________________
૩. કેટલાક આત્માઓ, પાણીના પ્રવાહોથી પ્લાવિત થાય છે. ૪. કેટલાક આત્માઓ, દવાગ્નિથી દહાય છે. ૫. કેટલાક આત્માઓ, ‘લવણ, આચામ્સ અને મૂત્રો’ આદિના પાણીથી પણ વ્યથિત થાય
૬. લવણક્ષારપણાને પામેલા કેટલાક આત્માઓ, ઉષ્ણ, પાણીમાં ઉકાળાય છે.
૭. કેટલાક આત્માઓ, કુંભાર આદિ દ્વારા ઘડા અને ઇંટો આદિ રૂપ થઇને પકાય છે : અર્થાત્ કેટલાક પૃથિવીના જીવોને કુંભારો, ઘડા અને ઇંટો આદિરૂપ બનાવીને નભાડામાં પકાવે
૮. કેટલાક પૃથિવીના જીવોને કાદવરૂપ કરીને કડીઆઓ ભીંતની અંદર ચોંટાડે છે.
૯. કેટલાક પૃથિવીના જીવોને ક્ષારમૃત્યુટો દ્વારા પકાવીને કારીગરો શાણ ઉપર ખુબ ખુબ ઘસે છે.
૧૦. કેટલાક પૃથિવીના જીવો, ટંકાત્કો દ્વારા ખુબ ખુબ ફડાય છે. ૧૧. અને કેટલાક પૃથિવીના જીવો, પર્વતોની નદીઓના પ્રવાહો દ્વારા ફડાય છે.
આવા આવા પ્રકારના, પૃથિવીકાય જીવોની પીડાના પ્રકારો જાણીને પાપભીરૂ આત્માઓ એ ખુબ ખુબ વિવેકી બનવાની જરૂર છે.
ઉપકારી પુરૂષો એ જીવોની પીડાના એવા એવા પ્રકારોનું વર્ણન એટલાજ માટે કરે છે કે‘પૃથિવીકાયના જીવો આવા આવા પ્રકારો દ્વારા ભયંકર પીડાને પામે છે.” એમ જાણીને વિવેકી આત્માઓ તેવા તેવા પ્રકારો દ્વારા તે જીવોને પીડારૂપ થતા અટકે; અથવા ન અટકી શકાય તેમ હોય તો પણ યતનાયુક્ત તો અવશ્ય બને જ. આ વાત એકલા પૃથિવીકાયના જીવો માટે જ નથી પરન્ત સઘળાય જીવો માટે સમજી લેવાની છે.
પૃથ્વીકાયનું વર્ણન સમાપ્ત
અકાય જીવોનું વર્ણન.
પાણી છે શરીર જે જીવોનું અર્થાતુ પાણી પોતે જ શરીર રૂપે જે જીવોનું હોય છે તે અપૂકાય જીવો કહેવાય.
અપૂકાય જીવોના મુખ્ય બે ભેદો હોય છે . (૧) સૂક્ષ્મ અકાય (૨) બાદર અપુકાય
સૂક્ષ્મ અકાય જીવોનું વર્ણન.
Page 16 of 234