SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ કુંભારીયાજી છે અને પૂર્ણ ઉદારતાથી તેમનું સન્માન કરે છે. વળી યાત્રાએ પણ વારંવાર આવે છે, જ્યારે જનોએ આ બાબત ઉદાસીનતા સેવી. આનું પરિણામ એ આવ્યું કે જેનેતર સારા વિદ્વાન માણસને પણ ઊંધે રસ્તે દોરેલા છે. ડોકટર ભંડારકર, ફારબસ સાહેબ અને મહીકાંઠા ડીરેકટરીના બનાવનાર પણ આ મંદિરની બાબતમાં અવળે રસ્તે દેરાયા છે. તેમણે મન ફાવે તેમ લખી નાખ્યું છે. તે વખતના દેરાંની સ્થિતિ અને નેતએ જે વાત સમજાવી તે પ્રમાણે નેંધ કરી લખ્યું છે પણ જે ઊંડા ઉતરી તપાસ કરી હતી તે તેમને પણ ખરી વાત માલૂમ પડત. નક ડોકટર ભંડારકર કહે છે કે જે અવશેષો છે તેથી અહી એક જમાનામાં ૩૬ ૦ મંદિર હોવા જોઈએ. આ હકીકત ટેકરીઓ ઉપરના કાટડે જેવાથી જેનેરાએ તેવું સમજાવ્યાથી લખી હશે પણ જે તેમણે તે અવશેષે તપાસ્યા હેત તેમજ ૩૬૦ દેરાસરે માટે કેટલી જમીન જોઈએ તે દ્રષ્ટિએ તપાસ કરી હતી તે ખાવું લખત નહી. ફાર્બસ સાહેબ ધરતીકંપને લીધે મંદિરો જમીનદોસ્ત થયાનું લખે છે તે પણ જૈનેતરના સમજાવ્યા પ્રમાણે લખેલું છે. ધરતીકંપ થાય તે પાંચ દેરાસર બીલકુલ સલામત કેવી રીતે રહે? તેથી એ વાત માનવા જેવી નથી. મહીકાંઠા ડીરેકટરીના કતાં ઉપરની નાના આધારે લખે છે તે પણ ગલત છે. ફાર્બસ સાહેબ અને બીજા કેવા અવળે રસ્તે દોરવાઈ ગયા છે તેને એક જ દાખલો જે રામામાં છે તે બસ છે. રાસમાળામાં ફાર્બસ સાહેબ લખે છે કે “માતાજીના દેરામાં જે મૂર્તિ પૂજાય છે તે પ્રબળ શિવની અર્ધામના અને હિમાચળ તથા મેનાની પુત્રી દુર્મી છે.' આવું લખી માતાના દેરામાં મૂર્તિ છે એમ બતાવ્યું છે પણ અંબાજી માતાજીના દેરામાં પુતિ નથી. ગોખ છે અને તે યંત્રથી વિભૂષિત છે. ગેખમાં માંગીને શણગાર કરવામાં અાવે છે એટલે મૂર્તિનું રૂપ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy