SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ५० કુંભારીયાજી આ મહિનાની નવરાત્રિમાં પુનમ સુધી ભરતી ઘણું હોવાથી ઘણા માણસને ધર્મશાળામાં ઉતરવાની જગ્યા મળતી નથી. જાત્રાળુઓ માટે ધર્મશાળાઓમાં ઉતરવા સિવાય બીજી કંઈ સગવડ હેતી નથી. મેંદીને ત્યાંથી વાસણ, સીધું લાવવું પડે છે. ગોદડાં ભાડેથી આપવાને ઈજારે છે અને ત્યાંથી ગંધાતાં ગાભાવાળા ગંદડાં મળે છે. માતાજી આવનાર જાત્રાળુ. કેટેશ્વર, કુંભારીયાજી અને ગમ્બર જરૂર જાય છે. કોટેશ્વર માતાજીથી પૂર્વમાં પાંચ માઈલ દૂર છે. ત્યાં પર્વતમાંથી પાણીનું ઝરણું આવે છે, જે સીધપુર પાસેની સરસ્વતી નદીનું મૂળ છે. ઝરણનું પાણી પડવાને માટે નાને કુંડ છે. તેમાં જાત્રાળુ નહાય છે અને બાજુમાં આવેલા શંકરના મંદિરમાં અને વસિષ્ટ આશ્રમમાં ફરી પાછા વળે છે. ત્યાંથી કુંભારીયાજીનાં જિનાલયમાં આવે છે. અને ચાર માઈલનો થાક ઠંડકમાં બેસી ઉતારી, દેરાસરોનાં દર્શન કરી કેરણી જોઈ ચકિત થાય છે. ત્યાંથી માતાજી જાય છે. ગબ્બર પહાડ માતાજીની સામે પશ્ચિમ તરફ, બે માઈલ ઉપર છે અને ચડાવ સખત છે. માતાજીમાં દરબાર સાહેબે બંધાવેલ બંગલે છે. તેમાં રાણાજી માતાજી આવે ત્યારે ઉતરે છે. સિવાય એક સ્કુલનું મકાન અને લાઈબ્રેરી-અમદાવાદના ભુલાભાઈ પંચાલની બંધાવેલી તેમની ધર્મશાળા પાસે છે. માતાજીમાં આબુરોડ તરફથી આવતા જાત્રાળુઓ માટે નાયું છે. ત્યાં મહાલકારીની ઓફિસ છે અને અમલદાને ઉતરવાનું મકાન તથા ઘોડાર છે. મકાનની પાછળની ઊંચી ટેકરી પર હાલમાં અમદાવાદના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy