Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 154
________________ 149 શહેરની બહાર પડયું. તાબાના રાજાઓ અને તેમના પ્રધાને પણ રાજાના હુકમથી એકદમ શહેરમાંથી નીકળી, સૈન્યમાં દાખલ થયા. એટલામાં હે રાજા, આ આવું નૃસિંહની સ્વારીનું કારણ સમજી લેઈ હું તા. બડતોબ આ શહેરમાં આવ્યા, અને સર્વ જેએલી અને સાંભળેલી બિના વિયે ઈચ્છનારા વીરશ્રેષ્ટ વીરસેન પ્રભુને એકાંતમાં નિવેદન કરી. તે ધ્યાનમાં લઃવી વીર. સેન બોલ્યો કે " અરે આની સાથે ઘણા કારણો મનમાં લાવી, મેં લઢાઈ ઉત્પન્ન કરી. એકતા તેના અહિં આવવાથી આપણા દેશને ઉપદ્રવ થશે, અને પ્રજા પરચક થી ગભરાઈ જઈ દુઃખી થશે, માહારાજને રીસ આવી અંતઃકરણ દુઃખી થશે, અને સૈન્યને સામને થવાથી પૈસા પણ ઘણા ખરચ થશે. તે સિવાય મનુષ્યના પણ ભેગ પડશે, ત્યારે આટલી ખટપટ શા વાસ્તે જોઈએ ? મારા એકલાના જવાથી પણ કાર્ય પાર પડશે. હું એકલેજ જઈશ. અને તે દુષ્ટ રાજાના હાથની ચેળ મટાડી આવીશ. વધારે બોલવામાં શું ફાયદે છે?” આ પ્રમાણે મસલત કરી વીરસેનને એકદમ શુર ચઢી આવ્યું અને હાથમાં તલવાર લઈ ચંદ્રગ્રીન સુતેલી જગા પર મુકી વિદ્યાબળથી આકાશમાં મારી સાથે ઊડયો અને આકાશમાં અનેક નક્ષત્રોથી શુશોભીત એવા આકાશ મંડળને નિહાળતો નીહાળતો ચાલ્યો. અમે બંને ઝપાટાથી ચં. પાપુરીમાં આવી પહોંચ્યા અને ત્યાં વાસુપુજ્ય મંદિરમાં દેવને વદન કરી ધર્મનું ચીંતન કરવા લાગ્યા. સૂર્યોદય થયો. સવારના લાલપ્રભા ચારે તરફ પ્રસરેલી, જેથી જાણે પૂર્વ દીશારૂપી કન્યાએ પોતાના કપાળે કંકુને ચાંદલો કર્યો હોય એ પ્રમાણે દેખાવ દેખાય, પ્રથમ તો સૂર્ય બિંબને કેમલ પ્રકાશ અમને સારા લાગે છેડી વાર પછી તે બિંબ તરફ અમારાથી જોવાયું નહિં અને તે પછી થોડી વાર તે સૂર્ય બિંબ અત્યંત સહ થયું, જેમ જેમ સુર્ય આકાશમાં ઉંચે ચઢતા ગયા તેમ તેમ તેનો તાપ અધિકાધીક વધતો ગયો, તે વખતે નસિંહ રાજા પ્રાતઃકાળના પિતાના સર્વે કૃત્યમાંથી પરવારી પ્રધાન અને સેવક મંડળ સહ કચેરીમાં આવીને બેઠે. અને ચપદારને, જેશીને, બોલાવી લાવવાનો હુકમ કયો જોશી આવે ત્યારે રાજાએ પૂછયું. “જોશી મહારાજ શત્રુપર સ્વારી કરવાની છે માટે સરસ લગ્ન જોઈ આપો.” રાજાજી જે મારા વચન પર વિશ્વાસ હોયતા ચ પાનગરીમાંથી તમારું પસ્થાન થશે નહિ. શત્રુજ અહીં આવ્યો છે એમ સમજે. . રાજા–શત્રુ જે આવે છે તો તે કયાં છે? મને શરણુ આવવા સારૂં ફાટેલી કામની એડી અને ગળામાં કોડીયું બાંધીને આવવાથી વાર લાગી !! ક સ્તામાં પડી ગયો? જેશી મહારાજ સારે વિચાર કરીને મને કહે. - જોશી–રાજાજી તે અહીં આવ્યો છે તે તારી સેવા કરવા વાસ્તે નહિ, પણ તારે નાશ કરવા વાસ્તે. અહીં આવેલું છે આ જોશીનું વચન રાજાને ખરૂ ન લાગતાં તે ક્રોધાયમાન થઈ બોલ્યા “અરે અજ્ઞાન જોશી મારે નાશ એ શું કરવાનું છે? આગીયા બળવાન થાય તે તે શું સુર્યના તેજને ગળી જશે? તેનું આવવું સંભવતું નથી એ ખચીત છે. શત્રુ આવ્યે હોતને મારા દુત મને કહેવા P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221