Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 220
________________ ૨૨પ થઈ ગયું હતું અને તેઓ ટાઢ સહન કરતા હતા, ત્યારે ઠંડા પવનને લીધે તેમના હેઠ ધ્રુજતા હતા, તે વખતે જાણે આઠ કર્મોના ઉછેદ વાસ્તે પ્રાપ્ત થયેલ ક્રોધથીજ તે ધ્રુજતા હોય એમ લાગતું કેઈ વખતે તે મુનીઓ ન ગભરાતાં રાક્ષસના ભયંકરા શબ્દોથી પરિપૂર્ણ એવી મશાન ભૂમીમાં કઈ પણ ઠેકાણે રાતની રાતે પડી રહેતા. કોઈ વખત ધ્યાનમાં લીન થઈ રસ્તાનીજ અંદર નિશ્ચલ ઉભા રહેતા, તે વખતે બળદ, ભેંશે વગેરે તેમને થાંભલાઓ જાણે પિતાના શરીરે ઘસતાં હતાં. સત્યવાન તે સૂરવીરાદિ સાધુઓ એવી રીતે દુષ્કર તપ કરતા હતા, તેમાં તેમના કેટલાક દિવસો પસાર થઈ ગયા. પછી વીરસેન મામુનિ યોગ્ય થયે એમ જાણી, તેને અકલંક મુનીએ પાંચસો મુનીયોને અધિકારી બનાવી આચાર્યની જગાએ સ્થાપન કર્યો. આચાર્ય સ્થાપન કાળની વખતે પરમ અવધિ થઈ તીવ્રતાના યે કરી તે આકાશચારી થયે. એવા કમથી શ્રી વીરસેનસૂરીને કેવલજ્ઞાન ઉત્પન્ન થઈ સૂર પ્રમાણે ભૂતલ ઉપર હાલમાં પણ ઘણી વખત વિહાર કરે છે. . . . . : - હે હરિવિકમ, રાજે, ભુવનસુંદરીના લગ્નના ઉત્સવમાં તે તને પ્રત્યક્ષ મળ્યું જ હતું. તે વીરસેનસૂરિ કેવલ જ્ઞાન ઉત્પન્ન થએલા એવા સૂરસેનાદિ સહ કાલે સવારે અહિં અવશે. માટે હું કહું છું કે, હે રાજેન્દ્ર રાજ્યલક્ષ્મી ક્ષણભંગુર છે, તે નરસિંહે સૂરસેન નરેંદ્ર પાસેથી લીધી, અને ત્યાંથી ( નરસિંહ પાસેથી) ક્ષણમાં વીરસેને લીધી, પુણ્ય ક્ષય થયા પછી કોઈની પણ લક્ષ્મી સ્થિર રહેતી નથી. આ પૃથ્વી પર સુરસેન સરખે પરાક્રમી કઈ પણ થયું નથી, પરંતુ પિતાનું રાજ્ય નષ્ટ થતાં યુદ્ધની અંદર તેનાથી પણ તેનું રક્ષણ થઈ શકયું નહિક સર્વ | ઉપદ્રવોથી દેશનું રક્ષણ કર્યું, અને તેની અતિશય પુષ્ટિ કરી, તે પણ પુષ્યને ક્ષય થયા પછી, પિતાનો દેશ પણ ઘડીમાં પારકે થાય છે. પ્રવેશ કરવાને કઠણ એવા કિલાઓ પણ ખરેખર શત્રુને સુગમ થઈ પડે છે (પ્રવેશ વાસ્તે સહેલાં થઈ પડે છે) અને ચતુરંગ સેના પણ ચિત્રની અંદર કાઢેલ સેના પ્રમાણે થઈ જાય છે. આ વાત ધ્યાનમાં લઈ હે મહારાજ, રાજ્ય, પુત્ર, સ્ત્રી, કેશ, વિષયસુખ, આમાંથી કોઈ પણ બાબતમાં મેહ રાખીશ નહિ, અંત:પુર પરિવાહસહ તે ઉપદેશ સાંભળીને રાજા સંસાર સુખમાંથી વિરકત થવાની ઇચ્છાથી પાછે નગરની અંદર ગયેટ સુરવિકમ (દેવ સર પરાક્રમી) કુમારને પોતાની ગાદી પર બેસાડી રાજ્યા- ભિષેક કરાવી, હરિવિક્રમે વીરસેન ગુરૂની ઈચ્છા પૂર્ણ કરી. કેવલ જ્ઞાનને સૂર્ય વીરસેન ગુરૂ ત્યાં આવ્યા પછી, તેણે પોતાના નિષ્ક્રમણને ઉત્સાહ કરાવ્યો. શકાવતાર પ્રમુખ જીનમંદિરમાં તે રાજ, શ્રેટે પિતાના સંપૂર્ણ ઐશ્વર્યથી મોટો અષ્ટાહિક ઉત્સવ કરાવ્યું. તેણે દ્રવ્ય આપી વિશ્વ યાચક રહિત કરી મુકયું, જેથી તે દાતાજ જણાવવા લાગ્યા. શુભ દિવસે રાજાએ સ્નાન કરી, શરીરે ઉટણ લગાડી, ભુવનદરીસહ અનેક અલંકારથી ભૂષિત થઈ, દિવ્ય વસ્ત્ર ધારણ કરી, જયનારણપર ચઢ, અને છત્ર તથા બે બાજૂએ બે ચમરી એવી રીતે બીરાજમાન થઈ રસ્તામાંથી ચાલ્યો. પ્રથમ કાવતારમાંના જીનેશ્વરને નમસ્કાર કરી, પછી રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 218 219 220 221