Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 192
________________ 187. રાજા---જે એમ હોય તે આ પૃથ્વી પર એવો કઈ નથી કે જે પિતાની જ પત્નિ સાથે એકાગ્ર ચિત્તથી હોય. અહિં તે એક ગુણરાજ છે, તે જે આવા ગુણો હોય તો તે એકાગ્ર ચિત્ત ગુણરાજ વેરે તને ખરેખર પરણાવવી જોઈએ. પછી રાજાએ, જ, ચાલતી થા, એમ ક્રોધથી બોલીને વિજયસુંદરીને વેગથી મહેલમાંથી રવાના કરી. પછી ગુણરાજને બોલાવી રાજાએ તેને કહ્યું, ગુણરાજ, તું મારી પુત્ર સાથે પરણવાનું કબુલ કર. બીજુતીજું કાંઈ બેલીશ નહિ, તને મારા સમ છે, તારા પુણ્ય યોગથી જ તેના મનમાં પ્રેરણું થઈ તે તારા તરફ આવી છે. ગુણરાજથી તે રાજાની આજ્ઞા અને સોગનને ભંગ થયે નહિ, માટે તે રાજાની પછવાડે આવી ગુપચુપ ઉભો રહ્યો. પછી રાજાએ લગ્નના સામાન વગેરેની ઉત્તમ તૈયારી કરાવ્યા પછી, સુમુહુર્ત ઉપર સ્નાન કરાવવા વાસ્તે ગુણરાજને લેકે જેવા લાગ્યા, તે મહામતિ ગુણરાજ (લગ્ન બાબત) ઉદ્વિગ્ન થઈ કેઈને કાંઈ ન કહેતાં, અને કાંઈ પણ ન જણાવતાં પુર્વાભિમુખ કરી એકદમ અલોપ થઈ ગયો. રાજાએ જલદી સ્વારો વગેરેને મોકલી, તેને તેડી લાવી, તેની સાથે કન્યા જયસુંદરીનું લગ્ન કરી દીધું. જયસુંદરીએ પૂછ્યું. " ગુણરાજ તમે કેમ નાશી ગયા? અને દિલગીર કેમ હતા? તારે મારે આ યંગ ભવિતવ્યતાએજ કરી આપ્યો છે. મનમાં હું એક વિચાર રાખું છું, તમે વળી બીજો રાખો છે, છેવટે વિધિએ જે નિર્માણ કર્યું છે, તે જ થાય છે. પરંતુ તે હવે નિશ્ચિત થએલું છે, તે પૂર્વાઈત કર્મનું આ ફળ જેમ આપણને પ્રાપ્ત થયું છે, તે પ્રમાણે આપણું બને તેને ભેગવીશું. આવાં વચન નોથી ગુણરાજની તેણે એવી સમજણ કરી કે, તેના વિષે એકાગ્ર ચિત્ત થઈ તે કહે તે પ્રમાણે ગુણરાજ કરવા તૈયાર થયા. તેનું પરમાર્થ પર ભાષણ સાંભળી, રાજાને રેશ પણ એકદમ નાશ પામ્યા. રાજા પરમાર્થને જ વિચાર કરવા લાગ્યો કે ગુણરાજ સાથે મારી પુત્રિને પરણાવવાની મારી જે બુદ્ધિ થઈ તે ખરેખર તેના અપૂર્વ કર્મથી જ થઈ. રાજાનું ચિત્ત પાછું ઠેકાણા પર આવ્યું, અને પુત્રિના પ્રેમ પરથી પિતાના જમાઈ ગુણરાજને અડધ રાજ્ય આપ્યું. પછી ગુણરાજે તેની સાથે ઘણા પ્રકારના ઉપભેગ ભગવ્યા, અને મંડલેશ્વર થઈ તે પૃથ્વી પર અત્યંત પ્રખ્યાત થયો. હે વીરસેન, આ પ્રમાણે તેણે જયસુંદરી સાથે અનુરક્ત થઈ પચાસ વર્ષો ગાળ્યાં. પછી કઈ એક વખતે તે બનને મહેલની બારીમાં બેઠા હતાં, તેવામાં દેવગથી તે બન્નેના પર વીજળી પડી તે બન્ને મરણ પામ્યાં, અને સીતાના ઉત્તર કીનારા૫ર જબુવૃક્ષની પૂર્વે બાજુ પર સ્ત્રી પુરૂષ થઈને રહ્યા. તે દેવ પ્રમાણે પતિ, પત્નિ વિન દશામાં, પ્રાપ્ત થયા પછી કલ્પવૃક્ષ જન્ય મહાસુખો ભેગવવા લાગ્યા. તેના શરીરનું બંધારણ એવું હતું કે તે ત્રણ મૈલ ઉંચે, અને ત્રણ ત્રણ દિવસે આહાર કરતા, એવી રીતે તે જન્મમાં તેમનું આયુષ્ય ત્રણ પલ્ય પ્રમાણ હતું. પિતાનું આયુષ્ય પૂરું થયા પછી તે બને એકદમ મરી જઈ ચંદ્રાનન નામના વિમાનમાં બેશી દેવસમાજમાં દેવદંપતી થઈને રહ્યા. ત્યાં એકમેકપર અત્યંત પ્રીતિ રાખી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221