Book Title: Jeev Vichar
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 12
________________ મુખ્ય કારણ શું ? એ સમજો પુણ્યના ઉદયથી જે અનુકૂળ પદાર્થો મળે છે તેનીના નહિ પણ તેના ૫૨ રાગ કરવો આસક્તિ ક૨વી અને મમત્વ વધારતા જવું અને જે પદાર્થ પ્રત્યે અત્યંત રાગ કેળવીને મમત્વ વધારતા જઇએ તેનાથી આ રીતે રખડપટ્ટી કરવાના અનુબંધો બંધાયા કરે છે અને એ અનુબંધોને આધીન થઇને જીવો સંસારમાં જન્મ મરણ કર્યા કરે છે. માટે જ્ઞાની ભગવંતો કહે છે કે એક સેકંડ અનુકૂળ પદાર્થો મેળવવાની ઇચ્છા કરીએ તેનાથી નારકીના જીવો ૬૧૧૫૫૪૫ પલ્યોપમ સુધી જે દુ:ખની વેદના વેઠે છે એટલા દુ:ખની વેદના વેઠવા લાયક કર્મબંધ થયા કરે છે. એવી જ રીતે અનુકૂળ પદાર્થો પ્રત્યે અત્યંત રાગ રાખીને મારાપણાની બુધ્ધિ જેટલી દ્રઢ કરવામાં આવે અને તે દ્રઢ કરેલી બુદ્ધિને જેટલી વાર યાદ કર્યા કરે તેમાં એકવાર યાદ કરવામાં દશ ભવ વધે બીજી વાર યાદ કરવામા દેશ X દશ = સો ભવ વધે ત્રીજી વાર યાદ કરવામાં સો X દશ = એક હજાર ભવ વધે આ રીતે ભવની પરંપરા વધતી જાય છે. એવી જ રીતે જે કાંઇ જીવનમાં પ્રતિકૂળતા આવી હોય અથવા આવતી હોય તો તેના માટે અત્યંત દ્વેષ કરી તે પ્રતિકૂળતાઓને કાઢવાનો વિચાર જેટલી વાર કર્યા કરીએ તેમાં પણ દશભવ-સો ભવ હજાર ભવ ઇત્યાદિ ભવોની પરંપરા વધતી જાય છે. આથી જો દુઃખમય સંસાર વધારવો ન હોય ભવની પરંપરા વધારવી ન હોય તો આ મનુષ્યજન્મમાં જીવ વિચાર આદિ પ્રકરણોનું જ્ઞાન મેળવી ધીમે ધીમે આત્માને એવી રીતે કેળવવો જોઇએ કે કમસેકમ ભવની પરંપરાતો ન જ વધે તોજ મનુષ્ય જન્મ સાર્થક થશે. પર્યાપ્તિ- આ જીવોને ચાર હોય છે. (૧) આહાર પર્યાપ્તિ (૨) શરીર પર્યામિ (૩) ઇન્દ્રિય પર્યામિ (૪) શ્વાસોચ્છવાસ પર્યાપ્તિ હોય છે. પ્રાણ ૪ હોય છે. (૧) આયુષ્ય (૨) કાયબલ (૩) સ્પર્શેન્દ્રિય (૪) શ્વાસોચ્છવાસ પ્રાણ હોય છે. બીજા સ્થાનોમાંથી મરણ પામીને જીવ બાદર પર્યામા પથ્વીકાય રૂપે જયારે ઉત્પન્ન થાય છે અને વિગ્રહગતિમાં આવે છે ત્યારથી આયુષ્ય નામનો પ્રાણ ચાલુ થાય છે. ઉત્પતિના પહેલા સમયે આવી આહાર ગ્રહણ કરી પરિણમાવવાની શક્તિ પેદા કરી અસંખ્યાત સમય સુધી આહાર ગ્રહણ કરી પરિણમાવીને શરીર પર્યાપ્તિ રૂપે શક્તિ પેદા કરે છે. આ શક્તિમાંથી કાયબલ નામના પ્રાણને પેદા કરે છે કે જેનાથી જગતમાં રહેલા ઔદારિક વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી વિસર્જન ક૨વાની શક્તિ પેદા થાય છે ત્યાર પછી અસંખ્ય સમય સુધી આહારને ગ્રહણ કરી પરિણમાવવાથી જે શક્તિ પેદા થાય છે તેમાંથી ઇન્દ્રિય પર્યાપ્તિની શક્તિ પેદા કરે છે તે શક્તિથી સ્પશેન્દ્રિય પ્રાણ પેદા કરે છે. ત્યાર પછી અસંખ્ય સમય સુધી આહારના પુદ્ગલોને ગ્રહણ કરી પરિણમાવી જે શક્તિ પેદા કરે છે તેનાથી શ્વાસોચ્છવાસ પર્યાપ્ત પેદા કરી શ્વાસોચ્છવાસ નામને પ્રાણ પેદા કરે છે કે જેનાથી જગતમાં રહેલા શ્વાસોચ્છવાસ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસ રૂપે પરિણમાવી નિઃશ્વાસ રૂપે વિસર્જન કરી પોતાનું જેટલું આયુષ્ય હોય તેટલા આયુષ્ય સુધી આહારના પુદ્ગલો ગ્રહણ કરી ચારે પ્રાણોની શક્તિને જાળવી આહાર Page 12 of 234

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 234