Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 13
________________ સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞાને પુષ્ટ કરતો સ્પર્શેન્દ્રિય આઠ વિષયોમાં રાગ ષના પરિણામ કરતો પોતાનું જીવન જીવે છે. આ પૃથ્વીકાય જીવોની જીવાયોનિ સાતલાખ હોય છે. પાંચ વર્ણ-કાળો, લીલો, લાલ, પીળો, સફેદ X ૨ ગંધ- સુગંધ એટલે સુરભિગંધ દુર્ગધ = દુરભિગંધ X પાંચ રસ- કડવો, તીખો, તૂરો, ખાટો અને મીઠો X આઠ સ્પર્શ- ગુરૂ-લઘુ, શીત-ઉષ્ણ-મૃદુ-કર્કશ અને સ્નિગ્ધ તથા રૂા. X પાંચ સંસ્થાન- ગોળ, વલયાકાર, ચોરસ, ત્રિકોણ અને લંબ = લાંબુ = ૨૦૦૦ ભેદો થાય છે કારણકે યોનિ હંમેશા પુગલની બનેલી હોય છે તેમાં કોઇને કોઇ વર્ણ હોય કોઇને કોઇ ગંધ હોય કોઇને કોઇ રસ હોય કોઇને કોઇ સ્પર્શ હોય તેમજ કોઇને કોઇ તેનો આકાર હોય છે માટે તેના બે હજાર ભેદો થાય છે. આ ઉત્પત્તિ સ્થાન એટલે યોનિ કહેવાય છે. આ બે હજારથી સાત લાખને ભાગાકાર કરીએ તો ૩૫૦ સંખ્યા આવે તેમાં એમ સમજવું કે જગતમાં પૃથ્વીકાયની જાતિ રૂપે ભેદો ૩૫૦ હોય છે. આ ૩૫૦ ભેદોમાં દરેકમાં બબ્બે હજાર ઉત્પત્તિ સ્થાનો રહેલા હોય છે માટે ૩૫૦ X ૨૦૦૦ કરતાં સાતલાખ જીવાયોનિ થાય છે. આ રીતે પૃથ્વીકાયની જીવાયોનિ સાત લાખ કહેલી છે. હવે આમાં ૩૫૦ ભેદો પૃથ્વીકાયના કયા સમજવા તે હાલ કોઈ ગ્રંથમાં મળતા નથી. કેવી રીતે વિચારવા એ પણ સમજ પડતી નથી માટે તે ભેદો લખેલ નથી. આ બાદર પૃથ્વીકાય જીવો એક લીલા આમળાની જેટલી જગ્યા થાય એટલામાં મુકવામાં આવે અને તે જેટલા જીવો થાય તે દરેક જીવનું પારેવા જેટલું એટલે કે કબૂતર જેટલું શરીર બનાવવામાં આવે તો આ એક લાખ યોજનવાળા જંબુદ્વીપમાં સમાવાતા નથી અર્થાતુ તેને રહેવા માટે આ જંબુદ્વીપ પણ નાનો પડે છે. એટલા બધા તેમાં જીવો હોય છે. માટે તાકાત હોય તો એ જીવોની હિંસાથી સદંતર છૂટી જવું જોઇએ ન જ છૂટાય અને કદાચ હિંસા કરવી પડેતો જરૂરીયાત જેટલાની પડે તેટલાનો ઉપયોગ એવી રીતે કરવો કે તે જીવોને વેદના ઓછી થાય અને ક્યારે આ જીવોની હિંસાથી છૂટાય તેવી ભાવના રાખવાથી પરિણામ હિંસાના જોરદાર બનશે નહિ. અહિંસાના પરિણામનાં સંસ્કાર દ્રઢ બનશે કે જેના પ્રતાપે બીજા ભવમાં સંપૂર્ણ હિંસાથી છૂટી જીવન જીવવાની શક્તિ પેદા થશે. એ રીતે પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે. બીન જરૂરીયાત આ જીવોની હિંસા તો કરવી જ નહિ એવો અભ્યાસ પાડતા જવું જેમ કે કાચી વનસ્પતિની સાથે મીઠાનો ઉપયોગ કરવો એ બીન જરૂરીયાત કહેવાય કારણકે જીભના સ્વાદ માટે તે જીવોની હિંસા થાય છે એમ દરેકમાં સમજવું. હવે, તિર્યંચગતિમાં રહેલા આત્માઓ મુખ્યતયા પાંચ પ્રકારમાં વહેંચાયેલા છે કારણકેતિર્યંચગતિમાં એક ઇંદ્રિયવાળા જીવો હોય છે તેમ બે ઇંદ્રિયોવાળા, રાણ ઇંદ્રિયોવાળા, ચાર ઇંદ્રિયોવાળા અને પાંચ ઇંદ્રિયોવાળા જીવો પણ હોય છે : તે પૈકીના એક ઇંદ્રિયવાળા જીવો પાંચ પ્રકારે છે :- “૧-પૃથ્વીકાય, ૨-અકાય, ૩-તેઉકાય, ૪-વાયુકાય અને પ-વનસ્પતિકાય.” Page 13 of 234

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 234