SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ કુંભારીયા બાહ વધાર્યો. મેટાં સારાં મકાને બંધાવ્યાં. ઘેર હાથી ઘોડા રાખ્યા. પવિત્ર ઘર દેરાસર કરાવ્યું અને ત્યાં હંમેશા શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરવા લાગ્યા. તેને એક નિયમ હતું કે શ્રી જિનેશ્વર ભગવાન સિવાય બીજાને નમન કરવું નહીં, તેથી પિતાના હાથમાં શ્રી જિનેશ્વર ભગવાનની છબીવાળી વીંટી રાખતા અને રાજદરબારમાં જાય ત્યારે વીંટી સન્મુખ રાખી રાજા તરફ જોઈ નમન કરતે. આ વાત ખટપટી માણસેએ રાજાને કહી, તેમજ પાછલું લેણું કાઢી રાજાને તે વસુલ કરવા સમજાવ્યું. શ્રેષીઓના કહેવાથી રાજા ભંભેર અને વિમળશાહ પ્રત્યે શંકાની નજરથી જેવા માંડયું. વિમળશાહને આ બધી ખબર પડી. હવે આ રાજમાં રહેવું તેમને ઠીક લાગ્યું નહી તેથી પિતાનું ધન, હાથી, ઘોડા, ઘરદેરાસર વિગેરે લઈ શકાય તેટલું લઇ તેણે પાટણથી પ્રયાણ કર્યું. જતાં પહેલાં રાજા પાસે જઈ કહ્યું કે મારા દુશ્મનોએ ખટપટ કરી, તમને ભંભેરી, મને હેરાન કરવાના પ્રયત્ન કર્યો અને તે તમે સાચું માન્યું તેથી મારું ભાગ્ય અજમાવવા હું પાટણ છોડું છું પણ હવે કેઈના માટે આવી રીતે ભંભેરાશ નહીં એમ કહી ચાલી નીકળ્યા. ચંદ્રાવતીમાં આ વખતે પરમાર રાજા રાજ કરતા હતે. વિમળશાહ માલવણ સુધી આવેલ છે અને હવે ચંદ્રાવતી આવવાના છે તેવા સમાચાર પરમાર રાજાએ જાણ્યા. વિમળશાહ સાથે હાથી, ઘોડાસ્વાર, પાયદળ વિગેરે પૂરતે લડાયક ૧. આ ચંદ્રાવતી નગરીનાં ખંડેર હાલમાં આબૂની તળેટીમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034927
Book TitleKumbhariyaji Tirth Urfe Arasan
Original Sutra AuthorN/A
AuthorMathurdas Chhaganlal Sheth
PublisherPochilal Dungarshi Trust
Publication Year1947
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy