા ઉતરી તપાસ કરી હતી તે તેમને પણ ખરી વાત માલૂમ પડત.
નક ડોકટર ભંડારકર કહે છે કે જે અવશેષો છે તેથી અહી એક જમાનામાં ૩૬ ૦ મંદિર હોવા જોઈએ. આ હકીકત ટેકરીઓ ઉપરના કાટડે જેવાથી જેનેરાએ તેવું સમજાવ્યાથી લખી હશે પણ જે તેમણે તે અવશેષે તપાસ્યા હેત તેમજ ૩૬૦ દેરાસરે માટે કેટલી જમીન જોઈએ તે દ્રષ્ટિએ તપાસ કરી હતી તે ખાવું લખત નહી. ફાર્બસ સાહેબ ધરતીકંપને લીધે મંદિરો જમીનદોસ્ત થયાનું લખે છે તે પણ જૈનેતરના સમજાવ્યા પ્રમાણે લખેલું છે. ધરતીકંપ થાય તે પાંચ દેરાસર બીલકુલ સલામત કેવી રીતે રહે? તેથી એ વાત માનવા જેવી નથી. મહીકાંઠા ડીરેકટરીના કતાં ઉપરની નાના આધારે લખે છે તે પણ ગલત છે. ફાર્બસ સાહેબ અને બીજા કેવા અવળે રસ્તે દોરવાઈ ગયા છે તેને એક જ દાખલો જે રામામાં છે તે બસ છે. રાસમાળામાં ફાર્બસ સાહેબ લખે છે કે “માતાજીના દેરામાં જે મૂર્તિ પૂજાય છે તે પ્રબળ શિવની અર્ધામના અને હિમાચળ તથા મેનાની પુત્રી દુર્મી છે.' આવું લખી માતાના દેરામાં મૂર્તિ છે એમ બતાવ્યું છે પણ અંબાજી માતાજીના દેરામાં પુતિ નથી. ગોખ છે અને તે યંત્રથી વિભૂષિત છે. ગેખમાં
માંગીને શણગાર કરવામાં અાવે છે એટલે મૂર્તિનું રૂપ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૫
કુંભારીયાજી
તીર્થોદ્ધાર જેમ માણસને ચડતી પડતી આવે છે તેમ સ્થાનેને પણ ચડતી પડતી અનુભવવી પડે છે તે પ્રમાણે આ દેરાસરોના સંબંધમાં પણ થયું છે. દિલ્લી ઉપર અલાઉદ્દીન પછી વંશ બદલાયા અને બાદશાહે પણ બદલાયા. તે પ્રમાણે સલમા સૈકામાં દીલીની ગાદી ઉપર અકબર બાદશાહ થયે. તેના વખતમાં હિન્દુસ્થાને કંઈક છુટકારાને દમ ખેંચે; કારણ કે આ બાદશાહ હિન્દુ મુસલમાનને સરખા ગણતે. તેના રાજ્યમાં જુલમ કમી થયે હતું. બાદશાહની સભામાં પંડિત ભેગા થતાં, ધર્મની ચર્ચાઓ થતી અને તે સર્વ ધર્મને સરખા ગણતે. આ વખતે જૈનોના મહાન આચાર્ય શ્રીમદ્દ હીરવિજયસૂરિ વિદ્યમાન હતા. તેમની પ્રશંસા અને ખ્યાતિ હિન્દુસ્તાનમાં સ્થળે સ્થળે હતી તે સાંભળી અકબર બાદશાહને તેમની મુલાકાત લઈ ધર્મચર્ચા સાંભળવાની ઈચ્છા થઈ.
આચાર્ય મહારાજશ્રી શ્રીહીરવિજયસૂરિ આ સમયે ગુજરાતમાં વિચારતા હતા અને ભરૂચ પાસે કાવી ગધારમાં હતા. અકબર બાદશાહે ગુજરાતના સૂબા ઉપર આચાર્ય મહારાજને મોકલવા ફરમાન મોકલ્યું અને પૂરતા બંદબસ્તથી મોકલવા જણાવ્યું. સૂબાએ માણસ મારફત અને અમદાવાદના સઘની મારફત આ હકીકત આચાય મહારાજને પહોંચાડી. જિનશાસનને લાભ સમજી આચાર્ય મહારાજ બાદશાહને મળવા તૈયાર થયા અને વિહાર કર્યો. અમદાવાદના સૂબાએ તેને સુખપૂર્વક શીવ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી પહોંચી શકે તે માટે સુખાસન, શીગરામ વિગેરે સાધનસામગ્રી આપવા તૈયારી બતાવી પણ તે જૈન સાધુને ખપે નહી એમ કહી ગુરુએ વિહાર ચાલુ કર્યો. કેટલીક મુદતે લાંબે પંથ કાપી આગ્રા શહેરમાં બાદશાહને મલ્યા અને જૈન ધર્મનું રહસ્ય. સમજાવ્યું. આચાર્ય મહારાજની પાટે શ્રી વિજયસેનસૂરિ થયા અને તેમની પાટે શ્રી વિજયદેવ. સૂરિ થયા.
આરાસાણ ઊર્ફ કુંભારીયાજીથી પૂર્વમાં પિસીના ગામ છે, જે હાલમાં મોટા પોસીનાના નામથી ઓળખાય છે. હાલમાં ત્યાં પાંચ દેરાસરો છે અને જેનોની વસ્તી ૧૫ થી ૨૦ ઘરની છે. આ ગામ પહેલાં મોટું હતું અને જૈનોની વસ્તી મોટા પ્રમાણમાં હતી. આ ગામ અત્યારે ઠાકરના તાબામાં છે અને ઈડર રાજની હદમાં આવેલ છે.
આચાર્ય મહારાજ વિજયદેવસૂરિ વિહાર કરતા કરતા પિસીનામાં આવ્યા. જૂના પુસ્તકોના આધારે આરાસાણ તીર્થની શોધ કરવા પ્રયાસ આરંભ્યો અને તપાસ કરી દેરાસર શેલાવ્યા. પિસીનાથી જૈનો સાથે, આરાસાણ આવ્યા. દેરાસરે ઊભેલાં જોઈને અને તેમની કરુણ સ્થિતિ જોઈ આશ્ચર્ય અને ખેદ અનુભવ્યું. જગલમાં પ્રતિમાજી વગરનાં કાળા મેશ જેવા રંગે રંગાએલાં દેરા જોયાં અને
* અકબર બાદશાહ અને હીરવિજયસૂરિ તેમજ મુનિરાજના વિદ્યાવિયજીએ લખેલ “ સૂરીશ્વર ને સમ્રાટ ” નામના પુસ્તકમાં વિરતાર
થી મુલાકાતની અને જૈન તીર્થોના પટા મલ્યાની હકીક્ત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા
આ તીર્થનું પુનઃ સ્થાપન કરવાને નિશ્ચય કર્યો. આજુબાજુના જૈન સંઘને બોલાવી ભેગા કર્યા. એગ્ય પ્રબંધ કરી, પંડિત કુશળસાગરને ભલામણ કરી. કામ ચાલુ થયું. દેરાસરે અંદર અને બહારથી સાફ કરવામાં ઘણે જ ખર્ચ થાય તેવું હતું તે બની શકે તેમ નહીં જણાવાથી ફક્ત દેરાસરની અંદરના ગભારા અને સભામંડપ સાફ કરાવી, રંગ કરાવી સં. ૧૬૭૫ માં નવા પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૭૫ માં પ્રતિષ્ઠા થઈ તેના લેખ મોટા દેરામાં શ્રી મહાવીરસવામીના દેરાસરમાં અને પાર્શ્વનાથના દેરાસરમાં ભગવાનની પલાંઠી નીચે છે. આ રીતે તીર્થ ચાલુ કરવામાં આવ્યું. આ વખતે આરાસાણ ઉજજડ હતું. ચંદ્રાવતીને નાશ થએલે હવે તેમજ પોસીના સિવાય બીજું નજીકમાં મોટું ગામ નહિં હોવાથી આ આરાસાણ તીર્થની જાળવણી પિસીના જૈન સંઘને સેપવામાં આવી. અત્યારના જેવી તે વખતે મુસાફરીની સગવડ નહી હેવાથી જાત્રાળુ ઘણા જ થોડાં આવતાં. અંબાજીમાં જે જાત્રાળુ આવે, તેમાં જે જૈન હોય અને જાણતા હોય અગર દેરાસરોની ખબર જાણવામાં આવે તે દર્શન કરવા જરૂર આવતા. પિસીના ગામ બાર ગાઉ દૂર હતું અને જંગલમાં રસ્તે વિકટ હોવાથી વખતેવખત પૂરતી દેખરેખ રાખવાનું બની શકે તેમ હાય નહિ-અગર ગમે તે કારણસર ઘણ વરસના પસીનાવાળાના વહીટ બાદ અહીને વહીવટ શેઠ પ્રેમચંદ રાયચંદ, મુંબઈશાળાના હાથમાં ગયો હોય તેમ જણાય છે, અને પછી અમદાવાદના નગરશેઠે પણ અહીને વહીવટ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
૩૮
કુંભારીયાજી પણ રતાની વિકટતાને અંગે પૂરતા પ્રમાણમાં જાત્રાળુને અભાવ અને દેરાસરની શોચનીય સ્થિતિ હેવાથી આવક યણ પૂરતી થતી નહીં અને તેમ હોવાથી સગવડને અભાવ હેય તે દેખીતું છે. છેલ્લા વખતમાં દાંતા ગામના સંઘને વહીવટ હતું અને એકાદ પૂજારી અહીં રહેતે.
જાત્રાળુને ઉતરવા માટે ધર્મશાળા પહેલાં અહી હતી કે નહીં તેને કંઈ આધાર મળતું નથી પણ કેટલાક જૂના માણસના કહેવાથી જણાય છે કે અમદાવાદના શેઠ મનસુખભાઈ ભગુભાઈએ સં. ૧૫૭માં જૂની પડી ગએલી ધર્મશાળા હતી ત્યાં ફરી ધર્મશાળા બાંધી. આ ધર્મશાળા અત્યારે મોજુદ છે. ધર્મશાળાની પશ્ચિમ દિશાએ થોડે દૂર એક જૂને કુંડ છે, તેને પણ ધર્મશાળા બાંધતી વખતે દૂરસ્ત કરાવે છે.
ધર્મશાળાની પૂર્વમાં-ધર્મશાળાની નજીક ઉત્તરદક્ષિણ કોટની દીવાલ છે, અને તે ધર્મશાળાની પાછળના ભાગમાં થોડે દૂર જઈ ખૂણે પાડી, પૂર્વ દિશા તરફ વાળી છે અને શાતિનાથના દેરાસરની આગળ લાવવાનું વિચાર હશે. પણ દીવાલ અધૂરી રહેલી છે. આ દીવાલ જૂને કેટ જે મોટા દેરાની પશ્ચિમથી દક્ષિણ તરફ ટેકરીઓ ઉપર જાય છે તેની બરાબર સામે છે. આ દીવાલ કોણે કયારે બાંધી તે જાણવામાં આવ્યું નથી.
સં. ૧૯૬૦ના આ મહિનામાં આ પુરિતકાના લેખક અંબાજી આવેલ અને કુંભારીયાજીનાં દર્શન કરવા અંબાજીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૩૯
કુંભારીયા ગયેલા. 'ન કર્યો માદ દેરાસરાની સ્થિતિ જોઈ અક્સાસ થએલે. દેરાસરે અંદર અને બહાર કાળાં હતાં. કારિગરી પણ કાળી થઈ જવાથી કઇ સમજાતુ નહાતું. પૂજારી એક હતા તે દČન કરાવતા, ધમ શાળા નવી હતી. દેરાસરા તરફ આવવાના રસ્તા ઉપર ઉત્તર ખાનુ એક દરવાજો હતા અને બીજો દરવાજો પશ્ચિમ બાજુ મહાદેવનું દેરાસર મૂકીને હતા. આ દરવાજા હાલ નથી. તેના પત્થર પણ કાઈ લઈ ગયું લાગે છે,
સ. ૧૯૫૭ માં ધમશાળા થઈ ત્યારપછી જાત્રાળુ આવતા અને અહીં રહેતા. કાઇક વખતે સ'ધ પણ આવતા. અંડર વડાલીને સંઘ પચીશ-સ્ત્રીશ વરસ પહેલા અહીં આવેલા હતા પણ રસ્તાની અગવડતા અને વિકટતા ડાવાથી ખીજા તીર્થોના પ્રમાણમાં સંઘા અને જાત્રાળુ બહુ જ કમી આવતા. જ દ્વાર
હાલના વત માન સૂરિસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વ રજી મહાશજ મારવાઢમાં વિચરતાં વિચરતાં જાવાલ ગામના સંધ સાથે સ. ૧૯૭૬ ની સાલમાં કુંભારીયાજી પધાર્યા અને દેરાસરાની ચાચનીય સ્થિતિ જોઈ; કારણ કે સ', ૧૬૭૫ માં ગભારા અને સભામંડપ સાફ કરાવેલા તેને પશુ ત્રણસો વરસ થઇ ગયેલા અને દેરાસરા સે। વરસથી જગલમાં ઉભાં રહેવાથી તાપ, વરસાદ અને જંગલના ધૂમાડાથી કાળાં થઈ. ગેલાં, કેટલાક ગાંભવા હતી ગમેલા અને દેરાસરો છતુ
થયેલા; કારણ કે સ ંધે ૧૬૭૫ પછી પશુ મા દેરાસરામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
કંઇ પણ રીપેરકામ કરાવેલુ નહીં, આવા પ્રભાવિક ને ભવ્ય જિનાલયેાની આવી સ્થિતિ જોઈ સૂરિમહારાજને ઘણું દુઃખ થયું અને જૈન સંધ પાસે છાંદ્ધાર કરાવવાને નિશ્ચય કર્યો.
૪૦
અમદાવાદમાં સમગ્ર હિન્દુસ્તાનના શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની પેઢી છે. તે શેઠ આણુ ંદજી કલ્યાણજીના નામે ઓળખાય છે. આ પેઢીની શાખાએ પાલીતાણા, તાર’ગાજી ને શિખરજી વિગેરે ઘણે સ્થળે છે અને સુંદર રીતે વહીવટ કરે છે. આ પેઢીમાં સમગ્ર હિન્દુસ્તાનના પ્રતિનિધિએ છે અને અમદાવાદના શ્રીમત ગૃહસ્થા સ્થાનિક પ્રતિનિધિ તરીકે વહીવટ ચલાવે છે. તે સાથે જીર્ણોદ્ધાર, જીવદયા, સીઝાતા જૈનોને મદદ વિગેરે વિગેરે ઘણા ઉપયેગી ખાતાઓને સભાળે છે.
*
.
આ. શ્રી વિજયનેમિસૂરિ મહારાજે તે વખતના વહીવટકર્તા દાંતાના જૈન સઘને અને શેઠ આણુંદજી કલ્યાણુજીની પેઢીના સ્થાનિક વહીવટ કરનાર શેઠીઆઆને આરાસાર્થે ઊર્ફે કુંભારીયાજીમાં ભેગા કરી સ’. ૧૯૭૬માં વહીવટ દાંતા સઘ પાસેથી લઇ શેઠ માણુ જી કલ્યાણજીની પેઢીને સેાંપાળ્યે અને જીર્ણોદ્ધારનું કામ શરૂ કરવા સૂચના કરી.
પેઢીએ વહીવટ હાથમાં લઈ શાખા પેઢીની સ્થાપના કરી. પેઢી માટે સારું મકાન ખંધાવવાનું શરૂ કર્યું. પ્રતા માણસાની સગવડ કરવામાં આવી. સાશ હૅશિયાર કારીગરે ખેલાવવામાં આવ્યા. આરાસણની ખાણુમાંથી ખારસ કઢાવવા માંડ્યા અને થાંભલા, પાટ વિગેરે જે જે કાઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
કા
નાખવા જેવું લાગ્યું તે કાઢી નાંખી નવા નખાવવા શરૂ કર્યાં. અંદર ને બહાર સારૂં કરાવવાનું ચાલુ થયું સે ઇંડા મજૂરા કામ કરવા લાગ્યા. જંગલ દૂર કરાવવામાં આવ્યું. આ છીહારનું કામ ત્રણ વરસ ચાલ્યુ. પેઢીએ જોઇતી સગવડ માટે નામદાર શીરહી દરબાર અને નામદાર દાંતાના રાણાસાહેબની મદદ માગી અને તે મદદ તેમણે ખુશીની સાથે માપી એટલે જીર્ણોદ્વાર માટે જોઈતા સામાન વગેરે જકાતથી મુકત રહ્યાં. ત્રણ વરસ જીર્ણોદ્ધારનું કામ ચાલ્યુ. અને દેરાસરા નવા જેવા થઇ દીપવા લાગ્યાં– જાત્રાળુ માટે નહાવા ધાવાની, કપડાંલતાની, સેવા-પૂજાની સગવડ કરી, વાસણુ ગાડાંની ગાઠવણુ કરી અને તીથની જાહેાજલાલી વધી. સ. ૧૯૯૦ ની સાલમાં જૂના ધ્વજાદંડ ઊતારી વિધિપૂર્વક નવા ચડાવવામાં આવ્યા. વો. દ્વારના કામમાં પેઢીએ લાખે! રૂપીયાના ખચ' કર્યાં.
Íદ્વાર થવાથી જાત્રાળુની આવક વધી. સાધુ સાધ્વી પણ પહેલા કરતાં વિશેષ આવવા લાગ્યા. સ્થળની રમણિકતા વધી.
આજુબાજુ સુંદર પહાડ, જંગલ અને તેમાં સુંદર કારીગરીવાળા સુરમ્ય દેરાસરા, જિનેશ્વર ભગવાનની અદ્ભુત તેજસ્વી પ્રતિમાજી અને હવાપાણીની ઉત્તમતાથી જાત્રાળુના મનને જે શાન્તિ અને સ્વસ્થતા એઈએ તે મહીં સહેજે ઉત્પન્ન થાય છે. ગભાણમાતાજીની જાત્રાને દાલ હલી જાત્રાળુ માવે છે. તે તમામ જૈન અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૪૨
કુંભારીયાજી
જૈનેતા આ દેરાસરાની કતરણી અને સુંદરતા જોવા આવ્યા સિવાય ભાગ્યેજ રહેતા હશે.
શેઠ આણુજી કલ્યાણજીની અહીંની પેઢીમાં મુનીમ, પૂજારી વગેરેના પૂરતા બંદોખસ્ત છે. જાત્રાળુને કાઈ જાતની સેવા-પૂજામાં તેમજ રહેવા માટે હરત ન પડે તેની પૂરતી કાળજી રખાય છે. પાંચ દેરાસરામાં નિયમિત દરરેાજ સેવા-પૂજા થાય છે અને સાંજે આરતી ઉતરે છે. જાત્રાળુ સેવા-પૂજાના, આરતીનેા સારી રીતે લાભ લે છે. સં. ૧૯૯૭ ની સાલથી હડાદ અને દાંતાના શ્રદ્ધાળુ જૈન ભાઇઓની મદદની શુભ શરૂઆતથી અત્રે ધમ શાળાના મકાનમાં જૈનભાઇઓ માટે ભાજનશાળા ખેાલવામાં આવી છે. આ ભાજનશાળાના વહીવટ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી હસ્તક છે. જરૂરજોગા રસેયા ને ચાકર રાખી મુનીમની દેખરેખમાં આ લેાજનશાળા ચલાવવામાં આવે છે અને તેના લાભ જાત્રાળુ જે આવે છે તે સારા પ્રમાણમાં લે છે. મુનિ મહારાજો તથા સાધ્વી સમુદાયને પણ ભાજનશાળા થવાથી ખાસ અગવડ પડતી નથી. ભાજનશાળામાં જમવાના ઈ ચાર્જ નથી. જાત્રાળુ જે કંઇ કઈ મદદ તરીકે આપે છે તેથી ભેાજનશાળા ચાલે છે. વળી તીથી ભરાવવાનું કામ ચાલુ છે. તીથીના રૂા. ૫૧) રાખેલ અને તેવી ઘણી તીથી ભરાણી છે. સખત માંઘવારીના
i
-
લીધે સ. ૨૦૦૨ માં તીથીની રકમ રૂા. ૨૦૧) ઠરાવવામાં આવી છે. અને તેવી રક્રમાની પણ કેટલીક તીથી
ભરાણી છે. સેાજનશાળાની સગવડ થવાથી જાત્રાળુઓને પણ
..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા
૪૩
આરામ રહે છે. અને ઘણાખરા બે અગર ત્રણ દિવસ જાત્રાને લાભ લઈ શાતિ મેળવે છે. દિવસે દિવસે જાત્રાળુની સંખ્યામાં પણ સારો વધારો થયો છે. સંધ ભાગ્યે જ આવે છે કારણ કે અહી આવવામાં ખર્ચ વિશેષ થાય છે. પાંચ છ વરસ ઉપર ઉજજૈનના સંઘની સ્પેશીયલ નીકળેલી તેમને આબુરોડ સ્ટેશનથી કુંભારીયાજી ખાવવાને ઈરાદે હતે પણ મોટરભાડું અને મુંડકામાં જ ભારે રકમ આપવી પડતી હોવાથી અહીં ન આવતાં બીજે ચાલ્યો ગ. સં. ૧૯૦૧ના કારતક માણમાં પાલનપુર રાજ્યના મેરૈયા ગામને સંધ મુનિ મહારાજ શ્રી દેવવિમળાજીના ઉપદેશથી આવેલે તેમાં ૭૦ માણસ હતાં અને ત્રણ દિવસ પહેલા હતા. તે સિવાય છેલ્લા વીશ વરસમાં કઈ સંઘ આવેલ નથી.
અહીં જે સાધુ સાધ્વી આવે છે, તે ગુજરાતમાંથી દાંતા અને હડાદના માર્ગો અને આબૂ પાડ( ખરેડી)થી સીધા સડકે આવે છે. વિહાર ઘણા લાંબા છે. આબુ રેડના રીતે રાતે રહેવાની સગવડની ધર્મશાળા છે. દાંતાના રસ્તે દાંતાથી ત્રણેક ગાઉ છેટે ચોકી છે તેમાં રાત રહી શકે છે. હડાદથી આવવાને રસ્તે સારો નથી. બધા રાતા ડુંગરો અને ઝાડીથી ભરપુર છે, પણ કંઈ બીક જેવું નથી. અહીં હાલમાં જાત્રાળુની વધતી જતી સંખ્યાને લીધે હાલ જે ધર્મશાળા છે તે પૂરતી નથી. કેટલીક વખત બહુ જ અગવડ પડે છે તેમજ કે ઈ સંઘને આવવાને વિચાર થાય તે પણ ઉતરવાની પુરતી સગવડ નથી. જે ધર્મશાળા છે તે પણ નાની છે અને તેમાં પાછીને ભાગ લેજનશાળામાં રોકાલે છે. જ્યારે ઉનાળાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
મોસમમાં ઠંડી હવાને લીધે જાત્રાળુ સારા પ્રમાણમાં આવે, સાધુ–સાવી આવે તે વખતે બધાની સગવડ સારી રીતે કરવી તે પેઢીના વહીવટ કરનારને મુશ્કેલ સવાલ થઈ પડે છે. તેથી બીજી આધુનિક સગવડવાળી ધર્મશાળા સુરતમાં કરાવવાની જરૂર છે. જીર્ણોદ્ધાર વખતે ધર્મશાળા કરાવવાની હતી, તેના માટે જોઈતી સામગ્રી પર ઇંટેની તજવીજ થએલી અને પાયા દાવેલા પણ તે કામ બની શક્યું નહીં. અનેઈટ વાડો અને પત્થર રફેદફે થાય છે. ગાદલાં ગંદડાંની પણ વધારે જાત્રાળુ આવતાં અડચણ પડે છે. પણ તે કરાવવાની તજવીજ ચાલુ છે એમ જાણવામાં આવેલ છે.
પાણીની સગવડ પણ પૂરતા પ્રમાણમાં નથી. શ્રી શાતિનાથ ભગવાનના દેરાસરની આગળ નીચાણમાં એક કૂવે છે. તેનું પાણુ સારું છે પણ તે દૂર પડે છે. જીર્ણોદ્વાર વખતે કૂ કરવાનું હતું તે કામ પણ બંધ રહેલું છે. અને કૂવા માટે કરેલો ખાડો પુરાતે જાય છે. પાણીના અભાવે બગીચો પણ સારો મોટા બધા દેરાસ૨માં પૂરતા પ્રમાણમાં ફૂલ પહોંચે તેવો થઈ શકતું નથી.
અને મહાવીર સ્વામી અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની વચમાં ચોક છે તે મૂકી ઉત્તરાદા બારનું મકાન છે તે છતાર વખતે બંધાવેલું છે અને તેમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી છે. તેના મેડા ઉપર ત્રણ ઓરડા અને અગાસી છે અને એક ઓરડી છે. એારડામાં
જાત્રાળુ તથા સાધુ સાધ્વી ઊતરે છે. ઓરતમાં શ્રી મણીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
કુલારીયાજી
૪૫
ભદ્ર મહારાજનું સ્થાનક છે. આ તરફના જંગલી લોકો તેમજ અહીં રહેનાર માણસની તેમના પ્રત્યે ભારે આસ્થા છે. તેમની પણ રાજ પૂજા આરતી થાય છે. પેઢીમાં નીચે ઓસરીમાં ઓફિસ છે અને ઓરડામાં વાસણ તથા પરચરણ સામાન રાખવામાં આવે છે. પેઢીની બાજુમાં આથમણી તરફ ખડકીમાં જવાને દરવાજો છે. તે ખડકીમાં જે મકાને
છે તે પેઢીના છે અને તેમાં નોકરને રહેવાની વ્યવસ્થા છે. • પેઢીના ચોકમાં પાણી ગરમ કરવાની રહે છે અને તે જ એરડીમાં પુરૂષોને નહાવા માટે કામચલાઉ ગોઠવણ છે. બહેનેને નહાવા માટે સગવડ નહીં હોવાથી એક છીંડીમાં આગળ પડદે બાંધી દેવામાં આવ્યો છે. ત્યાં બહેને નહાય છે પણ પાણીની ઓરડી, પાણી ગરમ કરવા તથા ભાઈઓ અને બહેનેને નહાવા માટે પેઢીએ સારી ગોઠવણ કરવાની જરૂર છે ખડકી અંદર અને બહાર બીજી બે ઓરડીઓ છે તે નેકરના રહેવાના કામમાં આવે છે. શાનિતનાથના દેરાસરની નજીકમાં પેઢી તરફથી બંધાવેલ એક પાકી પરબડી છવીબંધ છે જેમાં પારેવાને હમેશાં દાણા નાખવામાં આવે છે. એક મકાન થોડા વખત ઉપર દાંતા દરબાર સાહેબ તરફથી ધર્મશાળાની દક્ષિણ બાજુ બંધાવેલું છે. તે બંગલાના નામથી એાળખાય છે. તેમાં દરબાર સાહેબ આશ્રિત એક મહારાજ આત્મારામજી રહે છે અને દરબાર સાહેબશ્રી કઈક વખત ત્યાં આવે છે. દાંતારાજ્યના અધિકારી વગ વારંવાર તેમની પાસે જાય-આવે છે. બંગલાના મકાનની આસપાસ ના બગીચા કરી તેને વાંની વાડ કરેલી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
છે. બંગલાની દક્ષિણ તરફ એક મહાદેવનું મંદિર છે તે મહાદેવને લોકો ભેશ્વર મહાદેવના નામે ઓળખે છે. આ મહાદેવના મંદિરને ઘાટ નીચે મેટા દેરાસરને કંઈક અંશે મળતા આવે છે. અધૂરું રહેવાથી અગર પડી જવાથી ઉપરને ભાગ પાછળથી કરેલે જણાય છે, તેનાથી પશ્ચિમે થોડે દૂર એક હનુમાનજીની દેરી છે.
દાંતા ભવાનીગઢનું રાજ આ રાજ જેડે આ તીર્થને હાલમાં સંબંધ છે તેથી તે રાજનું ટૂંક વર્ણન અહીં અસ્થાને ગણાશે નહીં. મહીકાંઠા ડીરેકટરીમાં તથા બીજા પુતકેમાં એમ જણવેલું છે કે-દાંતાના હાલના દરબારના વડવા નગરઠઠ્ઠા જે સીંધમાં આવેલું છે ત્યાંથી આરાસાણના ડુંગરમાં આવેલા અને ચૌદમા સૈકાની શરૂઆતમાં ગમ્બર નામને પર્વત, જે માતાજી પાસે છે ત્યાં રહી, સં. ૧૩૨૫ માં તે વખતના કેદારસિંહ નામના ઠાકોરે તરસંગ જે હાલમાં દાંતા રાજ્યના તાબામાં છે ત્યાં ગાદી સ્થાપી અને સં. ૧૬૦૦ ની સાલમાં, દાંતા ગામ વસાવી ત્યાં ગાદી સ્થાપી.
આ દાંતા ગામ હાલ દાંતા ભવાનીગઢ એ નામથી ઓળખાય છે. તે કુંભારીયાજીથી દસ ગાઉ દૂર દક્ષિણમાં આવેલું છે. તેના ફરતા ડુંગરો છે. દાંતા ભવાનીગઢથી અંબાજી આવવા માટે ડુંગરમાં પાકી સડક છે અને ત્યાં હાલમાં મોટર સરવીસ ચાલે છે. આ ગામમાં હાલમાં 9. જૈનોનાં દસ પંદર ઘર છે. તે સિવાય દિગંબર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૪૭
જૈનોનાં ચેડાં ઘર છે. બંને ફીરકાના દેરાસરે છે. - તાંબર જૈનોનું દેરાસર કુંભારીયાજીના દેરાસરના છવાર વખતે રીપેર કરી રંગકામથી સુશોભિત બનાવેલું છે. આ ગામમાં આસરે ૨૦૦૦ માણસોની વસ્તી હશે. રાજગાદી હોવાથી, મહેલ, બંગલા, બગીચા વિગેરે હેવાથી ગામની શેમા સારી જણાય છે. હાલમાં રાજ ઉપર મહારાણા સાહેબ શ્રી સર ભવાનીસિંહજી સાહેબ કે. સી. એસ. આઈ, રાજ્ય કરે છે. રાજા ભલા અને ધર્મષ્ઠ છે. માતાજીના ભક્ત અને દયાળુ વૃત્તિના છે. દાંતા રાજને મુલક ઘણેખરે ડુંગરમાં છે અને વસ્તી મોટા ભાગે અભણ, અજ્ઞાની અને જંગલી લકની છે. રાજના પાંચ મહાલ પાલ્લા છે. તેમાં મહાલકારી અને પોલીસ થાણું રહે છે. મોટા ગામોમાં ગુજરાતી વાર ધારણ સુધીની સ્કૂલો છે. દાંતામાં ગુજરાતી સાથે ઈંગ્રેજી પ્રાથમિક કેળવણી મળે તેવી ગુજરાતી સાત ધોરણની સ્કૂલ છે.
રાજમાં ડુંગરોની વચ્ચેના મેદાનમાં ખેતી થાય છે તેમજ હડાદ વિગેરે કેટલાક ગામે મેદાનમાં ખેતી થાય છે. હકાર અને બામોદ વચ્ચે મોટું તળાવ છે. તેના પાણીથી કેટલીક જમીનમાં પીતથી ખેતી થાય છે. ગામડાઓમાં કાચાપાકા કુવાથી પણ ખેડૂતે ખેતી કરે છે. મુખ્ય પાક જુવાર, બટી, મકાઈ, ઘઉં અને ચણાને છે. તેમાં રાજ ભાગ છે, જંગલમાંથી વાંસ, વળીએાની નીકાશ થાય છે. તેમજ જગહની બીજી આવક આવે છે. જકાતની આવક આવે છે, પણ મુખ્ય આવક અંબાજી માતાજીની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
૪૮
કુંભારીયાજી
અબાજી માતાજી
કુંભારીયાજીનાં દેરાસરોથી પશ્ચિમ માજી એક માઇલ છેટે આયૂ રેડ જવાના રસ્તા ઉપર માતાજીનુ મંદિર છે. તે ઘણું જૂનુ હાય એમ કહેવાય છે. તેની આસપાસ યાત્રાળુઓને ઉતરવા ઘણી ધર્મશાળાએ ભાવિકજના તરફથી અધાવેલી છે. માતાજીના મંદિરમાં જવાના મુખ્ય દરવાજે પેાલીસનું થાણું છે. તે મૂકી ચાક આવે છે. ત્યાંથી પગથિયાં ચડી જવાય છે, ચાકમાં માતાજીમાં ભાવતી જતી ચીજ વસ્તુ માટે દરબારી કાઠાર છે. પગથિયાં ઉપર આરસ જડેલા ચાક છે ને સામે આથમણા મારનું માતાજીનું મંદિર છે. બારણુ ચાંદીના પત્રે મઢેલા કમાઠવાળું છે. સલામ'ડપ બહુ જ નાના છે. તેમાં ચાંદીના પત્રે મઢેલા વાઘ માતાજીની બરાબર સામે મૂકેલા છે અને છતમાં ઘણી જ ઘ'ટડીએ બાંધેલી છે. તે આરતી વખતે જાત્રાળુ વગાડે છે. ગભારામાં માતાજીના ગોખ છે. તેમાં મૂર્તિ નથી પણ પૂજારી જુદા જુદા દિવસેાએ માતાજીના વાહનરૂપ વાઘ, હાથી, કુકડા ગાઢવી તેના ઉપર કપડાં અને ફૂલથી આંગી એવી સરસ બનાવે છે કે મૂર્તિ હોય એમ માલૂમ પડે. બારીકાઇથી જોનારને ખબર પડે કે-મૂતિ નથી. બ્રાહ્મણ અને ખાસ જાણકાર માણસ સિવાય બીજાને ગભારામાં પૂજા કરવા જવાની મનાઈ છે. પૂજા કરવા જનારને-માતાજીની પાવડીની પૂજા કરવાની ડાય છેભટજી કે જેઓ-સીદ્ધપુરના બ્રાહ્મણ છે, અને વંશપર પરાથી પૂજા કરે છે. તે કુટુમ્બના માણસે। પૂજારી તરીકે કામ કરે છે. આ ભટજીને ઈજારાની રકમ દરખારશ્રીને શરવી પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૪૦
અને તેના બદલામાં માતાજીની પૂજા કરવાને અને જાત્રાળુને ભો કરવાને હક તેને પણ છે. માતાજીની આગળ નાણું, રેકડ, કપડાં કે ચીજવસ્તુ જે આવે તે દરબારી કે ઠારમાં જાય છે. તેના બદૈબત માટે ગભારાની પાટ ઉપર એક દરબારી માણસ અને એક પૂજારી એમ બે માણસ કાયમ બેસે છે. - દરબારી માણસને આવક સંભાળવાની હોય છે. ભટજીને માણસ પૂજારી જાત્રાળુને ચાંદલા કરી પ્રસાદ આપે છે અને જ કરાવવા ભટજી પાસે જવાની સૂચના કરે છે. ભટજી. પાસે જાત્રાળુ જાય છે, અને ભય (કુંકુનાં થાપા) કરાવી શકિત પ્રમાણે ભટજીને આપે છે. ભટજીના મકાન પાસે બટુકભૈરવનું સ્થાનક છે. મુખ્ય દરવાજા સિવાય માતાજીના મંદિરમાંથી પૂર્વ તરફ નીકળવાને દરવાજો છે. તે રસ્તે જતાં આગળ માનવિર ચારે તરફ પત્થરથી બાંધેલું છે અને પવિત્ર થવાના હેતુથી જાત્રાળુ તેમાં નહાય છે. આ માનસરોવર .વાણું ઊંડું છે, અને તેમાં કેટલીક વખત અકસ્માત્ થાય છે. પાણ વછ રહેતું નથી, માટે તેમાં પાણી સવચ્છ રહે તેવા ગોઠવણ કરવાની જરૂર છે. માતાજીના મુખ્ય દરવાજા બહાર મેકી લોકોની આઠદસ દુકાને છે. તે સિવાય બ્રાહ્મણે, રાજ્યના નેકરે વિગેર થર્મશાળાની આજુબાજુ રહે છે.
બત્રાળ રસાલ હજારોની સંખ્યામાં આવે છે. પુનમ ઉપર સંઘ આવે છે. ચિત્રી અને ભાદરવી પુનમ ઉપર હજારે માણસના મોટા સંઘ આવે છે તે વખતે, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
५०
કુંભારીયાજી
આ મહિનાની નવરાત્રિમાં પુનમ સુધી ભરતી ઘણું હોવાથી ઘણા માણસને ધર્મશાળામાં ઉતરવાની જગ્યા મળતી નથી. જાત્રાળુઓ માટે ધર્મશાળાઓમાં ઉતરવા સિવાય બીજી કંઈ સગવડ હેતી નથી. મેંદીને ત્યાંથી વાસણ, સીધું લાવવું પડે છે. ગોદડાં ભાડેથી આપવાને ઈજારે છે અને ત્યાંથી ગંધાતાં ગાભાવાળા ગંદડાં મળે છે.
માતાજી આવનાર જાત્રાળુ. કેટેશ્વર, કુંભારીયાજી અને ગમ્બર જરૂર જાય છે. કોટેશ્વર માતાજીથી પૂર્વમાં પાંચ માઈલ દૂર છે. ત્યાં પર્વતમાંથી પાણીનું ઝરણું આવે છે, જે સીધપુર પાસેની સરસ્વતી નદીનું મૂળ છે. ઝરણનું પાણી પડવાને માટે નાને કુંડ છે. તેમાં જાત્રાળુ નહાય છે અને બાજુમાં આવેલા શંકરના મંદિરમાં અને વસિષ્ટ આશ્રમમાં ફરી પાછા વળે છે. ત્યાંથી કુંભારીયાજીનાં જિનાલયમાં આવે છે. અને ચાર માઈલનો થાક ઠંડકમાં બેસી ઉતારી, દેરાસરોનાં દર્શન કરી કેરણી જોઈ ચકિત થાય છે. ત્યાંથી માતાજી જાય છે. ગબ્બર પહાડ માતાજીની સામે પશ્ચિમ તરફ, બે માઈલ ઉપર છે અને ચડાવ સખત છે. માતાજીમાં દરબાર સાહેબે બંધાવેલ બંગલે છે. તેમાં રાણાજી માતાજી આવે ત્યારે ઉતરે છે. સિવાય એક સ્કુલનું મકાન અને લાઈબ્રેરી-અમદાવાદના ભુલાભાઈ પંચાલની બંધાવેલી તેમની ધર્મશાળા પાસે છે. માતાજીમાં આબુરોડ તરફથી આવતા જાત્રાળુઓ માટે નાયું છે. ત્યાં મહાલકારીની ઓફિસ છે અને અમલદાને ઉતરવાનું મકાન તથા ઘોડાર છે.
મકાનની પાછળની ઊંચી ટેકરી પર હાલમાં અમદાવાદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૫૧
શેઠ દુર્ગાદાસ લશ્કરીએ પિત્તાને જવા આવવાના સમયે રહેવા માટે મોટું મકાન બંધાયું છે. બીજું એક મકાન તેની સામે છેડે દૂર રસ્તા ઉપર છે. તે દરબારી મેમાન પરાણા આવે તેને ઉતરવા માટે છે અને એક બાજુ દાકતર રહે છે. મકાનના એક રૂમમાં દવાખાનું છે. તે સિવાય માતાજીમાં ઇલેકટ્રીક લાઈટ છે. પાણી માતાજીમાં દેરાની સામે મોટી વાવ છે તેનું તેમજ કવાએનું વપરાય છે.
માતાજી અને કુંભારીયા આવનાર દરેક જાત્રાળુ પાસે દાંતાના રાણા મુંડકું (કર) લે છે. આ મુંડકાનું રણ એક નથી તેમજ તેમાં ઉત્તરોત્તર વધારે થયાં જ કરે છે. પહેલાં એાછું લેવાતું તેમાં વધારે થતે થત રૂા. ૧-૧૫-૯ લેવાતા. અને સીએ, બા , બારોટ પાસેથી રૂ. ૦–૧૪-૬ લેવાતા તેમાં સં. ૨૦૦૧ ની સાલમાં વધારો કર્યો છે. માતાજીથી કુંભારીયાજી જનાર પાસેથી ૦-૦-૬ લેવા તી તેમજ કોટેશ્વર અને ગમ્બર જનાર જાત્રાળુ પાસેથી ૦-૧–૦ જુદા લેવાતા તે બંધ કરી હાલમાં રૂા. ૨-૧-૦ અને રૂા. ૧૦૦૦ લે છે. એક દિવસનું બાળક હોય તેનું પણ શું લેવાય છે. નાકાને વાંસને ઝપે છે અને સામે મોટર ટેકની બાજુમાં મૂંડકાની ટીકિટ ઓફિસ છે. મોટરમાં અગર પગ રસ્તે આવનાર દરેક જાત્રાળુને સૌથી પહેલાં આ મુંડકાફિસની બારીએ હાજર થવાનું હોય છે
* રાસમાળા ભાગ ૨, વિભાગ , પાના ૧૮૨ માં મુંજાને પ. ૧-૦-૦ લેત એમ બતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પર
કુંભારીયાજી અને ત્યાં પૈસા ભરી ચીઠ્ઠી લેવામાં આવે છે. આ ચીઠ્ઠીમાં કેટલા પૈસા લીધા તે લખવામાં આવતું નથી. મથાળે માતાજી, કેટેશ્વર, કુંભારીયાજી અને ગબર ગઢની જાત્રા માટે લખેલું હોય છે. બીજા રસ્તેથી આવનાર જાત્રાળુએ પણ નાકે આવી મુંડા ચીઠ્ઠી કઢાવવી પડે છે. મુંડકા બારીએથી જે ચીઠ્ઠી મળી તે લઈ જાત્રાળુ નાકાના ઝાંપે આવે છે. પહેરાવાળે ચીઠ્ઠી લઈ કાશ્મનને આપે અને માણસે ગણી જવા દે છે. દાંતાની રૈયત તેમજ જેને દર બારશ્રી તરફથી મુંકામાં માફી મલી હોય તેને મુંડકાની ચીઠ્ઠી લેવાની રહેતી નથી.
આવવા-જવાના રસ્તા કુંભારીયાજી આવવા માટે મુખ્ય રેલવે સ્ટેશન આબુરોડનું છે અને ત્યાં ઉતરી આવવા માટે પાકી સડક છે અને મોટો દોડે છે. આ સડક સીહી અને દાંતા રાજની હદમાં નીકળી છે. આબુરોડ સ્ટેશનના ચોગાનમાં અંબાજી તથા કુંભારીયાજી તરફ આવવાની અને આબુમાઉન્ટ ઉપર જવાની મોટર ઊભી રહે છે. તે બંને મોટરોની ટીકીટે જુદી જુદી ઓફિસેથી મળે છે. અંબાજી તરફ આવવાની મોટરે એક પારસીની માલીકીની છે અને બંને રાજવાળા પાસેથી તેણે કંટ્રાકટ રાખેલ છે અને સહક તેણે પિતાને ખર્ચ કરી બંધાવી છે. રીપેરીંગ પણ તે જ કરાવે છે. તે જાત્રાળુ પાસેથી રૂ. ૧-૧૨-૦ જવાના અને રૂ. ૧-૧-૦ આવવાના લે છે. તેમાં આબુ રોડથી
જતાં આઠ આના સીહી રાજના ટેક્ષના અને માતાજીથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
૧૩
આબુરેડ આવતાં આઠ આના દાંતા રાજ્યના ટેક્ષના એમ ટીકીટમાં લખેલું હોય છે તેથી મોટરમાં પણ રાજને કર લાગે છે. આખરેડથી માતાજી ફક્ત ૧૩ માઈલ છે. એક કલાકમાં આબુરોડથી માતાજી અવાય-જવાય છે. તેર માઈલના રસ્તા માટે આ ભાડું સખત છે. આ રસ્તે માવનાર જાત્રાળુ કેટલાક પગે ચાલીને પણ આવે છે, તેમને રસ્તામાં ચોકી વિગેરે કર આપવા પડે છે. કુંભારીયાજી સીધા આવનાર જાત્રાળ માતાજીમાં થઇ મજૂર પાસે સામાન ઉપડાવીને કુંભારીયાજી આવે છે. મોટરની સગવડ કુંભારીયાજી તથા કેટેશ્વર માટે જુદી છે અને તેની ઓફિસ માતાજીના ઉગમણ ઝાંપે છે. આ મોટરવાળા કોટેશ્વર જનાર આવનાર જાત્રાળુ માટે રૂા. ૦-૧૨-૦ ભાડું લે છે. કુંભારીયાઇ જવા આવવા માટે કંઇ નિયમ નથી. તેમજ છૂટાછવાયા જાત્રાળુ માટે મોટરની સગવડ ભાગ્યે જ મળી શકે છે. જે કેટે વર જનારી મોટર તૈયાર હોય અને તેમાં જગ્યા છે તે કુંભારીયાજી જનાર જાત્રાળુને બેસાડવામાં આવે છે અને જ્યાં કુંભારીયાજીની સડક જુદી પડે છે ત્યાં ઉતારો મૂકવામાં આવે છે. પાસે સામાન હોય તે ત્યાં મજૂર મળવાની પણ મુશ્કેલી ઊભી થાય છે, તેથી જાત્રાળુ બનતાં સુધી માતાજીથી મજૂર પાસે સામાન ઉપડાવી કુંભારીયા આવે છે. સ્પેશીયલ મેટર કરનાર ઠેઠ કંથારીયાજી દેરા પાસે અગર ધર્મશાળા પાસે આવીને ઉતરે છે પણ તેમની પાસેદી ભાડાની રકમ સંગ પ્રમાણે ૨.૪૮૦૦ થી રૂ. ૧૨ સુધી લે છે તેથી કુંભાયા આવવાની સગવડ માટે મોટરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
કુંભારીયાજી
અને તેના ટેક્ષ યાને ભાડાની રકમ નક્કી કરી મેાટર સરવીસની એફિસે અને કુંભારીયાજીમાં તેની સૂચનાને લગતુ એ મૂકવાની જરૂર છે.
૧૪
આબૂરાડ સિવાય દાંતાના રસ્તે પણુ જાત્રાળુ આવે છે. અને ઇડર, વડાલી વિગેરે તરફના જાત્રાળુ હુડાદ થઈને પણ સીધા કુંભારીયાજી આવે છે. હડાદ થઈને આવનાર જાત્રાળુ અહીંથી પચીસ માઈલ દૂર અમદાવાદ પ્રાંતીજ રેલ્વેનુ ખેડબ્રહ્મા નામનુ છેલ્લુ સ્ટેશન છે ત્યાં ઉતરી, ખેરાઇ સુધી મેટરમાં આવી ત્યાંથી પગરસ્તે આવે છે. આ રસ્તે હડાદથી માતાજી સુધી પાકી સડક ડુંગરામાં કાઢેલી છે. આ રસ્તે જાનવરની બીક હોવાથી ખાસ જાણીતા માસા સિવાય બીજા આ રસ્તે આવતા નથી. આ સિવાય ડુઇંગરેમાં બીજા રસ્તા છે પણ તે વિકટ હાવાથી કોઈ જાત્રાળુ તે રસ્તે આવતા નથી.
દાંતાનુ રાજ અને તીથ
અહીંઆ દેરાસર બંધાયા તે વખતે આ ભાગ ચંદ્રાવતીના રાજના તામામાં હતા અને શેઠ વિમળશાહ ત્યાં રાજવહીવટ કરતા હતા. ગુજરાતના સેલકી રાજાઓને તે પેાતાના મુગટ સમજતા. વિમળશાહે ચંદ્રાવતીમાં સેાલ'કી રાજાના મત્રો તરીકે વહીવટ ચલાવ્યે . આ વાતની ગુજરાતના સેલ કી રાજા પહેલા ભીમદેવને માહિતી મળતાં તેણે વિમળશાહને રાજચિહ્ન મેકલ્યાં હતાં. વિમળશાહ પછી ચંદ્રાવતી પાછુ પરમાર સામેના હાથમાં ગયુ. તે પણ ગુજરાતના રાજા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા
એના ખંડિયા હતા અને આરાસાણ એઓના તાબે હતું.
જ્યારે અલાઉદ્દીનનું લશ્કર ગુજરાત ઉપર ચઢ્યું અને આરાસાણને નાશ કર્યો. તે વખતે અંધાધુંધીના સમયમાં રાજસત્તાનું કંઇ કેકાણું રહ્યું નહીં.
દાંતારાજના વડવાઓ ઠઠ્ઠાથી આવ્યા. તે ચૌદમા સૈકાની શરૂઆતમાં આવ્યા તે હકીકત અગાઉ દાંતાના રાજની હકીકતમાં આવેલ છે. મતલબ કે દાંતાના રાજકાળ પહેલાનાં આ દેરાસરે છે અને તેની આજુબાજુની જમીન પણ દેરાસરોને લગતી છે. કુંભારીયા ગામ પાછળથી વસેલું છે. દાંતાનાં રાજની સત્તા જામતી ગઈ તેમ તેમ આજુબાજુને પ્રદેશ તાબામાં લીધે. દાંતાના સંઘના હાથમાં કુંભારીયાજીને વહીવટ હતે. સંઘ દરબાર સાહેબની રૈયત હતી. તે અરસામાં દેરાસરની આસપાસની ટેકરીઓ અને જમીન કે જ્યાં જૂના આરાસાણનાં જમીનદાત થએલા મકાનની જૂની મોટી ઈંટ વિગેરે મળી આવે છે તે ઉપર ધ્યાન દેવાયું હોય તેમ સંભવ છે.
શેઠ આણંદજી કલ્યાણજીના હાથમાં વહીવટ આવ્યા પછી જ્યારે ધર્મશાળા અને કુવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારે રાજ તરફથી નહીં ઈચ્છવાજોગ વિન નાખવામાં આવ્યું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી
૧ રાજધાની પાને ધારાવર નામના પુસ્તકમાં ભાગ ૧લામાં મારાપાને બારસેકર નામ વાપેલું છે. પાનું જર૧. વળી મા પુસ્તકની વરના પહેલા પ્રકરણમાં ચંદ્રાવતીમાં તેરમા સૈકામાં યોધવળ અને તેની પછી ધારાવર્ષદેવ નામના રાજી થયા અને તે ગુજરાતના રાજના તાબામાં હતા એમ બતાવેલું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
કુંભારીયા
રાજ સાથે સારા સંબંધ જળવાય તેવી રીતે દરેક પ્રસંગે વર્તવામાં આવે છે પણ અમલદારની દખલગીરીને લીધે તીર્થની પ્રગતિ થતી નથી. શાંતિનાથના દેરાસરની દક્ષિણે એક મોટું પીપળાનું ઝાડ છે. તેને નીચે એક મેટો શિલાલેખ હતે તે સં. ૧૯૯૭ ની સાલમાં રાજના માતાજીના અમલદાર ઉપાડી ગયા. આ બાબતની તકરાર પેઢી તરફથી ઠેઠ નામદાર રાણજી હજુર લેવામાં આવી અને શિલાલેખ પાછો આપ ના મદાર રાણાજીએ હુકમ કર્યો પણ પેઢીના માણસની માગણી છતાં પાછા આપવામાં આવ્યો નથી. ધર્મશાળા બંધાવવાની અને કૂ કરાવવાની જરૂર હોવા છતાં રાજની આવી ડખતેથી તે બની શકતું નથી, માટે રાજની સાથે મળીને શેઠ આણંદજી કલ્યાણજીની અમદાવાદની પેઢીના પ્રતિનીધીઓએ રસ્તે કાઢવાની ખાસ જરૂર છે.
આ આરાસાણ ઊર્ફે કુભારીયાજીનું તીર્થ પ્રાચીન ને પ્રભાવિક છે. વળી દેરાસરની કારીગરી ભવ્ય અને સુંદર છે. ચારે તરફ પર્વતમાળા હોવાથી જગા પણ રમણિય જણાય છે. અને સુંદર ઠંડો પવન ઉનાળામાં પણ ચાલુ હેય છે. તેથી જાત્રાળને આરામ અને શાન્તિ મળે છે. બની શકતી સગવડ થઈ છે. આ તીર્થ આખા હિન્દુસ્તાનના જન - તામ્બર મતિપૂજક જૈનોનું છે. સારી રીતે ઉતરવાની સગવડ થાય તે જાત્રાળુ ઘણું મોટી સંખ્યામાં આવે તેમાં રાજની પણ શોભા છે, માટે રાજ તરફથી તીર્થની ઉન્નતિ થવાના કામમાં પેઢીને મદદ આપવી જોઈએ, નકામી ડખો દૂર કરવી જોઈએ અને રાજના અમલદારોએ અને નામદાર મહારાણા સાહેબે અડચણે ન નાંખતાં સરલ અને ઉદાર મનથી સહકાર આપવો જોઈએ. તેમાં જ રાજની કીતિ છે, આ તીથ રાજની શોભારૂપ છે. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ જૈન વાણીયાની ઉત્પત્તિ શ્રીમાળી, પોરવાડ અને ઓસવાળ વાણીયા ઘણા ભાગે જૈન છે. શ્રી લાવણ્યસમયગણિએ સં. ૧૫૬૮ માં “વિમલપ્રબંધ” રમે છે તેના ખંડ ૧ લામાં, કાવ્ય બીજાથી વાણિયાની ઉત્પત્તિ વિશે વિસ્તારથી વિવરણ કરવામાં આવ્યું છે, જે રસિક ને જાણવા જેવું હોવાથી ટૂંકામાં નીચે માપવામાં આવ્યું છે.
શ્રી લહમીદેવી સત યમના વખતમાં એક વખતે શ્રી ઈન્દ્ર મહારાજની સભામાં ગયાં. ત્યાં ઘણું સન્માન પામી, ઈન્દ્ર મહારાજે આપેલી કલ્પવૃક્ષના ફૂલની માળા પોતાના કંઠમાં ધારણ કરી પાછાં વળ્યાં ત્યારે રસ્તામાં આવતાં તેમણે માળા તૂટી પડતી જાણી. તેથી તેમણે અનુમાન કર્યું કે આ સ્થાન મહિમાવંત અને ઉત્તમ હોવું જોઈએ. પોતાના પરિવાર સાથે ત્યાં રોકાયાં અને દેવેને બોલાવી એક સુંદર નગર વસાવવાનું કઈ દેવેએ તે જગ્યાએ મોટું સુંદર નગર વસાવ્યું અને તેનું નામ ૫૫માળ પાડયું. નગર વસાવવાનું કામ પૂરું કરી લ૧મી દેવી પરિવાર સાથે શવસ્થાનકે પધાર્યા.
ત્રેતા યુગમાં દેવી પાછાં પુષ્પમાળ નગરે પધાર્યા તે વખતે તેણે પહેરેલ મણિ, માણેક અને હીરાને હાર અચાના તૂટી પૃથ્વી ઉપર પડ્યો. લોકોને ઘણાં રત્ન મળ્યાં તેણે પુપમાળ નામ બદલી રત્નપર નામ પાડયું. તે પછી દ્વાપરયુગ મા દેવી વિમાનમાં બેસી નગરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૫૮
વાણિયાની ઉત્પત્તિ
-
~-- -- --
-
ખબર લેવા આવ્યાં. રાજાએ બહુ જ નમ્રતાથી બે હાથ જે પ્રાર્થના કરી અને દેવીના ચરણમાં પડ્યો. પ્રજાએ ભાવપૂર્વક ભક્તિ કરી, તેથી દેવીએ પ્રસન્ન થઈ પિતાના કંઠની માળા નગરજનેને આપી. અને રનપુર નામ બદલી નગરનું નામ શ્રીશ્રીમાલ સ્થાપ્યું. નગરજનેએ લક્ષમીદેવીનું મંદિર બંધાવ્યું અને માળા શ્રીદેવીનાં કંઠમાં આરોપણ કરી. દેવીએ શ્રી શ્રીમાળી જ્ઞાતિની સ્થાપના કરી.
આ શ્રીશ્રીમાલ નગરમાં કરોડપતિ હોય તે નગરના કેટમાં રહે અને બીજા બહાર રહે એવી પ્રથા હતી. નગરમાં ઉહડ અને શહડ નામના બે ભાઈ હતા, રહડ કરોડપતિ હતે. ઉહડ પાસે કરેઠમાં એક લાખ ઓછા હતા તેથી કરોડની રકમ પૂરી કરવા તેણે એક લાખ તેના ભાઈ પાસે માગ્યા પણ તેણે આપ્યા નહીં તેથી ઉહડને ખોટું લાગ્યું અને નસીબ અજમાવવા બીજે સ્થળે જવાને વિચાર કર્યો. રાજાના પુત્રને તેના પિતા સાથે અણબનાવ થવાથી તે પણ રીસાઈ દેશાવર જતું હતું. તે ઉપલદેકુમાર સાથે ઉડ પણ નીકળ્યો. શુકન સારા થયા. લાંબી મુસાફરી કરી તે સીંધમાં આવ્યા. સીંધના રાજાની રાજધાની નગરઠઠ્ઠામાં હતી. તેને આ બંને જણ મળ્યા અને રાજાની સૂચના પ્રમાણે ઉજજડ પ્રદેશમાં જઈ, ઉએસ નામનું નગર વસાવ્યું. ઉપલદે ત્યાં રાજ થયે અને ઉહડ તેને પ્રધાન થશે. તેઓની આશા ફળિત થઈ. તેના ઘેર એક ગાય હતી. તેનું દૂધ જંગલમાં જરી જાય છે એમ ઉહડને માલુમ પડયું તેથી તેની તપાસ કરવા તે જગલમાં ગયો. જે જગ્યાએ દૂધ જરી જતું જોવામાં આવ્યું તે સ્થળે તપાસ કરતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #77
--------------------------------------------------------------------------
________________
વાણિયાની ઉત્પત્તિ
શ્રી પાર્શ્વનાથ જિનેશ્વરની પ્રતિમા નીકળ્યાં. તે જ રાત્રે ઉહડને સ્વપ્નમાં શ્રી શચિદેવીએ આવીને કહ્યું કે-હું નગરનું રક્ષણ કરનાર દેવી છું. તને જે પ્રતિમાજી મળ્યાં છે તેમનું દેરૂં બંધાવ અને પાસે મારું મંદિર બંધાવ અને ઉસવંશની સ્થાપના કર. ઉડે રાજાને સઘળી હકીક્ત કહી અને મંદિર બંધાવ્યાં, ઉસવંશની સ્થાપના કરી. ઉસવંશની પરંપરાવાળા “ઓસવાલ' કહેવાયા.
આ બાજુ શ્રીમાલનગરમાં રાજા નબળો પડી જવાથી લુંટફાટ વધી પડી તેથી નગરજને એ પૂર્વના-પૌરવાચકવર્તની મદદ માગી અને દસ હજાર સુભટને તેડી લાવ્યા તેથી લોકોને ભય ટળી ગયો. સુભટોએ શ્રીમાળ નગરની પૂર્વમાં વસવાટ કર્યો અને ત્યાં શ્રી અંબાજી માતાજીનું સ્થાન હતું તેથી અંબાજી માતાજીની ભક્તિઆરાધના કરવા માંડી. તેઓએ પૂન-ઓચ્છવ–મહાવ કર્યો. અંબાજી માતાજી તેના ઉપર પ્રસન્ન થયા અને વરદાન આપ્યું કે-“તમારી ખાંધે વસી તમારું રક્ષણ કરીશ.” સુભટોએ અંબાજી માતાજીને ગોત્રજા સ્થાપી. હેરું રામરાવી તેના ઉપર દંડ, કળશ અને વિજા ચડાવ્યાં. આ સુભટે શ્રીમાળનગરની પૂર્વમાં વસ્યા માટે પ્રાગવાટ કહેવાયા. આ રીતે પરવાડ જ્ઞાતિની ઉત્તિ થઈ.
શીશ્રીમાળનગરને લક્ષમી દેવીને આપેલી બક્ષીસ પાછી લેવાથી કળિયુગમાં તેનું લિામાલ નામ પડયું અને અત્યારે તે નામથી પ્રસિદ્ધ છે. આ નગર હાલમાં મારવાડમાં લપુર શયની હદમાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
વાણિયાની ઉત્પત્તિ
વાણીયા ચોરાશી નાતના કહેવાય છે. તેમાં ઉપરની શ્રીમાળી,ઓસવાલ, પિરવાડ સિવાય બીજી નાતના વાણીયા થયા તે જ્ઞાતિનાં નામ નીચે પ્રમાણે છે
ખડાયતા, ખડેર, ખંડેલ, કઠણેરા, કોકિલા, કપાળ, નાઈલ, નાગર, નાણુવાલ, મોટાલાડ, લાડુઆશ્રીમાળી, હાલર, હરસુરા, ( હરસેલા), હુંબડ, શ્રીગોડ, ઝાલેરા, જેગડા, ધાકડીયા, વડીયા, ભુગડા, બ્રહાણેવિધુ, વાયડા, ગાંભુ, અડાલજા, મોઢ, માંડલીયા, પંચમ, પુષ્કરા, જંબુસશ, સુભટવાલ, મંડોવરા, અસ્થતિ, અચ્છતિવાલ, સુરહિયા, માથર, કબેજા, કરહિયા, પિરૂઆડ, સોરઠીયા, પદ્ધિવાલ, મડાહડા, મંડે, મેવાડા, વાલમ, છાવા, ચિત્રાવાલ, વઘેર, નરસંગુરા, સરખંડેર, ભુમા, નાગદ્રક, અગ્રવાલ, બાબર, વધણરા, (ધણુ કે ધીણેજ), વસુર, અસ્થિકી, અષ્ટવકી, પદમાદકી, ગોલવાલ, નારી, તેરેઢા, સાચોરા, ભાંડેરા, જેરાણા, નીમા, વઘટીયા, કોટવાલ, દાહિવ, સેનીસાથ, મયાલ, રાજશાખા, લઘુશાખા, વાડી શાખા, બે શાખા, ચશાખા, સુરાણા, રાજુરા, મેલિતવાલ, મુડેરા, આણદારાં
અઢાર વર્ણ કહેવાય છે, તે નીચે પ્રમાણે છે
બ્રાદ્યાણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ધ, કંદેઈ, કાછીઆ, કુંભાર, માળી, મનિયા, સુતાર, ભેસાઈત, તરબોળી, સોની, ઘાંચા, છીપા, લુહાર, મોચી, ચમાર, આ રીતે અઢાર વર્ણ છે.
% વાણિયા ચોરાશી રાતિના કહેવાય છે, પs ઉપર જે નામ બતામાં છે તે ગણતાં ૭૫ થાય છે, તેમાં મુખ્ય થીમાળી, ઓસવાળ, પ્રાગવાટ ત્રણ મેળવતાં ૭૪ થાય છે. વિમળપ્રબંધમાં જે લખેલું તે પ્રમાણે અહીં જ્ઞાતિનાં નામ લખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
સ્તવને
[[ શ્રી કુંભારીયાજીમાં પાંચ જિનાલયમાં જે જે મૂળનાયક ભગવતે છે, તેમના સ્તવને ભાવિકેને ઉપયોગી થશે તેમ જાણું પ્રાચીન સ્તવને આપવામાં આવે છે.]
મોયદ આનંદઘનજીકૃત શ્રી હષભદેવ જિન સ્તવન
(રાગ મારૂ–પરીક્ષાની દલી.) અષભ જિનેશ્વર પ્રીતમ માહરે રે, એર ન ચાહ રે કંત; રીઝ સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. સ૧ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે છે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રેનિરુપાયિક કહી ૨, સોપાયિક ધન ખાય. સ. ૨ • કોઈ કંત કારણ કાઇભક્ષણ કરે રે, મહશું કેતને ધ્યાય
એ મેલે નવી કરિયે સંભવે રે, મેળે ઠામ ન હોય. . ૩ કઈ પતિરંજન અતિ ઘણે તપ કરે છે, પતિરંજન તન તા૫ એ પતિરંજન મેં નવી ચિત્ત ધરે, રંજન પાતુ મિલાપ. સ. ૪ કે ઈ કર લીલા રે અલખ અલપત રે, લખ પૂરે મન આશ; દેષ રહિતને લીલા નવી ઘટે રે, લેવા દેવા વિવાય. સ. ૫ ચિત્ત પ્રસને પૂજન ફહ કહું રે, પૂજ અખંડિત એવ; કપટ રહિત થઈ આતમ અ૫ રે, આનંદઘન પર « જ ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સ્તવને
શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત સ્તવને શ્રી કષભદેવ જિન સ્તવન
જગજીવન જગવાલ, મરુદેવીને નંદ લાલ રે; મુખ દીઠે સુખ ઉપજે, દરિશન અતિહિ આનંદ લાલ રે. જગ૦૧ આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે; વદન તે શારદ ચંદલ, વાણી અતિહિ રસાલ લાલ રે. જગ ૨ લક્ષણ અંગે વિરાજતાં, અડહિય સહસ ઉદાર લાલ રે; રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ પાર લાલ રે, જગ ૩ ઈદ્ર ચંદ્ર રવિ ગિરિતણા, ગુણ લઈ ઘડીયું અંગ લાલ રે, ભાગ્ય કીહાથકી આવીયું, અચરિજ એહ ઉરંગ લાલ રે. જગ૦૪ ગુણ સઘળા અંગીક, દૂર કર્યા સાવિ દેષ લાલ રે, વાચક યશવિજયે થયે, દેજે સુખને પિષ લાલ રે. જગ ૫
શ્રી શાંતિનાથ જિન સ્તવન
( શ્રી જયાનંદ કુમાર-એ દેશી. ) ધન્ય દિન વેલા ધન્ય ઘડી તેહ અચિને નંદન જિન યદિ ભેટશુંજી; લહીશું રે સુખ દેખી મુખ ચંદ વિરહ યથાના દુખ વી મેટશું.
૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
સવને
જાર જેણે તુજ ગુલેશ, બીજે રે રસ તેહને મન નવી ગમે; ચાખે રે જેણે અમી લવલેશ, બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. તુજ સમતિરસ સ્વાદને જાણ, પાપ કુમતને બહુ દિન સેવિયા, સેવે ને કમને ચગે તેહિ, વાં છે તે સમકિત અમૃત ધુરે લિયુંછ. તારું ધ્યાન તે સમકિત રૂપ, તેહજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે ; તેહથી રે જાયે સઘળાં પાપ, ખાતા કચેય સ્વરૂપ હેયે પોજી. દેખી ૨ અદ્દભુત તાહરૂં રૂપ, અચરિજ લવિક અરૂપી પદ વરે; તાહરી ગત તુંહી જાણે છે કે, સ્મરણ ભજન તે વાચક યશ કરે છે.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(રાગ મહાર) વામાનંદન નિવર, મુનિવરમાં વડે રે કે મુનિવરમાં વહે, જિમ સુરમાહે સેહે સુરપતિ પરવડે છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
સ્તવનો
મૃ સુ. ૧
જિમ ગિરિમાંહે સુરાચલ, મૃગમાંહે કેશરી કે, જિમ ચંદન તરૂમાંહે, સુભટમાહે મુર અરિ રે કે. નદીમાંહે જેમ ગંગ, અનંગ સ્વરૂપમાં છે કે, ફેલમાંહે અરવિંદ, ભરતપતિ ભૂપમાં છે કે, ઐરાવણ ગજમાંહે, ગરૂડ ખગમાં યથા રે કે, તેજવંત મહિ ભાણુ, વખાણમાં જિનકથા ૨ ક. મંત્રમાંહે નવકાર, રતનમહે સુરમણિ છે કે, સાગરમાં સરય-રમણ શિરોમણિ છે કે, શુકલધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિમલપણે રે કે, શ્રી નયવિજય વિબુધપય-સેવક ઈમ ભણે છે કે,
ગ ૧૦ ૨
૨૦ ૨૦
આ સે. ૩
શ્રી મહાવીર જિન સ્તવન શિરૂઆ રે ગુણ તુમતણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે ગિ તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મલ થાઉં રે, અવર ન ધ આદરૂં, નિશદિન તેરા ગુણ ગાઉં રે ગિ. ઝીલ્યાં જે ગંગાજલે, તે છિલ્લર જલ કેમ પેસે રે, જે માલતી ફૂલે મહીયા, તે બાવલ જઇ નવી બેસે રે ગિ એમ અમે તુમ ગુણ ગોઠ, રંગે રાવ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આતરે, જે પરનારી વશ રાવ્યા રે ગિ. તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે; વાચક યા કહે માહરે, તુ જીવન જીવ આધાર રે ! ગિ.
* મુરારિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________ પ્રાપ્તિસ્થાન મથુરદાસ છગનલાલ શેઠ વારાશેરી, ભાવનગર રતિલાલ કેશવલાલ શાહ પ્રાંતિજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com