Book Title: Hari Vikram Charitra
Author(s): Bhagubhai F Karbhari
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 207
________________ 202 * * વીરસેન–હે મહાત્મન હું કારણ શિવાય લઢાઈ કરતો નથી, ત્યારે તે પુરૂષ જવાબ આપ્યો કે “તેનું કારણ પ્રત્યક્ષ છતાં પણ તું ચોરી રાખે છે ? " વીરસેન–અરે સાધુ, પ્રત્યક્ષ હાઈ એ શું ચેરી રાખ્યું? તે ફરી બોલ્યો, “આ ખડગ તું સંતાડી મૂકે છે વધારે બેલીશ નહિ, મારૂં ખડગ આપ નહિ તે યુદ્ધ કર; ચતુરાઈના કૃત્યથી અમારૂં બોલવું ખંડિત થતું નથી - રાજા–સજજની અંદર તારી તથા મારી તકરારને ન્યાય થવો જોઈએ. એ પ્રમાણે તેઓ વાદવિવાદ કરતા હતા એટલામાં વિદ્યાધર સમુદાય ત્યાં આવ્યું. ત્યારે વીરસેન બોલ્યો. વીરસેન—આ આપણી આગળ વિદ્યાધર જાય છે, તેમની પાસેથી આપણ બને ન્યાય કરાવીએ. ખર્શ પુરૂષ–તને જેમ લાગે તેમ કર, ગમે તે રીતે મારે તો ખગ સાથે કામ છે. પછી તે બન્ને વાદી પ્રતિવાદી મનમાં પિતાને પક્ષ બળવાન ગણ વિદ્યાધર પાસે ગયા. તેમને વીરસેને કહ્યું. વીરસેન—વિદ્યાધરે, મારી વાત સાંભળો. મેં આની પાસેથી ખર્શ લીધું નથી, પરંતુ પુરૂષના (તુટેલા) હાથમાંથી લીધેલું છે. ખંગ પુરૂષ-હે સભાસદે, મારું સાંભળ, હું સૂતો હતો તેવામાં કોઈ મારૂં ખડગ લેઈ આકાશમાં ઉડયા. તે ઉડતો હતો. તેવામાં જ તે ચિરને મેં પકડશે, અને તેની સાથે આકાશમાં અહિં સૂધી ચાલી આવ્યો. અહિં આવી તરતજ મારી છરીવડે તે પુરૂષનો હાથ તથા મસ્તક તોડી નાખ્યું. સભાસદે, ગમે તેટલું તોપણ હું પૃથ્વીપરને પ્રાણી છું, આનુ આ વિમાન અહિં જોયું, અને તેમાં ખગ રત્ન ઈિ, તે મારૂં જ હોવું જોઈએ એમ તેપર નિશાનીઓથી નકકી કર્યું તે બાબતને આની પાસે તપાસ કરી, માગું છું, આ તેની અને અમારી તકરાર છે. - તે વિદ્યાધરેએ તે તકરારને સારી રીતે નીકાલ કરી વીરસેનને કહ્યું “હે ભૂપતિ, એ મહા ખડ્ઝ એનું છે, તારૂં નહિ. કારણ આ પુરૂષ કહે છે કે મેં તેને હાથ તેડ, અને આ બાબતમાં તારું પણ એમ બોલવું છે કે, મેં પુરૂષના હાથમાંથી લીધું. ત્યારે નિઃસંશય એ મહા ખડ્ઝ રન એનું જ છે, હવે એ વાતને નિશ્ચય કરવો જોઈએ કે એને ચોર કેણ? સર્વ વિદ્યાધરોએ વિદ્યા બળથી તેની માહિતી મેળવી નિશ્ચય કર્યો કે, કંઈ ચાર નથી, પરંતુ આ કોઈ પરાકામી મહાત્મા છે. હા સમજ, આજ ભરતખંડના જંબુદ્વીપમાં ચંપાપુરીને અધિપતિ તું જ છે, હે વીરસેન મહારાજ તારૂં સર્વ ઠીક છે. - વીરસેન–હું ચંપાપુરીને પતિ નથી, પણ કોઈ એક ભીખારી છું, તમે સર્વ પ્રકારે મધ્યસ્થ થઈ જે બોલવું હોય તે બોલે વિદ્યાધરે, જે તમે કઈ મારો પક્ષપાત કરશે તો તમને તમારા ગુરૂ તથા દેવના સેગન આપું છું. વિદ્યાધરે–તું બીલકુલ ચેર નથી, અને તારે દોષ પણ નથી, કારણ તે પુરૂષના P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221