________________
२२
શ્લોક-૮ : મોહનું ફળ
इष्टोपदेश:
युज्यत इति चेत् ? न, तत्सम्बन्धस्य देहाश्रितत्वेन तत्तत्त्वानतिक्रमात् ।
नन्वस्तु कलत्रादिदेहानामन्यस्वभावता, तदात्मनां तु सा दुर्घटैवेति चेत् ? न, स्वो भावः स्वभाव इति व्युत्पत्त्या तेष्वपि तदनपायात् परस्वत्वायोगात्, स्वान्यसर्वतो व्यावृत्तिमन्तरेण स्वरूपलाभस्यैवानुपपत्तेश्च । न चैवं
તેમનામાં અન્ય સ્વભાવતા સંગત નથી થતી ને ?
સમાધાન - ના, કારણ કે પતિ-પત્ની વગેરેનો જે સંબંધ છે, એ શરીરાશ્રિત છે. શરીર એ પુદ્ગલમય છે. માટે પત્ની વગેરેમાં પણ અન્ય સ્વભાવતા રહેલી જ છે. શંકા :- પત્ની વગેરેના શરીરો અન્યસ્વભાવી ભલે હોય, તેમના આત્માઓ તો અન્યસ્વભાવી નથી જ ને ? સમાધાન - એવી વ્યુત્પત્તિ છે કે પોતાનો જે ભાવ તે સ્વભાવ. માટે પત્ની વગેરે પણ સ્વથી ભિન્ન હોવાથી તેમાં અન્ય સ્વભાવતા રહેલી જ છે. કારણ કે જે પર = અન્ય છે, એનામાં સ્વપણું ન રહી શકે. વળી પોતાનાથી અન્ય એવા બધા પદાર્થોથી જે વ્યાવૃત્ત ન હોય, તે વસ્તુનો સ્વરૂપલાભ જ ન ઘટી શકે. (જેમ કે ઘટ એ જો પટ-કટ વગેરેથી વ્યાવૃત્ત નથી તો એ ઘટરૂપે ઘટી ન શકે. અરે, એક ઘટ જો બીજા ઘટથી વ્યાવૃત્ત નથી, તો