________________
૧૩
નાટકબદ્ધ ગુજ્ઞાન કર્યાં હતા. સમ્યગદષ્ટિ દેવતાઓ, પોતાના વિમાનમાં તથા નંદીશ્વસÊિતીમાં પ્રભુભકિતની ઘણી ધામધુમ કરે છે! આવા તે પ્રભુભકિતના દૃષ્ટાન્તા ઘણા આવે છે
પ્રભુભકિતના પ્રકાર :~~
પ્રભુભકિતના અનેક રીતે પ્રકાર પડે છે. એમાં એક રીતે દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બે પ્રકારે છે. ભાવપૂજામાં પ્રભુના ગુગની સ્તુતિનુ હૃદયમાં પરિણમન આવે. અર્થાત્ ગુણેને આત્માના અધ્યવસાયમાંઆત્માના ભાવમાં ઉતારવાનુ` આવે, જેમકે ચૈત્યવદન વિગેરેથી આત્મામાં જે ભાવાલ્લાસ થાય છે, તે ભાવપૂજા છે. તેવી રીતે પ્રભુની આગળ પાતાના આત્માની અતિશય જધન્ય તથા દે; ઘી ભરેલી સ્થતિનો ખ્યાલ અને પશ્ચાતાપ, તથા પ્રભુના ઉકતા ખ્યાલ અને અન્પાદન કરાવનાર સ્તવનાદિ પણ ભાવપૂજા છે. આગળ જઇને કહીએ ! પ્રભુની આજ્ઞાનું પાલન જૈમ વિરતિ, ઉપશમવિગેરે એ ઉતમ ભાવપૂજા છે.
ભાવપૂજાનું કારણ દ્રવ્યપૂજા છે. તેના અનેક પ્રકાર છે. અંગપૂજા અને અગ્રપૂજા એ બે વિભાગમાં પણ સર્વેનો સમાવેશ થઇ શકે છે. આગલા દિવસના પુષ્પ વિગેરે નિર્માલ્ય ઉતારવા માટે પ્રભુને માટેજ ખાસ રાખેલી મૃદુ મારપીછીના વિનીત અને મુલાયમ ઉપયોગથી માંડીને રત્ન વિગેરે આભરણુ ચઢાવવા સુધી પ્રભુની મૂર્તિના અંગપર જે પુત્ર કરાય છે. તે બધી અંગપૂજા છે અને પ્રભુની સન્મુખ જે વ્યપૂજા કરાય છે તે અત્રપૂજા છે, અગપૂજામાં જલપુજા ( પોંચામૃત અભિષેક ) ચંદન બરાસ-કસ્તુરી વિગેરેથી વિલેપનપૂજા, કૈસરપૂજા, પુષ્પપૂજા, ચૂણું વાસક્ષેપપુજા, પુષ્પમાલ્યપૂજા, આભરણુપૂજા, રજતસુવણ પત્ર (વરખ) બાદલાપૂજા વિગેરેનો સમાવેશ થાય છે. અત્રપૂજામાં ધૂપ, દીપ, અમૃ માંગલિક, અક્ષતસ્તિકયા, વધાવતુ, ને વેદ્ય, ફળ, આમરવી’જન. કહ્યુ, નૃત્ય, ગીત વાજીંત્ર, ધ્વજ વિગેરેની પુખ્ત આવે છે. અષ્ટપ્રકારી, સત્તરભેડી, એક્વીપ્રકારી વિગેરે. પૂજાના પ્રકાર હાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com