________________
૨૦ 1
[ શાસનનાં શ્રમણીરત પૂ. લાભશ્રીજી મહારાજ પૂ. શ્રી ખાંતિશ્રીજી મહારાજના સંસારી સંબંધે સગાં ફઈ હતાં. એ સંબંધે તેમણે તેઓશ્રી પાસે દીક્ષા લીધી હતી. તેમને પરિવાર વટવૃક્ષ માફક વિસ્તર્યો. આ પરિવારમાં શિષ્ય-પ્રશિખ્યા અને તેમની પણ શિષ્યાઓ થઈ. જેમાં કોઈ સમર્થ લેખિકા બની, બે પ્રશિષ્યાઓએ ૫૧ ઉપવાસની પ્રખર તપસ્યા કરી, ઘણાંએ માસક્ષમણ, અઠ્ઠાઈ સેળ, વીશ, એકવીશ, વતસીતપ, વીશસ્થાનક તપસ્યા કરી, ઘણાં શિખ૨જી સુધી, ઘણાં રાજસ્થાન–આબૂ સુધી, ઘણું જેસલમેર સુધી, ઘણાં મહારાષ્ટ્રમાં જન્નર મંચર પૂના આંબેગામ સુધી દીઘ અને ઉગ્ર વિહાર કરનારાં સાધ્વીજીઓ છે. કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન આદિ પ્રદેશોમાં વિહરતે આ પરિવાર શ્રી પાર્ધચંદ્રગચ્છનું નામ રોશન કરી રહ્યો છે અને શાસનની સતત અને અનેકવિધ પ્રભાવના કરી રહ્યો છે!
એવાં એ સમૃદ્ધ પરિવારના પ્રવર્તક સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજને કેટિ કોટિ વંદના!
સ્ત્રીના સમ્યક સ્વાતંત્ર્યના હિમાયતી : સાધ્વી વ્યાખ્યાનના પ્રચંડ પુરકર્તા
પાર્વચંદ્રગમાં સૂર્ય સમાન પ્રકાશમાં પૂ પ્રવર્તિની શ્રી ખાંતિશ્રીજી મહારાજ શું” એટલે હદયરૂપી ગુહામાં “” એટલે પ્રકાશ પાથરે એનું નામ ગુરુ. એવા શક્તિશાળી ગુરુને જીવનમાં કેગ થાય તે તે યુગથી જીવન સફળ બને. પૂ. પ્રવતિ ની શ્રી કાંતિશ્રીજી મહારાજ એવા શક્તિશાળી ગુરુ હતાં.
કચ્છ પ્રદેશની કામણગારી ધરતી પર માંડવી તાલુકામાં નાનું નમણું નાગલપુર નામનું ગ મ છે. એ ગામમાં પિતા પુંજાભાઈ અને માતા મૂળીબેનને ત્યાં વિ. સં. ૧૯૫૮માં તેમને જન્મ થયો. પિતાની સુપુત્રી સાચા જીવનને જીવી જાણે એ આશયથી “જીવાં” નામ રાખ્યું. અને જીવાં ખરેખર જીવિતવ્યને જીવી જાણનારી યથાર્થનામ નીવડી ! શાળાનું શિક્ષણ મળે એવા સંજોગો નહોતા. ખેતીવાડીનું કામ કરતાં કરતાં મેટાબેન ભાણબાઈ પાસે કક્કાવલીનું જ્ઞાન મેળવ્યું અને વાંચતાં–લખતાં શીખી લીધું. ફઈબા (પૂ. શ્રી લાભશ્રીજી મહારાજ) ઘરમાંથી દીક્ષિત બનેલાં હોવાથી એ કુટુંબમાં ધર્મની ભાવના તે હતી જ. મોટીબેન પાસેથી જીવીબેને બે પ્રતિક્રમણનું જ્ઞાન મેળવ્યું હતું, પરંતુ જીવાંબેન નાનપણથી સ્વતંત્ર મિજાજવાળાં અને તેફાની હતાં. સમવય કે સાથે તોફાન કરવામાં મેખરે રહેતાં.
જવાબહેન ચૌદ વર્ષનાં થતાં માતાપિતાએ બાજુનાં નારાયણ ગાથના રહેવાસી શ્રી રામજીભાઈ મગ સાથે તેમનાં લગ્ન કર્યા. પરંતુ જીવનને સાચે માગે જીવવાનું વિધિવિધાન
ચીને જ જવાબહેન આ લોકમાં અવતર્યા હશે કે શું?! ટૂંકા સમયમાં જ ઝેરી તાવે રામજીભાઈને ભરખી લીધા. જવાબહેનનું સંસારી જીવન નંદવાઈ ગયું, પરંતુ જીવાંબહેન લેશમાત્ર ચલિત થયાં નહીં. પૂર્ણ સ્વસ્થ રહી, શેકના દિવસો પૂરાં થતાં, પિયર આવ્યાં ને ત્યાંથી ફઈબા (પૂ. શ્રી લાભશ્રીજી મ.) પાસે અભ્યાસ કરવા માટે વિરમગામ આવ્યાં. ત્યાં ખૂબ ગમી ગયું. ત્યાંથી આગળ દાર્મિક અભ્યાસ કરવા અમદાવાદ પૂ. શ્રી પૂનમચંદ્રજી ગણુિ પાસે આવ્યાં. વૈરાગ્યભાવના દઢ થતાં દીક્ષા લેવાને સંકલ્પ કર્યો. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ વદ પાંચમના શુભ દિવસે દીક્ષા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org