________________
(૨) પરિસસ અને ભયંકર ઉપસર્ગોને અચલ અને અવિરત સમાધિ પૂર્વક આનંદિત હૈયે સહનકરી કેવલજ્ઞાનરૂપી અદ્ભૂત તિદિવાકરને પ્રગટ કર્યો અને જગતના ભવ્ય આત્માઓને અનંત ઉપકારકારી ધર્મ તીર્થની સ્થાપના કરી. ખરેખર જગતની અનન્યતારક વિભૂતિ તરીકે શ્રી જિનેશ્વરદેવે સિવાય બીજા કોણ બનવા માટે યોગ્ય છે? જે પુણ્યશ્લેક પુરૂષોતમેએ અનંતાનંત ભાવુકજીને મિથ્યાત્વના ઘેરઅંધારામાંથી બહાર કાઢી સમ્યગદર્શન પમાડવા સાથે નિર્મળ આત્મજ્ઞાન અને જગતના તત્વોનું જ્ઞાન આપ્યું તથા ચારિત્રના મહાન રસીયા બનાવ્યા અને નિરાબાધ સુખસાગરમાં ઝીલતા કરી દીધા. અહીં આપણું પ્રાણપ્યારા તે પ્રભુને કે અનહદ અમાપ અને અભૂતપૂર્વ ઉપકાર ! એ તારક પરમાત્માના શરણને નહિ સ્વીકારનારા છ વિષયકપાયરૂપી જંગલી અને શિકારી પ્રાણુઓથી કરણ રીતે ફેંટાઈ જાય છે પીસાઈ જાય છે અને અનંતા મરણને નેતરી લે છે એમાં નવાઈ નથી. શ્રી જિનેશ્વર દેવેજ નિરાધાર જગત માટે પરમ શરણ અને પ્રબળ પ્રેરક આશ્વાસક રૂપ છે તેથી કેવળ અરિહંતજ તત્વનીદષ્ટીએ પરમ ઉપાસના કરવા લાયક અને ધ્યાન કરવા યોગ્ય છે. પરમાત્માની ભક્તિને પ્રકાર અને તેનું ફળ -
ઉપાય અને ધ્યેયરૂપ અરિહંત પરમાત્માની ઉપાસના અનેક પ્રકારથી થઈ શકે છે આરાધ્ય દેવાધિદેવ તરફ અપૂર્વ પ્રેમ પ્રગટાવવાનું સાધન તેઓશ્રીની ભાવભીની ભકિત છે. ભક્તિ રસની રમઝટમાં આમા વિપુલ કર્મની નિર્જરા તથા પુણ્યાનુબંધી પુણ્યને થાક ઉપાજે છે. પરમાર ત્માની ભક્તિરસની ધૂનમાં રાવણે અષ્ટાપદ પર્વત પર ધરણેન્દ્ર જેવા ડાલાવી નાખ્યો. તે ભક્તિના પ્રધરમાં પરમાત્માના સ્નાત્ર મહેત્સવની ઉજવાણી અષ્ટમરી પૂજા, અંગ ચન, ગીત નૃત્ય-વાજિંત્રની પૂજા ભાવ પૂજા વિગેરેને સમાવેશ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com