________________
સ્તવનો
મૃ સુ. ૧
જિમ ગિરિમાંહે સુરાચલ, મૃગમાંહે કેશરી કે, જિમ ચંદન તરૂમાંહે, સુભટમાહે મુર અરિ રે કે. નદીમાંહે જેમ ગંગ, અનંગ સ્વરૂપમાં છે કે, ફેલમાંહે અરવિંદ, ભરતપતિ ભૂપમાં છે કે, ઐરાવણ ગજમાંહે, ગરૂડ ખગમાં યથા રે કે, તેજવંત મહિ ભાણુ, વખાણમાં જિનકથા ૨ ક. મંત્રમાંહે નવકાર, રતનમહે સુરમણિ છે કે, સાગરમાં સરય-રમણ શિરોમણિ છે કે, શુકલધ્યાન જિમ ધ્યાનમાં, અતિ નિમલપણે રે કે, શ્રી નયવિજય વિબુધપય-સેવક ઈમ ભણે છે કે,
ગ ૧૦ ૨
૨૦ ૨૦
આ સે. ૩
શ્રી મહાવીર જિન સ્તવન શિરૂઆ રે ગુણ તુમતણા, શ્રી વર્ધમાન જિનરાયા રે, સુણતાં શ્રવણે અમી ઝરે, મારી નિર્મલ થાયે કાયા રે ગિ તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મલ થાઉં રે, અવર ન ધ આદરૂં, નિશદિન તેરા ગુણ ગાઉં રે ગિ. ઝીલ્યાં જે ગંગાજલે, તે છિલ્લર જલ કેમ પેસે રે, જે માલતી ફૂલે મહીયા, તે બાવલ જઇ નવી બેસે રે ગિ એમ અમે તુમ ગુણ ગોઠ, રંગે રાવ્યા ને વળી માચ્યા રે; તે કેમ પરસુર આતરે, જે પરનારી વશ રાવ્યા રે ગિ. તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે; વાચક યા કહે માહરે, તુ જીવન જીવ આધાર રે ! ગિ.
* મુરારિકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com