Book Title: Kumbhariyaji Tirth Urfe Arasan
Author(s): Mathurdas Chhaganlal Sheth
Publisher: Pochilal Dungarshi Trust

View full book text
Previous | Next

Page 55
________________ કુંભારીયા આ તીર્થનું પુનઃ સ્થાપન કરવાને નિશ્ચય કર્યો. આજુબાજુના જૈન સંઘને બોલાવી ભેગા કર્યા. એગ્ય પ્રબંધ કરી, પંડિત કુશળસાગરને ભલામણ કરી. કામ ચાલુ થયું. દેરાસરે અંદર અને બહારથી સાફ કરવામાં ઘણે જ ખર્ચ થાય તેવું હતું તે બની શકે તેમ નહીં જણાવાથી ફક્ત દેરાસરની અંદરના ગભારા અને સભામંડપ સાફ કરાવી, રંગ કરાવી સં. ૧૬૭૫ માં નવા પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬૭૫ માં પ્રતિષ્ઠા થઈ તેના લેખ મોટા દેરામાં શ્રી મહાવીરસવામીના દેરાસરમાં અને પાર્શ્વનાથના દેરાસરમાં ભગવાનની પલાંઠી નીચે છે. આ રીતે તીર્થ ચાલુ કરવામાં આવ્યું. આ વખતે આરાસાણ ઉજજડ હતું. ચંદ્રાવતીને નાશ થએલે હવે તેમજ પોસીના સિવાય બીજું નજીકમાં મોટું ગામ નહિં હોવાથી આ આરાસાણ તીર્થની જાળવણી પિસીના જૈન સંઘને સેપવામાં આવી. અત્યારના જેવી તે વખતે મુસાફરીની સગવડ નહી હેવાથી જાત્રાળુ ઘણા જ થોડાં આવતાં. અંબાજીમાં જે જાત્રાળુ આવે, તેમાં જે જૈન હોય અને જાણતા હોય અગર દેરાસરોની ખબર જાણવામાં આવે તે દર્શન કરવા જરૂર આવતા. પિસીના ગામ બાર ગાઉ દૂર હતું અને જંગલમાં રસ્તે વિકટ હોવાથી વખતેવખત પૂરતી દેખરેખ રાખવાનું બની શકે તેમ હાય નહિ-અગર ગમે તે કારણસર ઘણ વરસના પસીનાવાળાના વહીટ બાદ અહીને વહીવટ શેઠ પ્રેમચંદ રાયચંદ, મુંબઈશાળાના હાથમાં ગયો હોય તેમ જણાય છે, અને પછી અમદાવાદના નગરશેઠે પણ અહીને વહીવટ કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84