________________
(૫૦)
ઉજજવળ સમાધિ અને ઉજજવળ સદગતિ મળવાની અને પરિણામે ઉજવળ મેક્ષ પ્રાપ્ત થવાને. મહાન વસ્તુઓ પ્રભુચરણે ધરી મહાન પ્રભુભકિત કરવા માટે મળેલા સોનેરીભવમાં સબંધીજને અને સ્વાથી જગતને આપણો માલ ખવડાવી દેવામાં તે એ બધાને તાગડધીન્ના કરવાનું થાય છે. ત્યારે તેના ભાગે આપણે તે મારજ ખાવાને રહે છે. ખરેખર ! સ્વાર્થનીજ સાંકળથી સંકળાઈ આપણી વાહવાહ કરનાર જગતને રાજી કરવા પાછળ કે એની ગુલામી પાછળ લક્ષ્મીને દુર્ભય, શકિતને દુરપયોગ, જીવનની બરબાદી વિગેરે અનેક પ્રકારની નુકશાનીમાં મૂઢ આત્મા ઉતરી કેવું સાહસ કરે છે ! વિચાર કેમ ન આવે કે અમારા તુચ્છ સ્વાદની ખાતર દૂધના ભર્યા વાલા ચાલુ જ રહે અને ત્રણ જગતના નાથના અભિષેકમાં પાછું જેવું દૂધ? કળશથી અભિષેક કરતાં તેના નાળચા પ્રતિમાજીને ન અડે તેની કાળજી તે પૂજક અવશ્ય કરે. નિર્મળ જળના અભિષેક કર્યા બાદ પ્રભુને મુલાયમ સુકોમળ અંગલુહણાથી લુછવા જોઈએ. દિવ્ય વસ્ત્રથી ઇન્દ્ર પ્રભુના અંગ પર રહેલું પાણી લુછી નાખે છે. પ્રભુજીના અંગને લુછવા માટે અંગલુહણ કેવા જોઈએ ? મશરૂની તળાઈ કરતાં પણ વધુ મુલાયમ અને સુંવાળા અને તે પણ ઉજળા જોઈએ, પીળા પડી ગયેલા નહિ, કે મેલા ઘેલા પણ નહિ અને ફાટેલા તુટેલા પણ નહિ. ખીસા રૂમાલ, જરીઆન સાડીઓ, સુઈ રહેવાના ગાલીચા, લગ્નના પ્રસંગે પથરાતી ગાદીઓ અને તકીઆ કેવા સુકોમળ અને સફેદ હોય છે. ખરબચડા અને મેલાઘેલા ત્યાં ચલાવી લેવાતા નથી તે નિમિતે કાંઈ વધુ ખરચ થઈ જશે, એ પ્રશ્ન પણ હાથ ધરવામાં આવતા નથી. સુખસગવડ-વૈભવવિલાસ અને આબરૂ સાચવવાની ખાતર લક્ષ્મીના વ્યયની કિમત કાંઈ આંકવામાં આવતી નથી તે પ્રભુભકિતમાં કેમજ વ્યયને વિચાર થાય છે માટે પરમાત્માને લુછવાના અંગલુહણુ તે ઉપર બતાવેલ સુકુમાળ વસ્તુથી પણ વધુ સુકુમાળ, ઝીણુ અને ઉજળા જોઈએ.
કિંમત જડનાં ભેગની કે દેવાધિદેવની ભકિતની શકિત પહોંચે તે રોજ નવા નવા બંગલુહણાને ઉપયોગ કરવાને, તે ન પહોંચે તે એકShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com