Book Title: Jinbhakti Sarita Yane Snatra Pujanu Vishishta Vivechan
Author(s): Padmavijay
Publisher: Jain Aradhak Mandal

View full book text
Previous | Next

Page 48
________________ પ્રભુને જન્મ અને જન્મને પ્રભાવ - શુભ લગ્ન જિન જનમીયા, નારકીમાં સુખ જત; સુખ પામ્યા ત્રિભુવન જના, હુએ જગત ઉદ્યોત પવા અપૂર્વ આનંદ અને સ્મૃતિ અનુભવે છે. કપાયના પ્રચંડ તાપના ધખારા ઉપર આક્રમતા ઉપશમાદિ સની અને ગ્રાહી ઠંડકને અનુભવે છે. ધમ દેશનાના મંગલમય ગીત ચાલે છે, લઘુકમ છ પ્રમાદ નિદ્રામાંથી જાગ્રત થાય છે, અને જીવનના પરમ કર્તવ્યના બેધપાકને પ્રેમપૂર્વક અંગીકાર કરી તે કર્તવ્યોના પાલનમાં સુભટની માફક સજજ થાય છે. પ્રભુની માતા રાજાની પાસેથી રવાના ફળને સાંભળે છે સદેહરહિતપણે તેને સત્ય તરીકે સ્વીકારે છે, તથા સાંભળતા અને સ્વીકારતાં હર્ષ ગંગામાં સ્નાન કરે છે. હપના આવેશમાં શરીરમાં રોમાંચ પણ વિક કવર થઈ જાય છે. ત્યારબાદ પતિની અનુજ્ઞા લઈ માતા પિતાના સ્થાનમાં આવી જાય છે. આવેલા સારા સ્વપ્નના ફળ ચાલ્યા ન જાય તે કારણે એ રજનીના બાકીના સમયને મહાપુરૂષના પવિત્ર સ્મર વિગેરે ધર્મધ્યાનમાં પસાર કરે છે. પરમાત્માના દર્શન, તીર્થની સ્પર્શના, વિગેરેને વને આવેલા હોય તે તે મંગલસૂચક છે. સ્વપ્ન બાદ તુરત જાગીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરી ધાર્મિક જાપ અને ધ્યાન વિગેરેમાં રાત્રિ પસાર કરવી જોઈએ સારા સ્વપ્ન આવવા માટે જીવનમાં શીલસંપન્નતા, સદાચાર, જિનાજ્ઞાપાલન, દેવગુરૂની ઉપાસના વગેરે અનેક ગુણોની અપેક્ષા રહે છે. સારા સ્વિને આવ્યા બાદ ઉ ઘી જવાથી તે નિષ્ફળ નીવડે છે. પ્રભુની માતા ગ્નના મુખ્ય ફળ તરીકે જાણે છે કે જગતમાં તિલક સ્થાને રહે એવા જગતમાં મુખ્ય થાય એવા પુત્ર રત્નનો જન્મ થશે. તિલક જેમ મસ્તકે ધારણ કરાય છે. તેમ પ્રભુજી લેકોથી મસ્તક ધારણ કરાશે એટલે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92